The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાની નિમણુંક

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાની નિમણુંક

0
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના  કન્વીનર તરીકે   પંકજભાઈ ભુવાની નિમણુંક

કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી,જેમાં ૨૦૨૧/૨૨ માટે સંગઠન બનાવવામાં આવ્યુ હતુ. બેઠકમાં રાજ્યના જિલ્લાઓના કન્વીનરોની નિમણુંક પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જીલ્લાઓના કન્વીનર અને મહિલા કન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી. દરેક જિલ્લાના કન્વીનર ભાઇઓ અને મહિલા કન્વીનરોની યાદી જાહેર કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર પદે પંકજભાઈ ભુવાની નિમણુંક કરવામાં આવી, જ્યારે મહીલા કન્વીનર તરીકે હેમાંગીબેન કેવડિયાની નિમણુંક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના સંગઠનમાં નવા નિમાયેલ કન્વીનર તથા મહિલા કન્વીનરની નિમણુંકને કમીટી દ્વારા આવકારીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

•ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!