ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાં વહેલી સવારે જર્જરિત ઇમારત ધરાશાયી થતા નિંદ્રાધીન પરિવાર કાટમાળમાં દબાયો હતો. સ્થાનિકોએ પાલિકા ફાયરબ્રિગેડની મદદથી પરિવારજનોને બહાર કાઢ્યા હતા. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડીંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે.

ભરૂચ નગરપાલિકા એક સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે. પણ આ નોટીસ બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. મકાનમાલિકો પણ તંત્રની કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી આજની ઘટના જેવા માઠા  પરિણામ સામે આવે છે. આજે વહેલી સવારે બનેલી ઘટના બાદ કાટમાળ હટાવવો ખુબ મુશ્કેલ બની રહ્યો  હતો.

ભરૂચ નગરપાલિકાના કમિટી ચેરમેન અને સ્થાનિક નગર સેવક હેમેન્દ્ર પ્રજાપતિએ રેસ્ક્યુ ઓપરેશન માટે જવાબદારી ઉપાડી હતી. પાલિકાની ફાયર બ્રિગેડની ટીમને પાલિકાના પક્ષના નેતા રાજશેખરભાઈએ તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવી વીજળી ના લટકતા વીજ વાયર દૂર કરી સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રખાયું હતું. આ ઘટનામાં ટેલરીંગ નું કામ કરી ગુજરાન ચલાવતા આશરે 38 વર્ષીય પંકજ જશવંતભાઈ ચૌહાણનું દબાઇ જવાથી મોત નીપજ્યું હતું. પરંતુ અન્ય પરિવારજનોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે અન્ય બે ઇસમોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

આ મામલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરાય તેવી માંગ ઉઠી છે.જાણવા મળવા અનુસાર જર્જરીત નર્મદા એપાર્ટમેન્ટના રહિશોને નોટીસો અપાતા ગુજરાત હાઉસીંગ બોર્ડ સાથે પણ ખાલી કરવા મુદ્દે વિવાદ ઉભો થયો હતો. પરંતુ ૧૫ દિવસ અગાઉ જ ગુ.હા.બોર્ડના અધિકારીઓ સાથે થયેલ એક મીટીંગમાં તમામ નર્મદા એપાર્ટમેન્ટના રહિશો એ ખાલી કરવા સંમત થયા હોવાનું જાણવા મળી રયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here