અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48ને અડીને આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં ગત રાત્રીના આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ ગોડાઉનમાં વારંવાર લાગતી આગ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આગની આગ અંકલેશ્વરના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

આ આગની લાગવાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ, GPCBના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here