The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 194

ભરૂચ: અંકલેશ્વરનો કુખ્યાત બુટલેગર ઇદ્રીશ ઉર્ફ ભૈયો શેખ દમણથી ઝડપાયો

  • ભરૂચ એલ.સી.બીના હાથે અલગ-અલગ જીલ્લામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીઓને સત્વરે ઝડપી પાડવા આપેલ સુચના આધારે જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચના માર્ગદર્શન મુજબ જીલ્લામાં દારૂ/જુગાર કેશો શોધી કાઢવા તથા પ્રોહીબિશનના ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ શરૂ કરવામાં આવ્યું હતું.

ભરૂચ એલ.સી.બી.ને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલંન્સથી મળેલ હકિકત આધારે અંકલેશ્વર તાલુકાના કુખ્યાત બુટલેગર ઇલદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખને દમણ મુકામેથી એલ.સી.બી.દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપીની પુછપરછમાં ભરૂચ જીલ્લાના ૩ પ્રોહીબીશનના ગુનામાં તથા વડોદરા ગ્રામ્યના કરજણના ૧ ગુનામાં તેમજ નવસારી જીલ્લાના ચીખલીના ૦૧ પ્રોહીબીશનના તથા સુરત ગ્રામ્ય ના કોસંબા.ના ૦૧ ગુનામાં મળી કુલ ૦૬ ગુનામાં વોન્ટેડ હોવાની હકિકત જણાવી હતી.

પોલીસે આ આરોપી ઇદ્રીશ ઉર્ફે ભૈયો મનુખાં શેખ રહેવાસી. મકાન નં ૨૮૦ પ્રતિષ્ઠા રેસીડેન્સી નવજીવન હોટલ પાછળ, પાનોલી તા.અંકલેશ્વર જી.ભરૂચને મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-, વરના ફોરવ્હીલ ગાડી નં ઉ 16 808 6055 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫,૧૦,૦૦૦/- કબ્જે લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “બી” પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.

ભરૂચ : બાવા રેહાન વિસ્તારમાં મકાનના બાંધકામ દરમિયાન બની ચમત્કારિક ઘટના

  • અચાનક મજાર શરીફ ના દર્શન થતા લોકોમાં કુતુહલ
  • ઘટના બાદ સ્થાનિકો આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી

 

ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન એક ચમત્કારિક ઘટના સામે આવતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જેમાં જ્યારે મકાનનું બાંધકામ માટે ખોદાણ થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક મઝાર શરીફ (કબ્ર) નીકળતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

 ભરૂચના બાવા રેહાન વિસ્તારમાં એક મકાનના બાંધકામ દરમિયાન ખોદકામ કરતી વેળાએ  એક મજાર શરીફ (કબ્ર) દેખાતા ખોદકામ અટકાવાયું હતું. મકાનના નવા કન્ટ્રક્શન બાંધકામ દરમિયાન મજાર શરીફ નિકળ્યાનો વિડિયો વાયરલ થતાં જ અને અચાનક મજાર શરીફના દર્શન થતા લોકો તેમજ સ્થાનિકો કુતુહલ સાથે મોડી રાત્રી સુધી મજારના દર્શને ઉમટ્યા હતા. આ મજાર શરીફ વર્ષો પુરાણું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે.જ્યાં ઉમટેલા લોકોએ આખા મજાર પર ચાદર ચઢાવી દુઆઓ પઢી હતી.

જો કે આ ઘટનાના પગલે સ્થાનિક સહિતનાઓમાં અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. જેમાં આ જગ્યા દરગાહ નજીકની હોય વકફ બોર્ડની માલીકીની જગ્યામાં મકાન બંધાય છે કે કેમ તે અંગે સ્થાનિકોએ તપાસ આરંભતા આખરે દરગાહ નજીક જ આ જગ્યા હોવાનું સામે આવતા અનેક સવાલો ઉભા થયા હતા. શું વકફ ની જગ્યાઓ ઉપર બાંધ કામ થઇ રહ્યા છે ? જેવી બાબતો આ ઘટના કર્મ બાદ થી ચર્ચાનું કેન્દ્ર બની હતી.

ભરૂચમાં સી.પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રો સામે રૂ.૮૫.૮૭ લાખની છેતરપીંડીની ફરિયાદ

  • ઉછીના લીધેલા ૮૫.૮૭ લાખ મિત્રને પરત નહીં આપી છેતરપિંડી આચરી
  • સી ડિવિઝન પોલીસ મથકે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાઈ

ભરૂચ શહેરમાં આવેલા ચુનીલાલ પોપટલાલ જવેલર્સના ભાગીદાર પિતા-પુત્રોએ ઉછીના લીધેલા નાણાં ૮૫.૮૭ લાખ મિત્રને પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભરૂચના મકતમપુરમાં આવેલ ગાયત્રી ફ્લેટમાં રહેતા પંકજકુમાર ઈશ્વર ઉમરીગર જે સુરત મહા નગર પાલિકામાં નોકરી કરે છે. તેઓ પાસે ભરૂચની નામાંકિત જ્વેલર્સ ચુનીલાલ પોપટલાલના ભાગીદાર દિનેશ મુકેશચંદ્ર ચોક્સી,બ્રીજેશ મુકેશચંદ્ર ચોક્સી અને તેઓના પિતા મુકેશચંદ્ર જયેન્દ્ર ચોક્સીએ દેવું ચૂકવવા માટે ઉછીના નાણાંની માંગણી કરી હતી. જેથી પંકજકુમાર ઈશ્વર ઉમરીગરે પોતાના મિત્ર કૃણાલ મિસ્ત્રી, દિપક વસાવા અને મુકેશ રાજપૂત સહિતના અન્ય લોકો પાસેથી લઈ અલગ અલગ રીતે કુલ ૮૫.૮૭ લાખ આપ્યા હતા.

આ ઉછીના નાણા પરત માંગવા લેણદારો પાસે તેમના ઘરે વિઠ્ઠલ પટેલ સોસાયટી ખાતે ગયા હતા. દરમિયાન પિતા-પુત્રોએ નાણાં નહીં હોવાનું જણાવી ભરૂચની ભોલાવ જી.આઈ.ડી.સી.માં આવેલા કેનોઈ મિનરલ વોટર પ્લાન્ટ નોટરી રૂબરૂ વેચાણ કરાર કરી આપ્યો હતો. જોકે, વેચાણ દસ્તાવેજ કરી આપવા વાયદો કરી વેચાણ દસ્તાવેજ નહીં કરી પ્લાન્ટનો કબ્જો પણ સોપ્યો ન હતો. તેમજ ૧૨ કિલોના સોના-ચાંદીના ઘરેણાં અને ત્રણ ચેક આપ્યા હતા. જે સોના-ચાંદીના ઘરેણા નકલી હતા અને ચેક રિટર્ન થતાં તેઓ પોતે છેતરાયા હોવાનું માલૂમ પડ્યું હતું. આ છેતરપિંડી અંગે પંકજકુમાર ઈશ્વર ઉમરીગરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ખાતે પિતા અને બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ૭૩માં પ્રજાસત્તાક પર્વની કરાઇ ઉજવણી

ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાનનાં અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન મન્સુરીનાં વરદ હસ્તે તથા બોર્ડ મેમ્બર અને જાણીતા કેળવણીકાર કે.કે.રોહિતની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો.

સંસ્થાનનાં નિયામક ઝયનુલ આબેદ્દીન સૈયદે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દેશભકિત ગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કે.કે.રોહિત દ્વારા પ્રજાસત્તાક પર્વનો મર્મ સમજાવતા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા અને ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા તૈયાર થયેલ સંવિધાન અને બંધારણ વિષે વિસ્તૃત છણાવટ કરી.સમાજમાં નાગરિક તરીકેનાં પોતાનાં હક્કો અને ફરજો વિષે માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે જે.એસ.એસના સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં જે.એસ.એસનાં હેતલબેન અમિતભાઇ પટેલે સૌને આભાર વ્યકત કયો હતો.

73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ યોજાયો

ભારતના 73 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્કારદીપ વિદ્યાલયમાં ધ્વજારોહણ કાર્યકમ શાળાની પરંપરા મુજબ ધોરણ 10 માં પ્રથમ નંબર આવનાર વિદ્યાર્થીના પિતાના પિતા પ્રકાશ ભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં સંસ્કારદીપ ટ્રસ્ટના અધ્યક્ષ એન.કે નાવડિયા, ટ્રસ્ટ ના માનદમંત્રી  હિતેનભાઈ આનંદપુર તથા ટ્રસ્ટી મંડળ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન  સંકુલ નિયામક સુધા વડગામા અને આચાર્યા દીપ્તિ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષિકા જયશ્રીબેન રાજ્યગુરુએ કર્યું હતું. શાળાના સમગ્ર શિક્ષકોએ આપેલ કાર્યભાર સંભાળીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. તો આ કાર્યક્રમમાં A.I.A Present રમેશભાઈ ખાસ હાજર રહ્યા હતા.

વાગરા:દયાદરા ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે એન.આર.આઈ. સદગૃહસ્થોનું કરાયું સન્માન

દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં વસવાટ કરતા એન.આર.આઈ.મહાનુભાવો નું માદરે વતન ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત તેમજ દેશભકતી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

મૂળ ભારતીય અને વિદેશ થી માદરે વતન પધારેલા એન.આર.આઈ. મહેમાનો ને આવકારતા શાળા ના સિનિયર શિક્ષક મુસ્તાક તાંદરજાવાલા એ વિદેશમાં રહી દેશ પ્રત્યે પ્રેમ આદર અને વફાદારી ધરાવતા મહાનુભાવો ને શાબ્દિક આવકાર આપ્યો હતો.તેઓએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે

તમામ નાગરિકો માટે પ્રજાસત્તાક દિન અતિ મહત્વ નો દિવસ છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે

આખા વિશ્વ માં અનોખું બંધારણ ભારત દેશનું છે.બંધારણ શુ છે તેને સમજવું જોઈએ.બંધારણ ની રક્ષા માટે વિદ્યાર્થીઓ એ આગળ આવવું પડશે.સાથે જ પાયાના શિક્ષણ ને મજબૂત બનાવવા માટે છાત્રો સહિત વાલીઓએ પણ આગળ આવવું પડશે તેમ કહ્યું હતું.વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ શિક્ષણ માં આગળ રહેતી હોય છે તે બાબત ને છાત્રો માટે ચિંતાજનક ગણાવી હતી.આ બાબતે છાત્રોએ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

વિદ્યાર્થીઓ સક્રિય થશે તો સમાજ જાગૃત થશે. વિદ્યાર્થીઓએ કારકિર્દી નું ઘડતર કરવા માટે સખત પરિશ્રમ કરવાની જરૂર છે.શિક્ષણ થકી જ બેરોજગારી દૂર કરી શકાશે,બંધારણ ની સાચવણી અને દેશની રક્ષા માટે સ્વયં પોતાની જાત ની રક્ષા કરવાની તાતી જરૂરીયાત છે.તેઓએ ક્વોલિટી શિક્ષણ મેળવી ઉચ્ચ જીવન ધોરણ થકી સમાજ ને ઉપયોગી થવા આહવાન કર્યો હતો.બંધારણ આજ ના દૌર માં ખતરામાં પડ્યો છે.ત્યારે આપણે જાગૃતિ કેળવી તેની રક્ષા માટે આગળ આવવું જ પડશે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું.આ તબક્કે છાત્રો ને સંબોધતા શિક્ષક ઇલયાસ ચીંથરા એ કહ્યું હતું કે

વિદ્યાર્થીઓ આ દેશના આવતી કાલના નગરિકો છે તેમ જણાવી દેશનું ભવિષ્ય ગણાવતા  હાર્ડ વર્ક અને સ્માર્ટ વર્ક સાથે સારું પરિણામ મેળવવા છાત્રો ને ખાસ અનુરોધ કર્યો હતો. શિષ્ત જીવનમાં અતિ જરૂરી છે. પ્રગતિ નો પાયો અનુશાસન જ છે તેમ કહેવું જરાય ખોટું નથી.માઇક ટાઈશને જીવનમાં થી શિષ્ત ગુમાવતા મહાન બોક્સર ને જેલ ભોગવવા નો વારો આવ્યો હતો.કરોડપતિ માંથી રોડપતિ  બનેલા મહાન બોક્સર ના જીવનમાં એક સ્થિતિ એવી આવી હતી કે તેઓને કોઈ ભાડે ઘર આપવા પણ તૈયાર ન હતું.જેથી જીવનમાં ડીસીપ્લીન સાચવવી ખુબ જ જરૂરી હોવાનું ઇલયાસ ચિથરાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે દયાદરા હાયર સરકન્દ્રી સ્કૂલ ના આદ્ય સ્થાપક અને આજીવન પ્રમુખ મરહુમ હાજી દાઉદ મુસાબાજી ભાઈ ના જીવન ઝરમર પર સંભારણા રૂપે લખેલી કાવ્ય  રચના સફરી દાઉદ પ્રેમીએ રજૂ કરી તેઓ ને ખીરાજે અકિદત પેશ કરી હતી.સાથે જ તેઓએ ગ્રામપંચયત માં ચૂંટાયેલ નવી બોડી ને વાદ વિવાદ વિના ગામને વિકાસ ના પંથે આગળ લઇ જવા ખાસ અપીલ કરી હતી.

દયાદરા એજ્યુકેશનલ સોસાયટી ના પ્રમુખ હાજી શબ્બીર ઘંટીવાલા એ સફરી ભાઈઓ ને આવકાર સહિત સન્માન કર્યો હતો.વધુમાં તેઓના ગ્રામ તેમજ સમાજના વિકાસમાં યોગદાન બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.આ તબક્કે તમામ ને બે મિનિટ ઉભા રહી અલ્હમદુ શરીફ ની સુરત પઢી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા જણાવતા સર્વે એ ઉભા થઇ મરહુમ દાઉદ મુસા બાજીભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે વર્લ્ડ ભરુચી વ્હોરા પટેલ ફાઉન્ડેશન ના પ્રમુખ ઐયુબ વલી અકુજી(ઝાંબીઆ),દાઉદ પ્રેમી,સાદિક પટેલ,દયાદરા ના સરપંચ નફીસા જાવેદ રુડી,શાળા ના ટ્રસ્ટી ઇબ્રાહિમ બાજીભાઈ.મુસ્તાક અકુજી,ઇકબાલ નવીયા

ગ્રામ પંચાયતના સભ્યો ઉપરાંત ગ્રામ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઈમ્તિયાઝ મોદી દ્વારા કરાયું હતું.

ભરૂચ: મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામમાં પ્રજાસત્તાક દિવસ પ્રસંગે પટાવાળા દ્વારા કરાયું ધ્વજવંદન

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે ૭૩માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મન્શી ટ્રસ્ટના સિનિયર પટાવાળા યુનસ મુસા પટેલના વરદ હસ્તે ઘ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દાઉદ મન્શી વિજ્ઞાન પ્રવાહના લેબ આસિ. પૂનમ પઢિયારે ભારતના સ્વતંત્રતા ચળવળના આગેવાનોના બલિદાનોને યાદ કર્યા હતા. તથા આઝાદી અને ગલામી વિશે વકતવ્ય રજૂ કર્યું હતું. તથા મુન્શી ટ્રસ્ટનો વિશેષ આભાર માન્યો હતો. આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટની તમામ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

પ્રજાસત્તાક પર્વની ખુશાલીમાં વિદ્યાર્થીઓને લાડુ વ્હેંચી મોઢું મીઠુ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં હાજી એહમદ મુન્શી આઈ.ટી.આઈ.ના આચાર્ય આરીફ પટેલે આભારવીધી કરી હતી.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના રાજયકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશની આઝાદીમાં ભારતના સપૂતોએ આપેલ બલિદાન ક્યારેય ભૂલી ન શકાય તે માટે સદાય ઋણી રહેશે તેમ જણાવી સ્વાતંત્ર્યવીરોને આદરપૂર્વક શ્રધ્ધાંજલી અર્પી ભરૂચ જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આત્મનિર્ભર ગુજરાત બનવાની દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાત અગ્રેસર બન્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ઊર્જાવાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ‘ટીમ ગુજરાત’ તે જ રફતારથી જન-જનનો વિકાસ કરી રહી છે. નક્કર મનોબળવાળા મુખ્યમંત્રીએ પદને સત્તા નહીં, સેવાનું માધ્યમ બનાવ્યું છે. શિક્ષણ હોઈ કે રોજગાર, કૃષિ હોય કે ઉદ્યોગ, મહિલા સશક્તિકરણ હોય કે યુવા વિકાસ, સિંચાઈ હોય કે પીવાના પાણીની સવલતો, વંચિતો, વનબંધુઓનો વિકાસ હોય કે ગરીબોને આવાસની સવલત હોય વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધિના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.

રાજ્યના પ્રત્યેક નાગરિકને ઘરઆંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે રહે તે માટે રાજ્ય સરકારે કોરોના સંક્રમણ સામે આગવી વ્યવસ્થા ગોઠવી અને આયોજનબધ્ધ પગલાઓ ભરી હોવાની માહિતી આપતાં મંત્રીએ ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ અને વેક્સિનેશનનો બહુપાંખીયો વ્યૂહ અપનાવી કોરોનાને નિયંત્રણમાં રાખવા આપણે વ્યાપક પગલાં લીધાં હોવાનું પણ જણાવ્યું હતું.

દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે આવ્યું છે. ગુજરાતે ઇકોનોમિક ડેવલપમેન્ટ, માનવ સંસાધન વિકાસ, સાર્વજનિક બુનયાદી માળખું અને ઉપયોગીતા, સમાજ કલ્યાણ, ન્યાય અને સાર્વજનિક સુરક્ષાના પાંચ ક્ષેત્રમાં પ્રસંશનીય કામ કર્યુ છે. પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઇજીની સ્મૃતિમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરી રાજ્યના પ્રત્યેક નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓનો લાભ આપવા સાથે નાગરિકોની સમસ્યાઓ નિવારવા રાજ્યભરમાં અનેક પરિણામલક્ષી કામ કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

ધરતીપુત્રોની પડખે સરકાર સદાય ઉભી રહી છે તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, ખેડૂતલક્ષી હિતકારી યોજનાઓની વિગતે માહિતી આપી હતી. તેમણે દરેક આપત્તિઓનો ગુજરાતે મક્કમતાથી સામનો કરીને આપત્તિઓને અવસરમાં પલટાવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

ગુજરાતે તમામ ક્ષેત્રોમાં આગવા આયોજન સાથે અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી હોવાનું જણાવી મંત્રીએ ઉદ્યોગક્ષેત્રે, નારીગૌરવ મહિલા સશક્તિકરણ, ગરીબ-વંચિતોનો સર્વાંગી વિકાસ, ડીજીટલ ગુજરાત, શિક્ષિત ગુજરાત, રાષ્ટ્રીય શિક્ષણનિતી, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલીસી, મિશન સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ, પેપરલેસ દિશામાં એક કદમ – ઈ-સરકાર એપ્લીકેશન, શહેરોને સ્માર્ટ સીટી બનાવવા, શાંત-સલામત અને સુરક્ષિત ગુજરાત, દરેક હાથને કામ મળે અને યુવાનોમાં કૌશલ્ય નિર્માણ થાય, જળ સંચય – જળ વિતરણ – જળ વ્યવસ્થાપન, ઉર્જાવાન ગુજરાત, માર્ગ નિર્માણ સૌને માટે આવાસનું કાર્ય જેવી બાબતોમાં હાંસલ કરેલ સિધ્ધિઓની વિસ્તૃત માહિતી આપી હતી.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ભરૂચ જિલ્લાએ પણ સમગ્રતયા વિકાસના તમામ આયામોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમણે ભરૂચ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા થયેલ કામગીરીની પણ વિગત આપી હતી. અંતમાં ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી પ્રતિબધ્ધ બનીએ… ભારત દેશના ઉજ્વળ ભવિષ્ય માટે ગુજરાત એક સંપૂર્ણ વિઝન પૂરવાર થઇ શકે એમ છે. આ પાવન દિને આપણે સૌ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ બનાવવાની દિશામાં આગળ વધવા માટે સંકલ્પબધ્ધ બનીએ.

આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત તેમજ વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારને પ્રમાણપત્ર આપી મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ વેળાએ મંત્રીશ્રી ધ્વારા પોલીસ પરેડનું નિરીક્ષણ કરાયું હતું. સી.એસ.આર. પ્રોજેક્ટના ભાગરૂપે પખાજણ પી.એચ.સી. માટે એમ્બ્યુલન્સ વાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત મંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો.

આ પ્રસંગે પાત્રતા ધરાવતાં અધિકારી-કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઈન વર્કરોને પ્રિકોશન ડોઝ સહિતના કેમ્પનું આયોજન ધરાયું હતું જેનું નિરીક્ષણ મંત્રી તથા મહાનુભાવો ધ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ મંત્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલ, સંસદસભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ : પૌરણિક નીલકંઠ મંદિરમાં અસામાજિક તત્વોનો આતંક

  • મંદિરના નવનિર્મિત હોલની બારીના કાચ સાથે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા

ભરૂચના અતિપૌરણિક નીલકંઠ મહાદેવ મંદિર વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.ભરૂચના અતિપૌરણિક અને લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના એવા નીલકંઠ મહાદેવ મંદિર સંકુલના નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી કેમેરા અસામાજિક તત્વોએ પથ્થરો મારી તોડી નાખ્યા હતા.

સિદ્ધાર્થ નગર નજીક સેવાશ્રમ હોસ્પિટલની પાછળ આવેલી નીલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ પથ્થરો મારી રાત્રીએ ધારાસભ્ય દુષ્યંત પટેલની ગ્રાન્ટ માંથી નવનિર્મિત હોલની બારીના કાચ અને સીસીટીવી તોડી નાખ્યા હતા. સવારે રાબેતા મુજબ ટ્રસ્ટીઓ વાડીએ પહૉંચતા હોલની ત્રણ બારીના કાચ તૂટેલા નજરે પડ્યા હતા. તો બહારની બાજુએ લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હોવાનું જણાયું હતું. આ બનાવ સંદર્ભે ટ્રસ્ટીઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.

સ્કોર્પિયો કારમાં વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં ચોરી કરવા આવતી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

  • ટોળકીના 3 સાગરીતો બંધ મકાનની રેકી કરતા, પ્રતાપનગરના સોની પાસેથી નર્મદા LCB એ રૂ.૫..૮૦ લાખનું સોનુ કબ્જે કર્યું

સફેદ સ્કોર્પિયો કારમાં આવી વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લામાં બંધ મકાનની રેકી કરી ઘરફોડ ચોરી કરતી ટોળકીના મુખ્ય સૂત્રધારને નર્મદા LCB એ હરિયાણાથી ઝડપી પાડ્યો છે.

નર્મદા જિલ્લા LCB મિલકત સંબંધી અન ડિટેકટ ગુનાઓ શોધી કાઢવા તપાસ ચલાવી રહી હતી. PI પટેલ અને ટીમને સપ્ટેમ્બર મહિનામાં વાવડી વિસ્તારમાં રાત્રી દરમ્યાન કોઇ ગેંગ દ્વારા ઘરફોડ ચોરી કરી હોવાની વિગતો મળી હતી. ગુનાની તપાસ દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ આધારે આ ચોરીના એક શકદારની ઓળખ કરવામાં આવી હતી.

જે શકદાર વડોદરા તેમજ હરીયાણા વિસ્તારમાં અલગ – અલગ જગ્યાએ રહેતો હોય  તપાસ કરતાં આ ચોરી થયા બાદ તે હરિયાણા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી એલ.સી.બી.ની ટીમ હરિયાણાના ફારૂખનગર ખાતે રવાના થઈ હતી. આ શકદારની તપાસ ફારૂખનગર ખાતે બે દિવસ સુધી કરવામાં આવી હતી. દરમ્યાન તેને બજારમાંથી ઝડપી રાજપીપલા લાવવામાં આવ્યો હતો.

રાજપીપલા ખાતે લાવી આરોપી સુંદરસીંગ ઉર્ફે કરનસીંગ વિનોદસીંગ રાજપુત રહે. મારૂતીનગર અલવાનાકા, માંજલપુર વડોદરા મુળ રહે. હરીયાણાએ વાવડી ખાતેની ચોરીની કબુલાત કરી હતી. તેની ટોળકીના અન્ય સાગરીતો સાથે સફેદ કલરની સ્કોર્પીઓ લઇને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.તેની સાથે સહ આરોપી મુકેશ પોપીસીંગ, પોપીસીંગ અને રાજેશ માંગેરામ રહે. હરીયાણા જે તે વિસ્તારમાં બંધ મકાનની રેકી કરી રાત્રી દરમ્યાન ચોરીઓ કરતા. આ ટોળકીએ ભરૂચ જીલ્લાના નેત્રંગ તેમજ વડોદરાના ડભોઇ વિસ્તારના પલાસવાડા ગામે પણ ચોરીની કબૂલાત કરી હતી.

આ ત્રણેવ ઘરફોડ ચોરીમાં મુદ્દામાલ વડોદરા જીલ્લાના વિસ્તારમાં રહેતા તેમને ઓળખતા સોનીઓ જીતેન્દ્ર પંચાલ રહે , કલાલી ફાટક , પાદરા રોડ અને મનોજ શંકરલાલ સોની રહે.એફએફ -૪ , જગન્નાથ કોમ્પલેક્ષ , પ્રતાપનગર રોડને વેંચતા હતા. જે પૈકી આ ચોરીનો મુદ્દામાલ રાખનાર મનોજ સોની પાસેથી ૧૨ તોલાની સોનાની લગડીઓ કિંમત રૂ.૫.૮૦ લાખનો મુદ્દામાલ રિકવર કરાયો છે.

error: Content is protected !!