ભરૂચ: પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ કાર્યક્રમ યોજાયો

0
113

આજરોજ ભરૂચ ખાતે ગુજરાત ભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજપૂત છાત્રાલય પ્રાંગણમાં લોક – જાગૃતિ લાવવાના હેતુસર રસોઈની કરામત દેખાડી હતી , જેમાં અલગ અલગ 20 સ્ટોલ 20 અંધ બહેનોએ અલગ અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ ભરૂચ જીલ્લા શાખા, દ્વારા ભરૂચ અને નર્મદા જીલ્લા અંધ તેમજ અન્ય દીવ્યાંગોના શિક્ષણ, તાલીમ અને રોજગારના કાર્યોમાં સમાજનો બોહળો વર્ગ જોડાઈ તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિઆએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું તક મળેતો દ્ર્ષ્ટી ક્ષતિ સહીત કોઈપણ દિવ્યાંગતા હોય તો પણ વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન અર્થપૂર્ણ રીતે સ્થાપિત કરી શકે છે. સંસ્થાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી ખુમાનસિંહજી વાંસિઆએ અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ પહેલા માનવ છે અને પછી દિવ્યાંગ છે. આપણી ખોટી માન્યતાઓ માંથી બહાર આવી આપણે તેમને શિક્ષણ, તાલીમ અને રોજગારની તક પૂરી પાડી રાષ્ટ્ર નિર્માણમાં જોડવા જોઈએ.

આ પ્રસંગે સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ અને સમાજ સેવિકા વાસંતીબેન દીવાનજીનું ગુજરાત રાજ્ય શાખા દ્વારા સન્માન તેમજ હીરાબા આંખની હોસ્પીટલ, બારેજાના ડૉ.ધર્મેન્દ્ર જૈનાનું ધૃસ્તી ક્ષતિ અટકાવવા માટે તેમના યોગદાન બદલ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું . ભરૂચ શહેરના નગરસેવા સદનના પ્રમુખ અમિતભાઈ ચાવડા,અભેસિંહ રાઠોડ, એરીક શેઠના,અર્જુંનસિંહ રણા સહિતના મહાનુભવો ખાસ ઉપસ્થીત રહી બહેનોએ બનાવેલ વ્યંજનોનો રસાસ્વાદ માણી ખુશી વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here