ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં રામ મહોત્સવમાં અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.
વિશ્વ હિન્દૂ પરિષદ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભરૂચ શહેરના લલ્લુભાઇ ચકલા વિસ્તારમાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવી છે અને રામ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં ચેનલ નર્મદા ડિરેક્ટર નરેશ ઠક્કર,મારૂતીસિંહ અટોદરિયા,પંકજ હરીયાણી,ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ,વિશ્વ હિન્દૂ પરિષદના અજય વ્યાસ,ચિરાગ ભટ્ટ અને કૌશિક જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.