આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રાને વાગરાથી ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કરાવ્યું પ્રસ્થાન(VIDEO)

0
71

દેશની આઝાદીના 75 વર્ષ ની ઉજવણીના ભાગરૂપે ભાજપ સ્થાપના દિવસથી સમગ્ર ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા ચાલી રહી છે. ભરૂચ જિલ્લામાં જાંબુસરથી શરૂ થયેલી યાત્રા વાગરા પહોંચતા ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સવારે યાત્રાને પ્રસ્થાન કરાવી અભિનંદન આપ્યા હતા.

દેશની આઝાદી પાછળ અનેક યુવાનોએ પોતાના જીવની આહુતિ આપી છે. દેશ માટે મોતને ગળે લગાનાર વીર શહીદોની વાતો લોકો સુધી પહોંચે અને દેશના યુવાનો તેમની દેશભક્તિમાંથી પ્રેરણા લે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે. જેના ભાગ રૂપે ભાજપના સ્થાપના દિવસથી ગુજરાતમાં આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા શરૂ થઈ છે.

ભરૂચ જિલ્લા યુવા ભાજપે પણ 6 એપ્રિલના રોજ જાંબુસરના અણખી ખાતેથી યાત્રાની શરૂઆત કરી હતી. જે વાગરા ખાતે પહોંચતા ત્યાં રાત્રી નિવાસ કરાયો હતો. સવારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ યુવાભાજના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત તેમની ટીમના યુવાનોને બિરદાવી યાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. વાગરાથી શરૂ થયેલી યાત્રા વિવિધ ગામોમાંથી પસાર થઇ ભરૂચ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here