નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે કાર્યરત શ્રી નવરંગ વિધામંદિર હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ વિહારીયા અને શિક્ષક મીનાબેન પટેલ,મહેન્દ્રભાઇ વસાવા વયનિવૃતીના કારણે નિવૃત્ત થતાં શાળાપરીવાર ધ્વારા તેમના વિદાય સમારંભના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતું.

જેમાં શાળાના ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે નિવૃત્ત આચાર્ય-શિક્ષકોની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે,આપના પ્રયાસોથી મારા મોરીયાણા ગામના તમામ બાળકો સારૂ શિક્ષણ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવર બનાવવાની દિશામાં આગળ વધ્યા છે.નિવૃત્ત શાળાના આચાર્ય-શિક્ષકોને ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે શાલ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી.નિવૃત્ત આચાર્ય અશ્વિનસિંહ વિહારીયા રૂ.૧૧૦૦૦,નિવૃત્ત શિક્ષક મીનાબેન પટેલ રૂ.૧૧૦૦૦ અને મહેન્દ્રભાઇ પટેલે રૂ.૫૦૦૦૦ શાળાના વિકાસ માટે દાનમાં આપતા વિધાર્થીઓ આભાર વ્યકત કયૉ હતો.સાથેસાથે ધો.૧૦-૧૨ની બોડઁની પરીક્ષા આપનાર વિધાર્થીઓને પણ વિદાય આપવામાં આવી હતી.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here