The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસર : કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અન્વયે તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હોવાના તથા આ અભિયાન દરમ્યાન અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકા ના ઉચ્છદ ગામ સ્થિત પીજીપી ગ્લાસ પ્રા લી તેના સીઆરએસ પ્રોજેકટ અંતર્ગત જુદી જુદી સામાજીક એકટીવીટી કરી રહી છે. પીજીપી ગ્લાસ ના સીઆરએસ પ્રોજેકટ ચેરમેન હરવિન્દરસિંગ સૈની દ્વારા જંબુસર તાલુકા ના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ ખાતે ગતરોજ તા ૧૨ મી એ દરિયા ના પટ મા તથા સ્તંભેશ્ર્વર તીર્થ સ્થાને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. આ સ્વચ્છતા અભિયાન મા હરવિન્દરસિંગ સૈની સહિત કંપની ના ૫૦ ની વધુ કર્મચારીઓ જોડાયા હતા. અને તેઓએ દરિયા પટ મા તીર્થ ખાતે સફાઇ અભિયાન હાથ ધરી અંદાજે ૮૦૦ કિલો જેટલો પ્લાસ્ટીક નો કચરો એકત્ર કરી તેનો નિકાલ કર્યો હતો. આ ઉપરાંત પીજીપી ગ્લાસ કંપની દ્વારા સીઆરએસ પ્રોજેક્ટ અંતર્ગત સ્તંભેશ્ર્વર તીર્થ ખાતે કચરો એકત્ર કરવા જુદાજુદા સ્થળો ઉપર ડસ્ટબીન મુકવા મા આવેલ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!