• એક સાથે 19 ગામોમાં વિનામૂલ્યે આયુષ્યમાંન કાર્ડ કાઢવા ધારાસભ્યની 19 ટીમો કાર્યરત

એકાત્મ માનવવાદના હિમાયતી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ વાગરા વિધાનસભા ક્ષેત્રના અંતરિયાળ ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આયુષ્યમાન કાર્ડ વિનામૂલ્યે મળી રહે તે માટે બીજા તબક્કાના કાર્યક્રમની શરૂઆત ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા કરવામાં આવી હતી.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે ભારતીય જનસંઘના પાયાના આગેવાન. જેમની એકાત્મ માનવવાદની વિચારધારાને આજે પણ ભારતીય જનતા પાર્ટી અનુસરે છે.11 ફેબ્રુઆરી એટલે અંત્યોદય (ગરીબ) લોકોના કલ્યાણ માટે સતત ચિંતિત એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ. વાગરાના ધારાસભ્યએ સરકારની મહત્વપૂર્ણ અને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો માટે આશીર્વાદરૂપ આયુષ્યમાંન કાર્ડ યોજનાને આ દિવસે ઘરઘર સુધી પહોંચડવાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમની 19 ટીમોએ તંત્રના સહયોગમાં 19 ગામોમાં એક સાથે આયુષ્યમાંન કાર્ડ કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here