The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 81

ભરૂચ શ્રવણ વિદ્યાધામ ખાતે પર્યાવરણ ક્વિઝ યોજાઇ

ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ ક્વિઝ યોજવામાં આવી હતી.

આ ક્વિઝમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ ચાર ટીમ બનાવવામાં આ ક્વિઝ માં વિદ્યાર્થીઓને પર્યાવરણના વિષય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા.આવી સ્પર્ધામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ,નિર્ણય શક્તિ તથા પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ગુણોનો વિકાસ થાય છે અને વિદ્યાર્થી કાર્ય કરવા પ્રેરિત થાય છે.આ સ્પર્ધામાં મણિકર્ણિકા હાઉસ વિજેતા બનતા શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ડંમ્પિગ સાઇટ મુદ્દે ભરૂચ પાલિકા પુન: વિવાદમાં!

ભરૂચ નગર પાલિકા સફાઇ અને કચરાના નિકાલ મુદ્દે વારંવાર વિવાદોમાં જોવા મળી રહી છે.ભરૂચ નગર પાલિકામાં સબ સલામત ના દાવાઓ વચ્ચે ખુદ પાલિકા કર્મીઓ જ અસમંજશ માં પોતાની કામગીરી કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.એક તરફ મૃત પશુઓના નિકાલ કરવાની કામગીરી ઠપ પડી છે. તો બીજી તરફ પાલિકા જ્યાં કચરો નાખવાનું વિચારે ત્યાં વિવાદો ઉભા થઈ રહ્યા છે,જે તે સ્થળે ઉભી કરવામાં આવતી ડંમ્પિગ સાઇટો જાણે કે પાલિકા માટે આજે પણ માથા ના દુખાવા સમાન બની છે.

પાલિકાએ ડંમ્પિગ સાઇટ ના અભાવે પાલિકા એ થોડા વખતો પહેલા ભરૂચ ના જે બી મોદી પાર્ક પાસે હંગામી ડંમ્પિગ સાઇટ જોરશોરથી ચાલુ કરી હતી. પરંતુ ત્યાર બાદ ડંમ્પિગ સાઇટ આસપાસ વસવાટ કરતા સ્થાનિકોએ તેઓના વિસ્તારમાં આ સાઇટ થી ખૂબ દુર્ગંધ અને કચરા જેવી બાબતોની તકલીફ જણાવી ત્યાંથી આ ડંમ્પિગ સાઇટ હટાવી લેવા માટે વિરોધ કર્યા બાદ પણ પાલિકા એ ત્યાં કચરા ભરેલા પોતાના વાહનો ઠાલવવા ની પક્રિયા ચાલુ રાખતા સ્થાનિકોમાં આજે પણ તે ડંમ્પિગ સાઇટ નો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ થોડા સમય પહેલા પાલિકા દ્વારા ડંમ્પિગ સાઇટ ને કંથારીયા અને થામ ગામની સીમમાં ખસેડી હતી અને ત્યાં સમગ્ર શહેર નો કચરો ઠાલવવાની કામગીરી બિલાડી પગે શરૂ કરી હતી પરંતુ ત્યાં ના સ્થાનિકોએ પણ હવે તેઓના વિસ્તારમાં દુર્ગંધ મારતા કચરા ને ઠાલવવા માં આવતા પાલિકા સામે બાંયો ચઢાવી છે. તેઓના વિસ્તાર માંથી આ ડંમ્પિગ સાઇટને હટાવવા માં આવે તેવી માંગ કરતા હાલ પાલિકા ના માથે થી આ ડંમ્પિગ સાઈટ નું ભૂત ક્યારે પીછો ન છોડશેની વાત ચર્ચાનું કેન્દ્ર બની છે.

જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસી જતાં ૧ યુવાનનું ડૂબી જતા મોત

જંબુસર નગરના નાગેશ્વર તળાવે ફરવા ગયેલ ત્રણ મિત્રો પૈકી એકનું પગ લપસતા તળાવમાં ડૂબવાના પગલે કરૂણ મોત નિપજ્યું હતું.

આ ઘટનામાં જંબુસરના નાગેશ્વર તળાવ પાસે બપોરે એક દોઢ વાગ્યાના આસપાસ ત્રણ મિત્રો ફરવા ગયા હતા. દરમિયાન ત્રણ પૈકી એક અબ્દુલ અનીસ શેખનો પગ લપસી જતા તળાવમાં પડતાની સાથે ઊંડાણમાં ઉતરી જતા બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ યુવકની શોધખોળ કરી હતી. આશરે ૧ કલાકની મેહનત બાદ સ્થાનિકોની મદદથી આ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને જંબુસર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તઈબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક આશાસ્પદ યુવાનના અચાનક મોતના પગલે પરિવાર સહિત મિત્રવર્તુળમાં ગમગીની છવાઇ હતી. આ યુવક જંબુસર ના પઠાણી ભાગોળનો રહેવાસી હતો અને યુવકની ઉમર આશરે 20 એક વર્ષની હતી તેવું જાણવા મળ્યું છે. હાલમાં તો પોલીસે અકસ્માત મોત નોંધી મૃતકની લાશનો કબ્જો મેળવી પી.એમ. અર્થે ખસેડી છે.

ભરૂચ ભોલાવ ડેપોની સ્થીતિ આજે પણ યથાવત : બસને મારવા પડયા ધક્કા!

ભરૂચ જિલ્લામાં આવેલ ભરૂચ સ્થિત ભોલાવ ડેપો માં દિવસ અને દિવસે પરિસ્થિતિ બગડતી જાય છે. જ્યાં જુઓ ત્યાં ખાડા અને કાદવ કિચડનું સામ્રાજ્ય છે.આ અગાઉ વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવવ્યું હતું.

ત્યાર બાદ નજીકના દિવસોમાં જ એક એસ.ટી. બસ કાદવમાં ડેપોમાં જ ફસાતા વિદ્યાર્થીઓએ ધક્કા મારવા પડ્યા હતા. ડેપોની સ્થીતિ આજે પણ યથાવત રહેતા આજરોજ બપોરે પણ આ જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. આજે પણ એક બસ કાદવમાં ફસાઈ જતા વિદ્યાર્થીઓને મુસાફરોએ બસને કાદવ-કિચડમાં ઉતરી ધક્કા મારી અને મહા મહેનતે બહાર કાઢી હતી.

આ અંગે વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઇના પ્રમુખ યોગી પટેલ સાથેની વાતચીતમાં તેમણે ખૂબ જ ટૂંક સમયમાં  NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓની સમસ્યાનો અંત લવશેનું જણાવ્યું હતું.

ભરૂચ જિલ્લા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન અને દેખાવોમાં પી.એમ. અને સી.એમ. ના પોસ્ટર ઉપર ફેંકી શાહી

  • 8 કાર્યકરોની અટકાયત

ભાજપ સરકારના ઈશારે એન્ફોર્સમેન્ટ ડાયરોકટરેટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધીની ખોટી હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે રાજ્યભરમાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજ્યા હતા.

જેના ભાગરૂપે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષા સામે નેશનલ હેરાલ્ડ કેસમાં કેન્દ્ર સરકાર ED, સીબીઆઈ સહિતની એજન્સીઓનો દુરુપયોગ કરી રહી હોવાના સુત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસે આજે કલેકટર સંકુલ ગજવી દીધું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ, શહેર, યુવા, મહિલા, એન.એસ.યુ.આઈ. સહિતે પોસ્ટર, બેનરો અને પ્લે કાર્ડ સાથે કલેકટર કચેરીમાં ધામાં નાખ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પોસ્ટર ઉપર શાહી ફેંકાતા વાત વકરી હતી અને જેથી 8 કોંગીઓની અટકાયત કરવામાં આવી છે.

કલેકટર કચેરીના પગથિયે જ બેસી ભાજપ, કેન્દ્રની મોદી સરકારનો ભારે હુરિયો બોલાવવામાં આવ્યો હતો. સાથે જ કલ લડે થે ગોરો સે, હમ લડગે ચોરો સે, ભાજપ હમશે ડરતા હે પોલીસ કો આગે કરતા હે’ સહિતના વિવિધ સુત્રોચ્ચારો કરી ભારે દેખાવો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના કેન્દ્રની ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં કલેકટર કચેરીએ લગાવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પોસ્ટર ઉપર શાહી ફેંકાતા વાત વણસી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસે વિરોધ કરી રહેલા 8 કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિક્કી શોખી, શકીલ અકુજી, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જિલ્લાના ખેડુતો રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવા વગરની પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, ભરૂચ, આત્મા પ્રોજેક્ટ અને પીઆઇ ફાઉન્ડેશન, જંબુસરના સંયુક્ત પ્રયાસથી “કૃષિ ઉત્કર્ષ પહેલ”ની શરૂઆત કરવામાં આવી હતી.

ભરૂચના  વિવિધ ગામમાંથી ૨૫ સરપંચોને તથા ખેતી કરતાં ખેડૂતોને આમંત્રિત કરી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં આમંત્રિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતી વિશેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી આયામોનું લાઇવ ડેમોંસ્ટ્રેશન કરી બતાવવામાં આવે છે.

જે અનુસંધાને ૨૧ જૂલાઈ ૨૦૨૨, ગુરૂવાર, સાંજે “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત રાત્રીસભાનું આયોજન ભરૂચ તાલુકાનાં મહેગામ ખાતે કરવામાં આવ્યું હતું. રાત્રીસભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેકટ ડાયરેકટર, સીએસઆર નોડલ અધિકારી, ખેતીવાડી શાખાના અન્ય અધિકારીઓ, સરપંચ અને અંદાજિત ૬૫ ગામના પ્રગતિશીલ ખેડૂતો હાજર રહીને રાત્રીસભામાં સક્રિયપણે ભૂમિકા ભજવી હતી.

રાત્રીસભામાં જિલ્લા કૃષિ વિભાગના અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતીની મહત્તા આમંત્રિત ખેડૂતોને સમજાવી જીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, વાફસા, બ્રહ્માસ્ત્ર, હ્યુમસ વગેરે બાબત અંગેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આત્મા પ્રોજેકટ ડાયરેકટર દ્વારા વિવિધ દ્રષ્ટાંતો થકી પ્રાકૃતિક ખેતીને અપનાવવા અંગેની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, હાજર રહેલ મહત્તમ ખેડૂતમિત્રોએ હાલમાં અનુભવેલ ખેતીને લગતી સમસ્યાઓ અને મૂંઝવણભર્યા પ્રશ્નો આમંત્રિત અધિકારીઓ સમક્ષ પૂછી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિશેષમાં, “કૃષિ ઉત્કર્ષ પહેલ” અંતર્ગત પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સમયાંતરે વિશિષ્ટ તાલીમ થકી માર્ગદર્શન મેળવવા ઇચ્છુક ખેડૂતમિત્રોને પોતાના નામ નોંધાવવા અંગે જણાવવામાં આવ્યું હતું.

જે એસ એસ ભરૂચ અને નહેરૂ યુવા કેન્દ્રના સંયુકત ઉપક્રમે સ્વછતા ઝૂબેશનો કાર્યક્રમ યોજાયો

આઝાદીકા અમ્રુત મહોત્સવ હેઠળ ભારત સરકારની ગાઈડલાન્સ મુજબ ભરૂચ જિલ્લામાં જન શિક્ષણ સંસ્થાન દ્વારા સ્વછતા પખવાડિયું ઉજવાઈ રહેલું છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના હેરિટેજ વિસ્તાર કોટ પારસીવાડ ખાતે જેએસએસના તથા નહેરૂ યુવા કેન્દ્રના સભ્યો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આસપાસના રહીશોને સ્વછતા અને સફાઈ અંગે સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જેએસએસ ભરૂચના નિયામક ઝૈનુલ સૈયદના માર્ગદર્શન હેઠળ જેએસએસના ફિલ્ડ અને લાઈવલી હૂડ કોઓર્ડિનેટર ક્રિષ્નાબેન કઠોલીયા અને નહેરૂ યુવા કેન્દ્રના યુથ કોઓર્ડિનેટર દિવ્યજીતસિંહ ઝાલાના નેતૃત્વમાં તમામ સભ્યોને કામગીરી પાર પાડી હતી.

રાજપારડી પંથકના ૭ ગામોના લોકોને ગુનાખોરીથી બચવા પોલીસ દ્વારા કરાયા જાગૃત

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પંથકમાં સુરક્ષા સેતુ રથનુ આગમન થતા લોકો દ્વારા આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ સુરક્ષા સેતુ રથ ભરૂચ જીલ્લામાં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જાહેર સ્થળો,શાળાઓમાં ફરીને લોકોને પોતાની સુરક્ષા અંગે જાગૃત કરાયા.

સુરક્ષા સેતુ રથની સાથે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.જી.આઇ.રાઠોડે જોડાઇને રાજપારડી,અવિધા,જુનાપોરા,માલજીપુરા,વિગેરે ગામોમાં પહોચી લોકોને  જણાવ્યું હતુ કે ઓનલાઇન ચેટીંગ દરમિયાન યુવતીઓએ પોતાનો ચેહરો દર્શાવવો નહિ,અજાણી વ્યક્તિ દ્વારા ઠંડા પીણા,બિસ્કીટ લેવાનુ ટાળવુ જોઇએ,લોભામણા ઇમેલ કે એસ. એમ. એસ.નો કોઇ રિપ્લાય આપવો નહિ,મોબાઇલ ફોન પર લીંક દ્વારા રૂપિયા જમાં થયા તેવા મેસેજો પર ધ્યાન આપવુ નહિ,ઓનલાઇન સાઇટ પરથી જુની પુરાણી વસ્તુઓ પાકા બીલ વગર ખરીદવી નહિ,એ.ટી.એમ.કાર્ડ તેમજ ઓનલાઇન બેંકિંગના પાસવર્ડ સાર્વજનિક કરવા નહિ,વાહનોના અકસ્માત નિવારવા વાહન હંમેશા ગતિ મર્યાદામાં હંકારવુ જોઇએ.

ફોર વ્હિલ કારમાં હંમેશા સીટ બેલ્ટ બાંધવો જોઇએ,બાઇક મોપેડ પર હંમેશા હેલ્મેટ પેહરી બહાર જવુ જોઇએ,રાત્રી દરમિયાન મુસાફરી કરતી વખતે આપણે હંકારતા વાહનની ડીમ લાઇટનો ઉપયોગ કરવો જોઇએ જરુર જણાય ત્યારેજ ફુલ લાઇટનો ઉપયોગ કરવો,પ્રવાસ દરમિયાન અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત દરમિયાન સાવધ રહેવુ જોઇએ જેવી લોકોની સુરક્ષાને લગતી માહિતી સુરક્ષા સેતુ રથમાં બેસાડેલ એલ.ઇ.ડી.સ્ક્રિનના માધ્યમથી પોલીસ દ્વારા લોકોને આપવામાં આવી હતી.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

દહેજના કડોદરા નજીકની વિલોવુડ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ

દહેજ પંથકના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે કામદારોમાં ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

જોકે ઘટના અંગેની જાણ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના બે થી વધુ બંબા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને તાત્કાલિક ધોરણે કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના દહેજ પંથકમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં છાશવારે અકસ્માતે આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, છેલ્લા એક સપ્તાહમાં દહેજ પંથકમાં આગ લાગવાની આજે બીજી ઘટના સામે આવી હતી. જોકે કંપની કર્મચારીઓની સમય સુચકતાના કારણે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

જંબુસર પાલિકાના નિષ્ફળ વહીવટ મુદ્દે અપાયું પ્રાંત અધિકારીને આવેદન

જંબુસર કોંગ્રેસ અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે એકત્ર થયાં હતાં જ્યા પ્રાંત અધિકારી એ કે કલસરીયાને આવેદનપત્ર અપાયું હતું.

જેમાં જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં  હિન્દુ મુસ્લિમ તહેવારો આવતા હોઇ જનતાની આવશ્યક સેવાઓ તાકીદે વ્યવસ્થા કરવા જણાવ્યું તથા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરો ઉભરાય છે અને સરેઆમ રસ્તાઓ પર ફેલાતા દુર્ગંધ ફેલાવે છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.કુંડીના ઢાંકણા તૂટી ગયેલા તથા અમુક કુંડીઓના ઢાંકણાં નથી,સાફ સફાઈ ન થવાને કારણે અલગ અલગ વિસ્તારોમાં કચરાના ઢગલા છે,પાણી પુરવઠો ખુબ જ ઓછા પ્રમાણમાં અનિયમિત રીતે પૂરો પાડવામાં આવે છે.ગટરો ઉભરાવાને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી મિક્સ થઈ ઘરોમાં આવે છે.

આ સહિત છેલ્લા છ વર્ષમાં સ્ટ્રીટલાઈટના કામે કરોડો રૂપિયાની ઇલેક્ટ્રિક સામાનની ખરીદી થઈ છે  છતાંય શહેરમાં પૂર્ણ રીતે સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા નથી પાલિકા સત્તાધીશો દ્વારા આવશ્યક સેવાના કામો પ્રત્યે આંખ આડા કાન કરી જવાબદારીમાંથી છટકવા તથા વહીવટ ગેરવલ્લે પાડી કામગીરી નહી કરી જનતા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યાં છે.જો આ કામો તાત્કાલિક નહીં કરવામાં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાની અને પાલીકાને તાળાબંધી કરવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારી હતી.આવેદનપત્ર આપવા યુથ કોંગ્રેસ પ્રમુખ શહેર પ્રમુખ સહિત કાર્યકરો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર
error: Content is protected !!