The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 38

ભરૂચમાં માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ભવ્ય ઉજવણી

– લીંકરોડ મોઢેશ્વરી દેવસ્થાનથી દાંડિયાબજાર અંબાજી મંદિર સુધી નીકળેલી 22મી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું

– સવારે માતાજીની સાલગીરા નિમિતે કેક કાપવામાં આવી, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા

ભરૂચમાં કુળદેવી માતંગી શ્રી મોઢશ્વરી માતાજીના પાટોત્સવ નિમિતે 22 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.ભરૂચ મોઢ મોદી સમાજ સંચાલિત શ્રી મોઢેશ્વરી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ દ્વારા આજે શુક્રવારે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. લિંક રોડ ઉપર સ્થિત દેવસ્થાન ખાતે સવારે આરતી બાદ માતાજીની સલગીરા નિમિતે સમાજના વરિષ્ટ આગેવાનો  દ્વારા કેક કાપવામાં આવી હતી.

સાંજે 4 કલાકે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિરેથી માતાજીના પાટોત્સવ નિમિતે 22 મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શણગારેલા ભવ્ય રથ ઉપર માતાજીને બિરાજમાન કરી ફુલવર્ષા અને ડીજે તેમજ આતશબાજી વચ્ચે શોભાયાત્રા શક્તિનાથ, પાંચબત્તી, સોનેરી મહેલ થઈ દાંડિયા બજાર પહોંચી હતી. જ્યાં મહાઆરતી ઉતારવામાં આવી હતી. શોભાયાત્રા, મહાઆરતી, દર્શન અને પૂજનમાં મહાનુભવો, સમાજના અગ્રણીઓ, અલકેશ દુધવાળા, સંજય ત્રાલસાવાલા, જયેશ દુધવાળા,રમેશ મોદી, પ્રદીપ તાપિયાવાલા, ભૌતિક ખૂંધાવાલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જન્મદિવસ નિમિત્તે કર્યું ગૌપૂજન

ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ તેમનો 55 મો જન્મદિવસ સેવા એ જ સમર્પણના પક્ષના આદર્શ તેમજ વિચારધારા મુજબ જરૂરિયાતમંદો તેમજ વંચિતો સાથે દિવસભર વિવિધ કાર્યકમો થકી જન્મદિવસ ઉજવ્યો હતો.

જન્મદિવસની શરૂઆત ભરૂચના પાંજરાપોળ ખાતે ગૌપૂજનથી કરી હતી.ધર્મપત્ની અને પરિવાર સાથે ગાય માતાનું પૂજન, અર્ચન કરી ગૌમાતાને ઘાસચારો ખવડાવ્યો હતો. પાંજરાપોળ ખાતે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નિનાબા યાદવ, મંત્રી નિશાંત મોદી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ચિરાગ ભટ્ટ, સુરભીબેન તમાકુવાલા સહિતના ભાજપના આગેવાનો, નગરસેવકો અને શુભચિંતકોની ઉપસ્થતિ વચ્ચે કેક કાપી હતી.

ત્યારબાદ નવાડેરા દત્ત મંદિર ખાતે પૂજન અને સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા હતા. સોનેરી મહેલ ખાતે જરૂરિયાતમંદોને જન્મદિન નિમિતે મારુતિસિંહ અટોદરિયાએ અન્ય મહાનુભવોની હાજરીમાં અકસ્માત વીમો અને ઇન્સ્યોરન્સનું વિતરણ કર્યું હતું.સાથે ભોલાવ ખાતે યુવા મોરચા આયોજિત સેવાકીય પ્રવૃત્તિને આગળ વધારતા કીટ વિતરણના કાર્યકમમાં તેઓ જોડાયા હતા. બપોરે ચિલ્ડ્રન હોમના બાળકો સાથે જિલ્લા પ્રમુખે જન્મદિવસ ઉજવી તેઓને ભોજન કરાવ્યું હતું અને જરૂરી ચીજવસ્તુઓનું આ બાળકોને વિતરણ કર્યું હતું. જે બાદ બપોરે દુબઇ ટેકરી મહાદેવ મંદિર ખાતે યુવા મોરચા તેમજ 7X ગ્રુપ દ્વારા તેમના જન્મદિને આયોજિત મેડિકલ કેમ્પમાં લાભાર્થીઓને માં કાર્ડનું વિતરણ કર્યું હતું.

અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસુલી કર્યો કેસ!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે. તેઓએ અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન પાસેથી 5.78 લાખ વ્યાજે લીધાં હતાં. પુરોહિત પરિવારે જમીન પર લોન લઇને પરેશ અમીનને 9 લાખ ચુકવી દીધાં હતાં. જે બાદ પણ પરેશે રૂપિયાની માગણી ચાલુ રાખતા પરિવાર ભયમાં આવી ગયો હતો.

​​​​​​​કોરોના દરમિયાન 5 મી મે 2022 ના રોજ ચેકમાં 30 લાખ લખીને ચેક બાઉન્સ કરવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરી દીધો હતો. જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ 26 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તારીખ પર પેરાલિસિસ વાળા પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભરૂચી નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. આ બનાવ અંગે પરેશ અમીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ દ્વારા ખાનગી મકાનમાં ઓફિસ શરૂ કરવા બાબત 5 ગામના લોકોએ નોંધાવ્યો વિરોધ

ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાંચ જેટલા ગ્રામજનોએ આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી જીએમડીસી દ્વારા પડવાણીયા ખાતે સંભવિત જમીન સંપાદન કરવાના હેતુ માટે ખાનગી જમીનમાં ઓફિસ ભાડે રાખવામાં આવતા પડવાણીયા, ડમલાઈ, દરિયા, પીપળીપાન તથા ગુલીયા ફરિયાના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા ઉપસ્થિત રહી વિરોધ સાથે આવેદનપત્ર અપાયું છે.

આવેદનપત્રમાં ગ્રામજનોએ જણાવ્યું કે તેમના વિસ્તારમાં જીએમડીસી રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ કાર્યરત છે અને હાલ નવો પ્રોજેક્ટ મોજે આમોદ, ડમલાઈ, મોરણ, પડાલ, પડવાણીયા અને શિયાલી જિલ્લો ભરૂચના વિવિધ સર્વે બ્લોક નંબરોમાં કુલ ૧૪૦૦ હેક્ટર આરે ચોરસ મીટર વિસ્તારમાં લિગ્નાઇટ ખનીજ ની માઇનિંગ લીઝ માટે તા. ૫.૨.૨૨ ના રોજ કલેકટર તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દ્વારા આ અરજી અનુસંધાને પ્રોજેક્ટ માટે મહેસુલી અભિપ્રાય આપવા પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે માંગણી કરેલ હતી, આ માગણી સંદર્ભે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ જમીન સંપાદન ન થાય તેવો તા.૨૫.૨.૨૨ ના રોજ ઠરાવ કરવામાં આવેલ હતો.

વધુમાં તેમણે પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભામાં જમીન સંપાદન ન થાય તેવા ઠરાવો થયેલા છે છતાં આવા ઠરાવની અવગણના કરી જીએમડીસી દ્વારા ઓફિસ કાર્યરત કરેલ છે, જે ઓફિસ બંધ કરવા તેમજ લિગ્નાઈટ પ્રોજેક્ટ માટેની કોઈપણ કામગીરી ન કરે તે બાબતની યોગ્ય કારી કરવા ઝઘડિયા પ્રાંત અધિકારી સમક્ષ પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા ખેડૂતોએ રજૂઆત કરી છે. આવેદનપત્ર આપવા માટે પાંચે ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો તથા ખેડૂતો ઝઘડિયા સેવાસદન ખાતે ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

વર્ષ 2022ની શ્રેષ્ઠ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મેળવતા ભરૂચ કલેકટર તુષાર સુમેરા

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે.

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી 2012 બેચના અધિકારી ડૉ. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે.તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.

વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત તેમણે જૂન 2022માં ‘માય લિવેબલ ભરૂચ’ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે.આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

વર્ષ 2022માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.

ભરૂચના લક્ષ્મીનગર વિસ્તારમાંથી જુગાર રમતા ૭ ખેલી 53 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભરૂચ એલસીબીએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગરમાં આવેલા રહેંણાક મકાનમાંથી 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવ હેઠળ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે પટેલ વેલ્ફેર હોસ્પિટલની સામે આવેલ લક્ષ્મીનગરમાં આવેલ રહેંણાક મકાનમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડયા હતા. પોલીસના દરોડાને પગલે જુગારીયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.

પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, મોબાઈલ ફોન સહિત રોકડ મળી કુલ રૂ. 53 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે જુગારી ઇસ્માઇલ ઉર્ફે રાજુ બાલુશા દીવાન, રહીમ નુરમહંમદ શેખ, નુરમહંમદ મલેક, ઉમરૂદીન શેખ, રહેમતુલ્લા શેખ, નજીર પટેલ, રાશિદખાન પઠાણને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં પોલીસની ઓળખ આપી છેતરપિંડી આચરનારી ગેંગ ઝડપાઈ

  • 5 શખ્સો સાથે 61 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

ભરૂચ એલસીબીએ આમોદમાંથી પોલીસની ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરનારી ગેંગના 5 આરોપીઓને 16.61 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં એક ઈસમે આમોદના આછોદ ગામે પ્લાસ્ટીકના દાણા બનાવતી કંપનીમાં માલિક સાથે ઓળખાણ છે અને સસ્તા ભાવે મળશે એવું કહ્યું હતું. ત્યારબાદ આરોપીએ તેને નાણાકીય વ્યવહાર અર્થે ઘરે બોલાવ્યો હતો. દરમિયાન અન્ય ચાર ઈસમોએ ત્યાં આવી પોલીસની ખોટી ઓળખ આપી ફરિયાદી પાસેથી 15 લાખની રોકડ તથા ચેક પડાવી લીધા હતા. છેતરપિંડી અંગે ફરિયાદીએ આમોદ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી.

​​​​​​​​​​​​​​ફરીયાદ બાદ આમોદ પોલીસની ચાર ટીમ તથા ભરૂચ એલસીબીએ કુખ્યાત ગેંગને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આમોદ તાલુકાના આછોદ ગામે દરોડા પાડયા હતા. પોલીસે સ્થળ પરથી 10 મોબાઈલ ફોન સહિત 15.60 લાખ રોકડ મળી કુલ 16.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે છેતરપિંડી આચરનારા કચ્છના ખાલિદ ઉર્ફે જાનુ યાકુબ શીરૂ, આમોદના ઈમ્તિયાઝ ઉર્ફે દેડકો અહેમદ પટેલ, આમોદના હનીફ નિઝામ પઠાણ, આમોદના મહેબૂબ મલેક અને આમોદના સાજીદ ઉર્ફે શકિલ અહેમદ ઈદ્રિશીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આમોદના પ્રકાશ પ્રજાપતિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આમોદ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

આમોદ વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા વિવિધ પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીને તાત્કાલિક સારવાર મળે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ તાલુકાની શાળાઓમાં ચાઈનીઝ સિન્થેટિક તેમજ કાચ પીવડાવેલી દોરી નહીં વાપરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

કરુણા અભિયાન અંતર્ગત આમોદ વન વિભાગની કચેરી તેમજ પશુ દવાખાનામાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં પતંગની દોરીથી પીડિત પક્ષીઓની સારવાર કરવામાં આવશે તેમજ બચાવવા મદદ કરશે.આ પ્રસંગે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ,ફોરેસ્ટર વી.બી.પંડ્યા તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતાં.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી સફળ

ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર દહેગામ નજીકથી મુંબઈ-દિલ્હી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ગુડ્ઝ ટ્રેનના ટ્રેકની કામગીરી ચાલી રહી છે. આ સ્થળે ગુરૂવારના રોજ ગડર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે ગુરૂવારે સવારે 9.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

ભરૂચ-દહેજ સ્ટેટ હાઇવે ઉપર સતત ભારે ટ્રાફિકના 24 કલાક ભારણને લઈ દિલ્હી-મુંબઈ ફ્રેઇટ કોરિડોરના ગડર બેસાડવામાં અડચણ આવી રહી હતી. ટાટા ગ્રુપની એક્સપ્રેસ ફ્રેઇટ કન્સોર્ટિયમને ગુડ્ઝ ટ્રેનના ત્રીજા ટ્રેક માટે પ્રોજેકટ મળ્યો છે. જેના દ્વારા ભરૂચ-દહેજ રોડ ઉપર દહેગામ નજીક ગડર બેસાડવાની કામગીરી તારીખ 12મીને ગુરૂવારના રોજ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ઓપન વેબ સ્ટીલ ગર્ડર્સ (OWG) જેમાં પ્રત્યેક 36 મીટરનો ગાળો અને 200 MT વજન ધરાવતા મેજર રોડ અંડર બ્રિજ (RUB) માટે – 64 ઓવર ભરૂચ – દહેગામ ખાતે WDFC એલાઈનમેન્ટ પર દહેજ રોડ પર ગુજરાતના ભરૂચ જિલ્લામાં ભારતીય રેલ્વે દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયું હતું.

વડોદરામાં સહજાનંદી સંતોમાં ઉત્તરાયણ પર્વની ઝોળી ફેરવવાની વિશેષ પરંપરા

ઉત્તરાયણ એ સમગ્ર ભારતીયોનો માનીતો યુગોથી ઉજવાતો તહેવાર છે. સૂર્યનો ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી આ પર્વને મકરસંક્રાંતિ કહે છે. વળી, સૂર્ય પૃથ્વીની આસપાસની ભ્રમણની દક્ષિણ દિશા બદલી ઉત્તર તરફ ગતિ કરે છે, એટલે આ પર્વને ઉત્તરાયણ પણ કહે છે. આંખના પલકારાના ૧૦૦માં ભાગ જેટલા અલ્પ સમયમાં આ સંક્રાતિ થાય છે. સૂર્યનું અન્ય રાશિઓમાં ભ્રમણ ચાલુ જ હોય છે, પરંતુ મકર રાશીમાં સંક્રમણ સર્વોત્તમ ગણ્યું છે. વર્તમાનકાળે ૧૪મી જાન્યુઆરીના દિવસે આ સંક્રમણ થાય છે.

આ સમયને ઋષિમુનિઓએ પુણ્યકાળ તરીકે ઘોષિત કર્યો છે. આ દિવસે થોડું પણ દાન કરે તેનું કરોડોગણું પુણ્ય મળે છે. આ દિવસે પુણ્યદાનનો ખૂબ જ મહિમા હોવાથી લોકો દાનપુણ્ય કરે છે. પરંતુ દાનમાં પદાર્થ કરતા પ્રેમ અને ભાવનાથી કરેલ દાનની મહત્તા અનેકગણી વધુ હોય છે.

વડોદરા સ્વામિનારાયણમંદિર કારેલીબાગના શ્રીજ્ઞાનજીવનદાસજીસ્વામી જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે. સર્વ જીવના હિત માટે સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના સંતોને મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે ઘેર ઘેર ઝોળી લેવા મોકલતા. ઝોળી પર્વનો મહિમા વિશેષ હોવાથી. સુજ્ઞ લોકો તો આ દિવસે સંતોની ઝોળીમાં માત્ર વસ્તુ-પદાર્થનું જ નહીં પરંતુ વ્યસનો, વાસનાઓ કે ખરાબ સ્વભાવોને પણ અર્પણ કરતા કરે, અને લોકો ને સત્ માર્ગ તરફ વળે એ મૂળ આશય પણ હોય છે.

અન્ન કે અર્થદાનની જેમ જ આપણે જીવનમાં વ્યસનદાન, સમયદાન કરીએ તે ભગવાનને ખૂબ જ ગમે. આ દિવસે ભાવપૂવર્ક કરેલ દાનનો મહિમા પ્ણ અધિક છે. જેથી આપણે પણ આ મકરસંક્રાંતિ જેવા પવિત્ર દિવસે આપણે આંગણે આવેલા સંતોને ઝોળીમાં યથાશકિત દાન અર્પણ કરીને પુણ્ય કમાઈએ અને ભગવાનને રાજી કરી લઈએ.

આમ શ્રીસ્વામિનારાયણ ભગવાને સર્વજીવના હિત માટે પોતાના સંતો પાસે ઝોળી મંગાવી હતી. જે વિશેષ પંરપરા આજે પણ ચાલે છે. મકરસંક્રાંતિના દિવસે સંતો નિસ્વાર્થભાવે કેવળ ભગવાનની આજ્ઞાથી અનેક જીવાત્માનું કલ્યાણના હેતુથી દરેક ગૃહસ્થના આંગણે જઈને ‘નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો !’ પોકાર સાથે ઝોળી માગે છે.

error: Content is protected !!