The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 231

નેત્રંગ: છોટુ વસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વિવિધ રમતો ની વિજેતા ટીમો ને કરાયું ઈનામ વિતરણ

આદિવાસી જનનાયક બિરસામુંડા ૧૪૬ મી જન્મ જયંતી તથા BTTS ના સ્થાપના દિન નિમિત્તે ચંદેરિયા વાઇટ હાઉસ ખાતે છોટુવસાવા સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ક્રિકેટ, કબ્બડ્ડી તથા વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં જુદા જુદા જિલ્લા ઓ માંથી ટીમો એ ભાગ લીધો હતો. વોલીબોલ સ્પર્ધા માં પ્રથમ વિજેતા ડાંગ, બીજું સોનગઢ, ત્રીજું વાલોડ, ચોથું કોસંબા, પાંચમું દેડિયાપાડા, છઠ્ઠુ માંડણપાડા, સાતમું આમલસાડી ની ટીમો વિજેતા થઈ હતી ધારાસભ્ય છોટુભાઈ વસાવા દ્વારા આ ટીમો ને ઇનામો તથા ભાગ લેનાર તમામ ટીમો ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.

આવનારા સમયમાં ઓપન – શૂટિંગ વોલીબોલ ને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા એ રમાય તેવી માંગણી કરવામાં આવશે એવી વાત મૂકવામાં આવી હતી. આ પ્રસંગે BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા દેડિયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવા, BTTS ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા, રાષ્ટ્રીય હોકી પ્લેયર કે. મોહન આર્ય. તેમજ મોટી સંખ્યા માં આગેવાનો હાજર રહ્યા હતા.

•મિતેષ આહીર , ન્યુઝલાઇન, નેત્રંગ

ભરૂચ: દેત્રાલમાં મંદિરના સ્થાને બંગલો બનાવાતા સરપંચ વિરૂધ અપાયું આવેદન

ભરૂચ તાલુકાના દેત્રાલ ગામના આગેવાનો મયુરકાંત નટવરલાલ પટેલની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યુ હતુ. જેમાં મંદિર અને ટ્રસ્ટની જમીનમાં ખાનગી બગલો બાંધી દેવાતા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ મંદિર ટ્રસ્ટના નામથી સાર્વજનિક ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટની નોંધણી કરવામાં આવી છે. આ ટ્રસ્ટ વર્ષ ૧૯૩૩ થી અસ્તિત્વમાં હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખાયું છે.

આવેદનમાં મુજબ દેત્રાલ મુકામે શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલના ભરૂચના ટ્રસ્ટની જુદી જુદી ૬ મિલકતો હોવાનું જણાવ્યુ છે, શ્રી ઠાકોરજી ઉર્ફે રામજી મહાદેવ ટ્રસ્ટ દેત્રાલ ભરૂચના ટ્રસ્ટના પીટીઆરમાં જણાવ્યા મુજબના વિગત અને વર્ણન મુજબની મિલકતો ટ્રસ્ટના વહીવટમાં આવેલ છે. પરંતુ દેત્રાલ ગામે વર્ષ ૨૦૧૦ ના અરસામાં મહંત ગજાનંદ ચતુરદાસ કે જેઓ તથા તેઓના પત્નિ દેત્રાલ ગામના છેલ્લા ૨૫ વર્ષથી સરપંચ તરીકે છે અને હાલ ભારતીય જનતા પાર્ટી ભરૂચના તાલુકાના મહામંત્રી હોય તેમની ટ્રસ્ટની મિલકતો પર દાનત બગડેલ હતી. જેથી સરપંચના પતિ તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી બોગસ કાગળો ઉભા કરી ગામસભામાં પોતાની તરફેણમાં ઠરાવ પસાર કરી દીધા હતા. તેમજ ટ્રસ્ટની મિલકતો પોતાની વ્યકિતગત હેસિયતે પોતાના નામે દાખલ કરી લીધી હતી અને ટ્રસ્ટમાં પણ પોતાના કુટુંબના મળતિયાઓને સભ્ય બનાવ્યા હતા. તથા ગેરકાયદેસર બગલો બાંધી લીધો હતો.

આવેદનપત્રમાં કસુરવારો સામે કાર્યવાહી કરવાની માંગ અને સરપંચને બરતરફ કરવા સાથે જો તેમની માંગણી તાત્કાલીક પુરી નહીં કરાય તો આગામી દિવસોમાં દેત્રાલગામ અને ભરૂચ જિલ્લાના લોકોને આંદોલન કરવા ફરજ પડશેની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.

ભરૂચ: ગુરૂવારના રોજ યોજાશે કોવિડ-૧૯ રસીકરણનું મહાઝુંબેશ કાર્યક્રમ

સરકાર દ્વારા કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ ચાલુ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ-૧૯ મહામારી અન્વયે રસીકરણ કાર્યક્રમ હાલ કાર્યરત છે.

ભરૂચ તાલુકામાં તા.૧૮/૧૧/૨૦૨૧ ના ગુરૂવારના રોજ કોવિડ-૧૯ રસીકરણનું મહા ઝુંબેશનારૂપે વેક્સીનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે સુરક્ષા કવચ પુરૂ પાડવા તા.૧૮/૧૧/૨૦૨૧ ના રોજ ભરૂચ તાલુકામાં કુલ-૧૨૩ રસીકરણ સેશન ખાતે અંદાજીત ૬૨,૬૫૪ કોવિડ-૧૯ વેક્સીનેશનના ડોઝ આપવાનું આયોજન કરેલ છે. ભરૂચ તાલુકાની જિલ્લાની જનતાને કે જે લોકોની પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો બાકી તેવા તમામ લાભાર્થીઓ વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે.

આ તબક્કે મેજીસ્ટ્રેટ અને કલેક્ટર તુષાર સુમેરા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી તથા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ જે.એસ.દુલેરા દ્વારા ભરૂચ તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરવામાં આવે છે કે લોકોનો પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લેવાનો હોય તેવા તમામ લાભાર્થીઓ આ મહા ઝુંબેશનો લાભ લે અને સમાજને સુરક્ષિત કરવામાં સહભાગી બને એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

નેત્રંગ: બિરસા મુંડાની 146 જન્મજયંતી નિમિત્તે બિરસા મુંડા ચોક પર કરાયા ફૂલહાર

આદિવાસીઓના મસીહા ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ 15 મી નવેમ્બરે ભારત સરકારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આદિવાસી જનનાયક ધરતી આબા બિરસા મુંડાની 146 જન્મજયંતી અને ભારતીય ટ્રાઈબલ ટાઇગર સેના (BTTS) સંગઠનનો 8 મો સ્થાપના દિવસની નિમિતે આજ રોજ નેત્રંગ ચાર રસ્તા પર આજે બીરશાં નાં સર્કલ પર ફૂલ હાર ચઢવવામાં આવ્યા હતા. જેમાં નેત્રંગ તાલુકા ના માજી પ્રમુખ મગન વસાવા તેમજ માજી સિંચાઇ સમિતિ ના ચેરમેન પરેશ વસાવા તેમજ વિજયભાઈ અને દિલીપભાઈ સહિત સામાજિક કાર્યકરો હજાર રહ્યા હતા.

•મિતેષ આહીર,ન્યુઝ્લાઇન,નેત્રંગ

અંકલેશ્વરમાં એક જ રાતમાં તસ્કરોએ ઉજવી દેવદિવાળી 3 મકાનને બનાવ્યા નિશાન

• 3 મકાનમાંથી રોકડા, દાગીના, સરસમાન સાથે મીની તિજોરી, મર્સીડીઝ બેન્ઝ તેમજ કવીડ કાર પણ ઘરમાંથી ચાવી લાવી ચોરી ગયા
અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના 3 જેટલા મકાનને નિશાન બનાવી રૂપિયા 35 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી તસ્કરો મર્સીડીઝ બેન્ઝમાં સવાર થઈ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર માનવ મંદિર પાસે આવેલ હરિદ્વાર પારસ કો.ઓ.સોસાયટી ખાતે રહેતા પત્રકાર અને ઉદ્યોગકાર ચેતન મોદી પરિવાર સાથે આઉટ ઓફ ઇન્ડિયા દુબઈ ફરવા ગયા છે.
દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા લોખંડના કબાટ માંથી રહેલી નાની તિજોરી કિંમત રૂપિયા 16 હજાર અને અંદર રહેલા 30 હજાર રૂપિયા રોકડા તેમજ એક લેપટોપ અને પિગીબેન્ક માં રહેલ 30 હજાર તેમજ ડ્રોવર ના રહેલ 11000 રૂપિયા મળી 1.02 લાખ રૂપિયા રોકડા ની ચોરી કરી હતી.
તસ્કરો ઘરમાં રહેલી નાની તિજોરી ઉપરાંત અંદર મર્સિડીઝ બેન્ઝ ગાડી ની ચાવી લઇ આવી મર્સીડીઝ બેન્ઝ ગાડી ની પણ સાથે ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે સ્વરે પાડોશી દ્વારા જાણ કરવામાં આવતા ચેતન ભાઈ મોદી ના ભાઈ દક્ષેશ મોદી ધરે દોડી આવ્યા હતા અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ , તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદથી તપાસ આરંભી હતી. હતી ઘટના અંગે દક્ષેશ મોદી ની ફરિયાદ આધારે પોલીસે રોકડ તેમજ મર્સીડીઝ બેન્ઝ ગાડી મળી 31 લાખ ઉપરાંત ની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
આ ઉપરાંત જીઆઇડીસી માં આવેલ ગણેશ રો હાઉસ માં પણ તસ્કરો 2 મકાન ને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સોસાયટી ના મકાન નંબર 8 માં રહેતા ચંદ્રકાન્ત આહીરે રાવ ના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તેવો મહારાષ્ટ્ર ખાતે વતન માં ગયા હતા. તે દરમિયાન તસ્કરો તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો ઘર ના આગળ ના દરવાજા નો નકુચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. અને ઘર માં રહેલા કબાટ તોડી અંદર રહેલા સોના-ચાંદી ના દાગીના તેમજ 5 હજાર રોકડા અને લેપટોપ ચોરી કરી ફરાર થઇ ગયા હતા આ અંગે પાડોશી દ્વારા તમને જાણ કરવામાં આવતા તેઓ ધરે દોડી આવ્યા હતા. ઘર માં થયેલી ચોરી અંગે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર અંદાજિત 1 લાખ ઉપરાંતની મત્તા પર તસ્કરો હાથફેરો કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આજ સોસાયટીમાં મકાન નંબર 60 માં રહેતા નિર્મલ શાહ શનિવાર ના રોજ તેમના પિતા તબિયત બગડતા ઘર બંધ કરી પશ્ચિમ બંગાળ ખાતે ગયા હતા તેમના મકાન ને પણ તસ્કરો એ નિશાન બનાવ્યું હતું અને ઘર ના દરવાજા નો લોક તોડી ઘર માં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટ માંથી રોકડ તેમજ અન્ય માલમત્તા સાથે ઘર આગને પાર્ક કરેલ ક્વિડ કાર પણ ચાવી લઇ આવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ઘટના અંગે જીઆઇડીસી પોલીસને જાણ કરતા તેઓ દ્વારા પણ નિર્મલ શાહ સંપર્ક કર્યો હતો કાર સહીત લાખો ની મત્તા પર તસ્કરો હાથફેરો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ નિર્મલ શાહ પશ્ચિમ બંગાળ થી પરત આવે તેની રાહ જોયા વગર પ્રાથમિક વિગતોના આધારે તપાસ આરંભી હતી. પોલીસે ડોગ સ્કોર્ડ તેમજ એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદથી તપાસ આરંભી હતી.

અનાવરણના 24 કલાકમાં જ ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવામાં આવી

ભારત સરકાર દ્વારા ભેટમાં મળેલી મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાની ઓસ્ટ્રેલિયામાં તોડફોડ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનએ આ કૃત્યને શરમજનક ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. આ ઘટનાને લઈને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયમાં નિરાશા છે.
અખબાર ‘ધ એજ’ અનુસાર, વડાપ્રધાન મોરિસને ભારતની આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના કોન્સ્યુલ જનરલ, પ્રિન્સ અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે રોવિલે સ્થિત ઓસ્ટ્રેલિયન ભારતીય કમ્યુનીટી સેન્ટરમાં પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અનાવરણના થોડા કલાકો પછી આ ઘટના બની.
વડાપ્રધાન સ્કોટ મોરિસનએ કહ્યું, “આ સ્તરનું અનાદર જોવું શરમજનક અને અત્યંત નિરાશાજનક છે.” તેમણે કહ્યું કે આ દેશમાં સાંસ્કૃતિક સ્મારકો પર હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું, “જે કોઈ પણ આ માટે જવાબદાર છે તેણે ઓસ્ટ્રેલિયન ભારતીય સમુદાયનું ઘણું અપમાન કર્યું છે અને તેને શરમ આવવી જોઈએ.” આ મૂર્તિ ભારત સરકાર દ્વારા ભેટમાં આપવામાં આવી હતી.

વિક્ટોરિયા પોલીસે જણાવ્યું હતું કે અજ્ઞાત સંખ્યામાં ગુનેગારોએ શુક્રવારે સાંજે 5:30 વાગ્યાથી શનિવારે સાંજે 5:30 વાગ્યાની વચ્ચે પ્રતિમાને તોડવા માટે પાવર ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે નોક્સ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટના અધિકારીઓ કેસની તપાસ કરી રહ્યા છે અને સાક્ષીઓને આગળ આવવા અને માહિતી આપવા વિનંતી કરી રહ્યા છે. આ ઘટના પર શોક વ્યક્ત કરતા, શહેરના ભારતીય સમુદાયે તેને “નિમ્ન સ્તરનું કૃત્ય” ગણાવ્યું.

‘ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા કોમ્યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ વાસન શ્રીનિવાસને કહ્યું કે તેમને એ વાતનું દુઃખ છે કે કોઈએ પ્રતિમાના અનાવરણના 24 કલાકની અંદર પ્રતિમાને તોડી પાડવાનો પ્રયાસ કર્યો. એસબીએસ ન્યૂઝે તેમને ટાંકીને જણાવ્યું હતું કે, “વિક્ટોરિયા રાજ્યમાં લગભગ 3,00,000 ભારતીયો રહે છે અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે વિક્ટોરિયામાં આવું બની શકે છે.” શ્રીનિવાસને કહ્યું કે દિવસભર ભારે વરસાદને કારણે પોલીસ ફિંગરપ્રિન્ટ્સ શોધી શકી ન હતી.

*સૌજન્ય:ટી.વી.૯

ભરૂચ પાસેના કાંકરિયા ગામના 100 થી વધુ હિંદુઓનું ધર્માંતરણ

ભારત દેશમાં ગેરકાયદેસર રીતે વિદેશી ફન્ડિંગ લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગનો ચોંકાવનારો ઘટસ્ફોટ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામેથી થયો છે. જ્યાં કટ્ટરવાદી મુસ્લિમોએ સિન્ડિકેટ બનાવી 37 આદિવાસી પરિવારના 100 થી વધુ લોકોને મુસ્લિમ બનાવી દીધા છે. ભરૂચ જિલ્લા પોલીસે આ અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધી મૌલવી સહિત 9 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના કાંકરીયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં ધાર્મિક કટ્ટરવાદીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. કાંકરીયા ગામના 100 થી વધુ હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરીવર્તીત કરાવી ચુકયા છે. મુસ્લિમ ધાર્મિક કટ્ટર સિન્ડીકેટના સભ્યો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેર કાયદેસર રીતે ધર્માંતરણ કરાવવા તેમજ મુસ્લિમ કટ્ટરવાદી લોકો વિદેશમાંથી ફંડીંગ ભેગુ કરી ધર્માંતરણની અસામાજીક પ્રવૃતિ ચાલુ કરી હતી.
વસાવા હિન્દુ આદિવાસી લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ , છળકપટ કર્યું હતું. હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વયમનસ્ય ફેલાવી હતી. ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના આ ગુનાહિત કાવત્રામાં ભરૂચ જિલ્લાના કેટલાક મુસ્લિમ કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાનું બિડુ ઝડપી , કાંકરીયા ગામના વસાવા હિન્દુ લોકોના 37 જેટલા કુટુંબોના 100 થી વધારે લોકોને લોભ – લાલચ આપી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવાની અસામાજીક પ્રવૃતિ ચલાવતા હતા.
અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં ભરૂચ જિલ્લાના નબીપુરના વતની અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલએ વિદેશમાંથી ફંડ ઉભુ કરી ભારત દેશમાં ગેરકાયદેસર રીતે લાવી તે નાણાનો ગેરકાદેસર રીતે હિન્દુ લોકોને મુસ્લિમ ધર્મ પરીવર્તન કરાવવામાં ઉપયોગ કરેલ છે. આ નાણા તેઓએ કાંકરીયા ગામના હિન્દુ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા તેમજ હિન્દુ ધર્મ વિરૂધ્ધ નફરતના ભાવ પેદા કરી કાંકરીયાના ગરીબ વસાવા ભાઇ – બહેનોને મુસ્લિમ બનાવવા આર્થિક સહાય કરવાની લાલચ આપી ધર્મ પરીવર્તન કરાવેલ છે.
કાંકરીયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરીયાદ આપતા આ બાબતે પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન હેઠળ અને ધર્મ પરિવર્તન કરાવવા માટેના સરકારના નિયમો જોતા તેનુ પાલન થયેલ ન હોવાનુ જણાઈ આવ્યું હતું. કાંકરીયા ગામના જાગૃત નાગરિકની ફરીયાદ આધારે હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમા સહાય કરતા મુસ્લિમ કટ્ટરવાદી 9 લોકોની સિન્ડિકેટ વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની કલમ -4 તથા ઇ.પી.કો. કલમ -120 ( બી ) , 153 બી ( સી ) , 506 ( 2 ) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હિન્દુઓના ધર્મ પરિવર્તનના ષડયંત્રની તપાસ ભરૂચ SC/ST સેલના DYSP હાથ ધરી છે.
વિદેશી ફન્ડિંગથી ભરૂચમાં હિન્દૂ ધર્માંતરણ કરાવતા કટ્ટરવાદી 9 મુસ્લિમ આરોપીઓ
– શબ્બીર બેકરીવાલા રહે . આમોદ
– સમજ બેકરીવાલા રહે . આમોદ
– અબ્દુલ અઝીઝ પટેલ રહે . કાંકરીયા, આમોદ
– યુસુફ જીવણ પટેલ રહે . કાંકરીયા
– ઐયુબ બરકત પટેલ રહે . કાંકરિયા
– ઇબ્રાહીમ પુના । પટેલ રહે . કાંકરીયા
– ફેફડાવાલા હાજી અબ્દુલ્લા રહે . નબીપુર , હાલ લંડન
– હશન ટીસલી રહે . આછોદ , તા . આમોદ
– ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા ( મૌલવી ) રહે . આછોદ , આમોદ

દહેજની વેલ્સપન કંપનીના કર્મચારીઓએ પરિવાર સાથે કર્યું રસ્તા રોકો આંદોલન

દહેજની વેલ્સપન કંપનીને બંધ કરી દેવાતા કર્મચારીઓની આજીવિકા પણ છેલ્લા 150 દિવસથી બંધ થઈ જતા. પાંચ મહિનાથી ચાલતું આંદોલન સોમવારે સવારથી ઉગ્ર બન્યું હતું. રહિયાદ ચોકડી ઉપર વહેલી સવારે 250 કર્મચારીઓ પરિવાર સાથે બેસી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા. પોલીસ અને પ્રશાસન તરફથી ACP અને SDM એ સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં દહેજ-ભરૂચ માર્ગ એક કલાકથી રોકીને બેઠેલા કર્મચારીઓએ રસ્તો ખુલ્લો નહિ કરતા પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો. રસ્તા પરથી 100 જેટલા કર્મીઓની અટકાયત કરતા રસ્તા રોકો આંદોલન વિખેરાયુ હતું.
દહેજની વેલ્સપન કંપનીએ 5 મહિના પહેલા તેના 200 જેટલા અધિકારીઓની બદલી કરી નાખી હતી. જ્યારે 400 જેટલા કર્મચારીઓને ટપાલથી બદલીના ઓર્ડરો કરાયા હતા. દહેજનો પ્લાન્ટ બંધ કરી દેતા 400 કર્મચારીઓની રોજીરોટી છીનવાઈ હતી. જેઓ બદલીમાં અંજાર કે અન્ય પ્લાન્ટમાં જવા માંગતા ન હોય કંપની સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો.

કર્મચારીઓના આંદોલનમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ પણ તેઓની રજુઆતને વાચા આપી હતી. જે બાદ કંપની કર્મચારીઓ માટે VRS સ્કીમ લઈને આવી હતી. કંપનીના 118 જેટલા કર્મચારીઓએ VRS અપનાવી લીધું હતું. જોકે બાકીના કર્મચારીઓને કંપનીનું સ્વૈચ્છીક VRS મંજુર ન હોય આંદોલન ચાલુ જ રાખ્યું હતું.

વેલ્સપન કંપની બંધ થતાં કર્મચારીઓનું આંદોલન 150 દિવસમાં પ્રવેશવા છતાં નિવેડો નહિ આવતા સોમવારે વહેલી સવારથી 250 કર્મચારીઓ રહિયાદ ચોકડી ઉપર પરિવાર સાથે રસ્તા રોકો આંદોલન છેડવા ઉતરી આવ્યા હતા. કર્ણચારીઓએ મહિલાઓ અને બાળકો સાથે ભરૂચથી દહેજ જતા માર્ગ પર બેસી વાહન વ્યવહાર થોભાવવાનો પ્રયાસ કરતા કાયદો-વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી.

દહેજ પોલીસ, મરીન, LCB, SOG, મહિલા પોલીસ સહિત જિલ્લા પોલીસના ઘાડે ધાડા રહિયાદ ચોકડી ઉપર ઉમટી પડ્યા હતા. સાથે જ PI, PSI, DYSP સાથે ASP વિકાસ સુંડા અને SDM પ્રજાપતિ પણ પણ સ્થળ પર દોડી ગયા હતા. કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમજાવી માર્ગ ખુલ્લો કરવા કહેવા છતાં કર્મચારીઓ નહિ હટતા આખરે પોલીસે ન છૂટકે રસ્તો રોકી ને બેઠેલા કર્મચારીઓને ડિટેઇન કરવાની કામગીરી હાથ ધરતા સ્થિતિ એક સમયે વિકટ બની હતી. પોલીસે 100 જેટલા વિરોધ કરી રહેલા કર્મચારીઓની અટકાયત કરી તેમને પોલીસ હેડ ક્વાટર્સ લઈ આવી હતી. જે બાદ કંપની ગેટ બહાર આંદોલન યથાવત રહ્યું હતું. બીજી તરફ બપોરે કલેકટરે આ મુદ્દે નિવેડો લાવવા બેઠકનું આયોજન કર્યું હતું.

હવે થશે ગંગા આરતીની જેમ નર્મદા આરતી, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર પાસે ઘાટ તૈયાર

નર્મદા જિલ્લાના ગોરા ગામમાં પ્રાચીન તીર્થ શૂલપાણેશ્વર નજીક ભવ્ય ઘાટ બનાવવામાં આવ્યો છે. આ ઘાટ પર ગંગા અને યમુનાની જેમ નર્મદાની મહાઆરતી કરવામાં આવશે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યના લોકોને ગંગા આરતીનો લ્હાવો લેવા માટે હરિદ્વાર સુધી જવાની જરૂર આ આરતીના પ્રારંભ બાદ નહીં પડે. અહીં ગંગા આરતી જેવી જ નિયમિત નર્મદા આરતી થશે.

નર્મદાના કેવડિયા કોલોની નજીક ગોરા ગામ પાસે પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે શૂલપાણેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. મૂળ શુલપાણેશ્વર મંદિર નર્મદા ડેમમાં ડૂબી ગયા બાદ વર્ષ 1994માં ગુજરાત સરકારે ગોરા પાસે શૂલપાણેશ્વર મહાદેવનું નવું મંદિર બનાવ્યું છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવના મંદિર પાસે શ્રાવણમાસમાં નર્મદાના પવિત્ર સ્નાન સાથે શૂલપાણેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે.

જુનું પ્રાચીન શૂલપાણેશ્વર મહાદેવ મંદિર 1994માં નર્મદા ડેમની ઉંચાઈ વધવાને કારણે સરદાર સરોવરમાં ડુબાણમાં ગયેલ છે.જ્યાં જુનું મંદિર હતું તેની નજીક જ ગુજરાત સરકારે નવું મંદિર બનાવ્યું છે. નવું મંદિર બનાવવામાં આવ્યું છતાં ભક્તોની શ્રદ્ધા અને આસ્થા ઓછી નથી થઇ. શૂલપાણેશ્વર મહાદેવની પ્રસિદ્ધિ ગુજરાતમાં નહિ પણ પાડોસી રાજ્યો મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,રાજસ્થાનમાં પણ છે, આ રાજ્યોમાંથી પણ ભક્તો પણ અહી આવે છે. આજ સૌથી મોટું કારણ છે કે નર્મદા મહાઆરતી માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.

દુનિયામાં એક એવો ટાપુ છે જ્યાં દર ત્રીજા ઘરમાં રહે છે જોડિયા બાળકો!

ફિલિપાઈન્સના ટાપુ પર આવેલુ એક ગામ માછીમારી અને તેની પ્રાકૃતિક સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે, પરંતુ જોડિયા લોઆ ગામમાં 15,000 લોકોનો પરિવાર રહે છે, જેમાંથી લગભગ 100 જોડિયા બાળકો છે.

કોની વસ્તી આ ટાપુને વધારે ખાસ બનાવે છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ ગામમાં એવું શું છે કે જેને કારણે જોડિયા બાળકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જો કે આ અંગે હજુ સુધીમાં કોઈ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીંની મહિલાઓએ પ્રજનન ક્ષમતા વધારવા માટે એક ખાસ પ્રકારની દવાનો ઉપયોગ કર્યો હતો, જે બાદ 1996 થી 2006 સુધીમાં 35 વર્ષની મહિલાઓમાં મલ્ટિપલ પ્રેગેન્સીમાં 182 ટકાનો વધારો થયો હતો.

error: Content is protected !!