The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 138

મોંધવારી મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ ટીમે ગેસના બાટલા ,ડબ્બા સાથે કાઢી સ્મશાનયાત્રા(VIDEO)

  • ગેસના બાટલા અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ટીમે હાલ વધતી મોંઘવારી વચ્ચે બેફામ વધતા પેટ્રોલ, ડિઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં રાંધણગેસ અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા. ભરૂચ કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી . ભરૂચ કોંગ્રેસના આગેવાનો દ્વારા રસ્તા પર ઉતરી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને નારાબાજી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંધવારી અને વધતા પેટ્રોલ, ડિઝલ, ગેસના અને તેલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું.જેમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી કલેકટરાલય જવા રાંધણ ગેસ અને તેલના ડબ્બાની સ્મશાન યાત્રા યોજવામાં આવી હતી. પરંતુ વિરોધ કરતા કોંગીઓની અધવચ્ચે જ અટકાયત કરાઇ હતી.

આ અંગે કોંગ્રેસ સેવાદળ પ્રદેશ પ્રમુખ પ્રગતી આહિરે જણાવ્યું કે હાલમાં યોજાયેલ ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે પેટ્રોલ – ડીઝલ રાંધણ ગેસના ભાવમાં વધારો છેલ્લાં 137 દિવસ સુધી યથાવત રખાયો હતો. શાકભાજીથી માંડી અનાજ અને મસાલાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તેવા સંજોગોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે . દૂધનો ભાવ પર પ્રતિ લીટર 60 થી 70 રૂપિયા થતા ગૃહિણીઓ કઈ વસ્તુઓ ખરીદી કરે અને કઈ વસ્તુ ના ખરીદે તેવા પણ અનેક પ્રશ્નો સર્જાયા છે? પે

ટ્રોલ અને રાંધણગેસના ભાવમાં દિનપ્રતિદિન સતત વધારો થતો જાય છે, ભાજપ સરકાર દ્વારા કોઈપણ રીતે આ ભાવ વધારાને અંકુશમાં લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતા તેવા સંજોગોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો .જે હવે પ્રજા નહીં સાંખી લે તેમને આનો જવાબ આગામી ૨૦૨૨ની ચુંટણીમાં પ્રજા જરૂર આપશે.

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા ભરૂચ શહેર પ્રમુખ પરિમલસિંહ રણા, સમશાદઅલી સૈયદ, શેરખાન પઠાણ,હેમેન્દ્ર કોઠીવાલા,નીકુલ મિસ્ત્રી તથા કોંગ્રેસ પ્રદેશ મહિલાસેલ સેવાદળના પ્રમુખ પ્રગતી આહિર સહિતના કાર્યકરો,હોદ્દેદારો અને મહિલા કાર્યકરોની વગેરેની અટકાયત કરાઈ હતી.

અંકલેશ્વર GIDCની શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨માંથી ઝાઇલીનના ૫ થી ૬ ડ્રમ ચોરાયા

અંકલેશ્વર GIDC માં આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨ કંપનીના પ્રોડકશન કેમિસ્ટ દ્વારા જ ઝાઇલીન મટીરીયલના રૂપિયા ૧ લાખની કિંમતના ૫ થી ૬ ડ્રમ સગેવગે કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

અંકલશ્વર GIDC માં આવેલ પ્લોટ નંબર .6714 / 2,6715 ઉપર આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ – ર માં તા .૧૬ / ૦૩ / ૨૦૨૨ ના કલાક ૧૫/૦૦ થી ૨૩/૦૦ વાગ્યા દરમ્યાન ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ જેની આશરે કિંમત ૧,૦૦,૦૦૦ / – ની ચોરી કંપનીમાં જ નોકરી કરતા પ્રોડકશન કેમિસ્ટ કલપેશ દોગા રહે, અંકલેશ્વરનાએ કંપનીની જાણ બહાર કંપનીના કંપનીના ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ ચોરી કર્યાનું સીસીટીવી ચેક કરતા બહાર આવ્યું હતું. જેથી કંપનીના સાઇટ હેડ નીખીલ ગોવીંદભાઇ ચભાળીયા રહે કાસ્ટલ લીવીંગ એપાર્ટમેન્ટ, જલધારા ચોકડી અંકલેશ્વરનાએ આ અંગેની જાણ કંપનીના ડાયરેક્ટર ચંદુભાઇ કોઠીયાને કરવા સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગીયો (મોઝેઈક) રોગ જોવા મળતાં ખેડૂતો ચિંતિત

નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગયો (મોઝેઇક) રોગ જોવા મળતા ખેડૂત ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડાએ ખેડૂતો માટે માર્ગદર્શન આપ્યું છે, અને  કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.પ્રમોદકુમાર વર્માએ જણાવ્યું છે, કે આ રોગમાં પાન ઉપર પીળા રંગના અનિયમિત આકારના છૂટાછવાયા ટપકા જોવા મળે છે. જે પાછળથી મોટા થઈને આખા પાનને પીળું બનાવી દે છે. પાન કદમાં નાના અને જાડા થઈ જાય છે. નવી ફૂટતી કુંપળોનો ભાગ પીળો થઈ ગયેલો દેખાય છે. ઉપર નાના પીળા ટપકા પડે છે. અસર પામેલા છોડમાં ખૂબ જ ઓછા ફૂલ બેસે છે અને સિંગો તથા દાણાનું કદ નાના અને પીળા થાય છે, આ રોગને કારણે ૮૦ થી ૧૦૦ ટકા સુધીનું નુકસાન થઈ શકે છે. આ રોગનો ફેલાવો સફેદ માખીથી થાય છે.

નિયંત્રણ માટે શરૂઆતમાં રોગીષ્ટ છોડનો વહેલી તકે ઉપાડીને નાશ કરવો, એસીટામિપાઇડ ૩ગ્રામ અથવા થાયમીથોકઝામ ૩ગ્રામ પૈકી કોઈ પણ એક કીટનાશક દવા 10 પાણીમાં ભેળવીને જરૂરિયાત મુજબ વારાફરતી છંટકાવ કરવાથી સફેદ માખીનું અસરકારક નિયંત્રણ મળશે એમ જણાવ્યું છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝ્લાઇન, દેડીયાપાડા

દહેજની રિલાયન્સમાંથી રૂ. 60.33 લાખનો સફેદ પાઉડર લઈ ચાલક ગાયબ

  • રેલપેટ સફેદ પાઉડર સગેવગે કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી

દહેજની રિલાયન્સ કંપનીમાંથી રૂ. 60.33 લાખનો સફેદ પાઉડર લઈ ઉત્તરાખંડ તરફ જવા નીકળેલો ટ્રેલર ચાલક રસ્તામાં જ ગાયબ થયો હતો. ટ્રેલર ઉત્તરાખંડ ખાતે નહિ પહોંચતા અને ટ્રેલર ચાલક બેઉના ફોન સ્વીચ ઓફ આવતાં સુરતના ટ્રાન્સપોર્ટરે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દહેજ મરીન પોલીસ મથકે સુરતના ટ્રાન્સપોર્ટર મુકેશકુમાર ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 24 માર્ચે તેમના ઉપર રાજસ્થાનના ટ્રેલર ચાલક મનમોહન જગપાલ ગુર્જરનો ફોન આવ્યો હતો. જેણે પોતાની ગાડી ઉત્તર ભારતમાં જતી હોવાથી માલ હોય તો કહેવા જણાવ્યું હતું. દહેજની રિલાયન્સ કંપનીમાંથી રેલપેટ સફેદ પાઉડર 36 બેગ, કુલ વજન 41 હજાર 400 મેટ્રિક ટન, 26 માર્ચે ટ્રેલર નં. RJ-06-GC-6983માં ભરવામાં આવ્યો હતો.

આ ટ્રેલર લઈને નીકળેલો ચાલક અને તેના માલિકનો નંબર બે દિવસ બાદ સ્વીચ ઓફ થઈ ગયો હતો. ઉત્તરાખંડના સિતારગંજમાં આવેલી પારલે એગ્રો કંપની ખાતે ટ્રેલર નહિ પહોંચતા ચિત્તોડગઢ રહેતા ટ્રેલરના ડ્રાઈવર મનમોહન જગપાલ ગુર્જર સામે રૂપિયા 60 લાખ 33 હજારનો સફેદ પાવડર સગેવગે કરી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા રોજગાર કચેરી બહાર બેરોજગારી મુદ્દે કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે આજે ગુરૂવારે જિલ્લા રોજગાર કચેરી બહાર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે 12 કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

જિલ્લા રોજગાર કચેરીની બહાર ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે યુવાઓ બેરોજગાર બન્યા હોવાના આક્ષેપો સહ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. આગેવાનો અને કાર્યકરોએ રાજ્ય સરકારનો હુરિયો બોલાવી પોલીસની દમનગીરીવાળી કામગીરીનો પણ વિરોધ કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપને પણ ભાજપની બી ટીમ ગણાવી હતી. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રણા, યુવા પ્રમુખ શકીલ અકુજી, યોગી પટેલ, શેરખાન પઠાણ, શરીફ કાનૂગો સહિતના લોકો જોડાયા હતા.

ર વર્ષ પછી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સેવા શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ!

છેલ્લા ૨ વર્ષની કોવિડ 19 ના કારણે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ હતું, ગુજરાત રાજ્ય સરકારના આદેશ થી આજ રોજ તા 31,માર્ચ 2022 થી રાજ્યની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન શરૂ થતા પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે શાળાના મધ્યાહન ભોજનમાં શરૂ થવાની ખુશીમાં શાળાના આચાર્ય કાળીદાસ રોહિત દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકો માટે શ્રીખંડ, પુરી, ખમણ પાપડ, ખીચડી, શાક બનાવવામાં આવ્યું હતું. અને બાળકોને પીરસવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વાલીયા તાલુકાના મામલતદાર શ્રીમતી સ્નેહાબેન એન.સવાણી, મધ્યાહન ભોજન માંથી પંકજભાઈ ચૌધરી, અમીષાબેન વસાવા હાજર રહી ભોજન ચકાસણી કરી હતી, અને  ભોજન લઈ બાળકો અને શાળા પરિવાર ને શુભેચ્છાઓ પાઠવી હતી.

શાળાના આચાર્ય કાળીદાસ રોહિતે જણાવ્યું હતું કે આજ રોજનું ભોજન વ્યવસ્થામાં ગામના સરપંચ શ્રીમતી કમળાબેન તરફથી શ્રીખંડ અને  શાળાના મુખ્ય શિક્ષક તરફથી ખમણ, શાક અને  પુરી ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ નિલેશભાઈ વસાવા હાજર રહી મામલતદાર નું સન્માન કરી સાથ સહકાર આપ્યો હતો.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થતાં અપાયું કેવડિયા બંધનું આપ્યું એલાન!

  • ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેએ દિલગીરી વ્યક્ત કરી;

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા વધુ એક વાર વિવાદમાં આવે તેવી ઘટનાનો ઓડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી અને CISF ના કર્મચારી વચ્ચે થયેલ વાતચીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઓડિયો સાંભળતા જણાય છે કે આ ઓડિયોમાં આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે કે “ યે આદિવાસી લોગ હૈ, જિન્કો ખાના નહીં મિલતા થા, ચડ્ડી પહેનકે રોડ પે ઘુમતે થે ઔર જડીબુટ્ટી ખાતે થેં” જેવા ખુબ જ અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જાતિવાદ પેદા થયો હોય તેમ જણાઈ આવે છે. અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વારંવાર ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે  વધુ એક વાર ઉચ્ચ અધિકારી દ્વારા જાતિવાદ ફેલાવતા હોવાનું સામે આવ્યું છે.

આ અંગે ડૉ.પ્રફુલ વસાવાએ પણ પોતાનો સામે વિડિઓ વાયરલ કરી આવતી કાલે કેવડિયા બંધનું એલાન આપ્યું છે. અને વધુમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી  જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓને રોજગારી આપવા માટેનો એક પ્રોજેકટ છે તેમ જણાવતાં હોય ત્યારે આવા નાત-જાતની વાતો કરતાં અધિકારીને હવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી. જ્યારે નર્મદા જિલ્લો સંપૂર્ણ ટ્રાઈબલ વિસ્તાર હોવા છતાં બહારથી આવેલા અધિકારીઓ નર્મદા જિલ્લામાં આ પ્રમાણેનું વર્તન કરતાં હોય તો અન્ય વિસ્તારમાં આદિવાસીઓ સુરક્ષિત છે કે કેમ? તે એક પ્રશ્ન ઉભો થયો છે. બીજીવાર કોઈ અધિકારી આવી નાત-જાતની વાતો ન કરે તે હેતુથી આ અધિકારીને “એટ્રોસીટી એક્ટ” હેઠળ કડકમાં કડક સજા થાય તેવી આદિવાસી સમાજની માંગ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના તમામ કર્મચારીઓ આવતીકાલે થી શનિવાર, રવિવાર અને સોમવાર સુધી આદિવાસી સમાજ નું અપમાન કરનાર નાયબ કલેકટર ને હટાવવા માં નહીં આવે અને તેમની ઉપર ગુજરાત સરકાર કાર્યવાહી નહીં કરે ‌ત્યા સુધી હડતાળ પર ઉતરશે એવી પણ ચીમકી આપી છે

તો સામી બાજુએ ડેપ્યુટી કલેકટર નિલેશદુબેની પણ પ્રતિક્રિયા સામે આવી છે.એમણે એક નિવેદન જારી કરી કેટલીક સ્પષ્ટતા કરી દિલગીરી પણ વ્યક્ત કરી છે.નિલેશ દુબેના નિવેદનમા જણાવ્યું છે કે ગઈકાલથી મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે.

વાસ્તવમાં sou કેમ્પસમાં એક કર્મચારીને cisfના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી,અને તેજ દરમ્યાન sou ના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા.

પરંતુ અગમ્ય કારણોસર આખા ઓડિયો ના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાયરલ કરેલ છે. પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે.

તો સામે આખી વાત મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટેની હતી જેમાં જે ઓડિયોમાં હકીકત દેખાય છે તે અર્ધસત્ય છે. પૂરેપૂરો ઓડિયો વાયરલ થાય તો સત્ય હકીકત ખબર પડે તેમ છે, જે ઉલ્લેખ થયેલ તે માત્ર એક  કર્મચારીની cisfના મહિલા કર્મચારી સાથે બબાલ થઈ તેના માટે જ હતી.તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ  માટે હતી નહીં અને ભવિષ્યમાં રહેશે નહીં. તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.ફરી એકવાર કહીશ કે મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી તેના સિવાય અન્ય કઈ આશય નથી.હું વર્ષ 2018થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છેજ,પરંતુ કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં હોવાનું નિલેશ દુબેએ જણાવ્યું હતું.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

જંબુસર નગરપાલિકા પ્રમુખ સામે કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા અપાયું આવેદન

  • પાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું.

જંબુસર નગરપાલિકા પ્રમુખ પતિ વારંવાર વિવાદોના વમળમાં ફસાઈ છે અનેક વખત અલગ અલગ મુદ્દાઓને લઇ ચર્ચાઓમાં આવતા હોય છે ત્યારે ફરી એક નવા વિવાદનો મધપૂડો છંછેડાયો  અને નગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું  અને નગરપાલિકા પ્રમુખ સામે  કલમ ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી.

નગરપાલિકા પ્રમુખે તેમના પતિને નગરપાલિકાના વહીવટમાં દખલ કરવાની ખુલ્લી છૂટ આપી અને તેઓ વહીવટ કરવા અસમર્થ છે તેમ જણાતા નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાલિકા ખાતે એકત્ર થઈ નગરપાલિકા ચીફ ઓફીસર ટંકારી ભાગોળ ખાતે રહી તેમની ફરજ બજાવતા હોય  ત્યાં પહોંચી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની આગેવાનીમાં  ચીફ ઓફિસર યોગેશભાઈ ગણાત્રા તથા  પ્રાંત અધિકારી આદર્શ રાજીન્દ્નને આવેદનપત્ર   આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે ૨૬/૩/૨૨ ના રોજ નગરપાલિકા પરિષદ ગાંધીનગર દ્વારા  સોમનાથ ખાતે પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મીટીંગમાં  પાલિકા પ્રમુખ ભાવનાબેન રામીના પતિ ભાવેશભાઈ રામીને ભાવનાબેન નગર પાલિકાનાં ખર્ચે ગેરકાયદેસર રીતે સોમનાથ લઈ ગયેલ હતા. જ્યાં પાલિકા પ્રમુખના પતિદેવ દ્વારા મીટીંગમાં જંબુસર નગરપાલિકા કર્મચારીઓ વિરૂદ્ધ ખુબજ ખરાબ વાણી વિલાસ કરેલ હોય જેને લઇ કર્મચારીઓની લાગણી દુભાયેલ છે જે રોષ પ્રગટ કરી આવા વર્તનના સતત પ્રવાહી કર્મચારીઓનું મોરલ તોડી પ્રમુખ પતિ શું સાબિત કરવા માગે છે એ સમજ બહારની વાત છે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રમુખ પતિ દ્વારા નગરપાલીકા કર્મચારી વિનુભાઈ રાઠવા અને ધનેશભાઈ પટેલ સાથે ગેરવર્તન કરી પાલિકા કચેરીમાં  ગાળો ભાંડતા તેમની તબિયત બગડી ગયેલ હતી અને બંને હાલ રજા ઉપર ઉતરી ગયેલ છે તથા નગરપાલિકા ડ્રાઈવર સઇદભાઈ શેખને ગેરકાયદેસર કામમાં સાથ આપવા દબાણ કરેલ તેમ કરવા સઇદભાઈએ ઇનકાર કરતાં ગેરકાયદેસર રીતે નોકરીમાંથી પ્રમુખ મારફત છુટા કરાવી દીધેલ છે.નગરપાલિકા પ્રમુખ ફરજ બજાવવા અસમર્થ છે તેમના સ્થાને તેમના પતિ કોઈપણ જવાબદારી વગર પાલિકાના નાણાં અને સંસાધનો વેડફાડ કરી  પાલિકાને આર્થિક નુકશાન કરતા હોઇ પ્રમુખ સામે કલમ  ૩૭ અને ૭૦ હેઠળ કાર્યવાહી કરવા જણાવ્યું છે તથા મુખ્ય અધિકારી સામે પણ પ્રમુખ પતિનું વર્તન ચાલુ હોય  સમગ્ર સ્ટાફ તેમની સરમુખત્યારશાહીથી ત્રસ્ત છે. આ અંગે તેઓ સામે કાર્યવાહી થવા કર્મચારીઓની માગણી છે.આ આવેદનપત્ર આપવામાં જંબુસર નગરપાલિકા ના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

નેત્રંગમાં ઘરોના ડીમોલેશન બાદ સાંસદે અસરગ્રસ્ત રહીશોની કરી મુલાકાત(VIDEO)

  • કેન્દ્રીય રેલ્વેમંત્રી અને જીલ્લા કલેક્ટરને વૈકલ્પિક વ્યવસ્થા કરવા રજુઆત કરાઇ
  • જમવા-રહેવાની સહીતની સગવડો પુરી પાડવા મામલતદાર-ટીડીઓને સુચના આપી

નેત્રંગમાં મકાનો-ઘરોના ડીમોલેશન બાદ સાંસદે અસરગ્રસ્ત રહીશોની મુલાકાત કરી અધિકારીઓ-પદાધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.

નેત્રંગ તાલુકા મથકે આવેલ જવાહર બજાર,ગાંધી બહાર સહિતના વિસ્તારોમાં રેલવેની હદમાં ગેરકાયદેસર રીતે દુકાનો-મકાનો બાંધી વર્ષોથી દબાણ કરી ઘર કરી ગયેલા દબાણકર્તાઓ સામે રેલ્વેતંત્રએ લાલઆંખ કરી તમામ દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ અને ભયનો માહોલ છવાયો હતો.રેલ્વે વિભાગના અધિકારીઓએ   આરપીએફ અને સ્થાનિક પોલીસના કાફલાને સાથે રાખી રેલ્વેની હદમાં આવતા તમામ દબાણોને જેસીબી વડે તોડી પાડવાની કામગીરી શરૂ કરતાં અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવા રેલ્વેતંત્રએ મકાનો-ઘરોના ડીમોલેશન બાદ બેઘર બનેલા રહીશોની મુલાકાત કરી હતી.કેન્દ્રીય રેલ્વેમંત્રી અશ્વિણી વૈષ્ણવ અને જીલ્લા કલેક્ટરને તાત્કાલિક ધોરણે બેઘર બનેલા સ્થાનિક રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની લેખિત રજુઆત કરી હતી નેત્રંગ ગ્રા.પંચાયત સરપંચ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને જમવા-રહેવાની સહીતની સગવડો પુરી પાડવાની સુચના આપી હતી.સ્થાનિક રહીશોએ પોતાની વેદના અને વ્યથા સાંસદ મનસુખભાઇ વસાવા સમક્ષ વ્યક્ત કરતાં કરૂણમય દ્રશ્યો સજૉયા હતા.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન, નેત્રંગ

આત્મનિર્ભરતાની વાતો પોકળ: ભરૂચ સિવિલના ૬૦ કોન્ટ્રાકટ કર્મીઓને કરાયા છુટા

  • ૧ રૂપિયે ટોકન પર સિવિલ ખરીદી લેનારાઓએ કોન્ટ્રાકટના ૬૦ કર્મીઓના ઘરના ચુલા ઓલવ્યા
  • સિવિલ હોસ્પીટલના ખાનગી કરણ બાદ કોન્ટાક્ટ કર્મીઓની હાલત કફોડી

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના નાકરાણી અને એમ.જે.સોલંકી ના કોન્ટ્રાક્ટ માં 7 વર્ષ ઉપરથી ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓને કોન્ટ્રાકટ પૂરો થતા નવા કોન્ટ્રાકટમાં ન સમાવી અચાનક છુટા કરી દેવાતા ઘરના ચુલાની ચિંતાએ જાણેકર્મચારીઓ પર આભ તૂટી પડ્યું.

કોરોના જેવી મહામારી હોઈ કે કોઈ પણ જીવલેણ બીમારીઓ હોઈ કે ડી કમ્પોઝ મૃતદેહો ના પી.એમ. હોઈ આવી પરિસ્થિતિમાં પણ ખંત પૂર્વક ફરજ બજાવેલ 60 જેટલા કર્મચારીઓને કોઈ પણ ભૂલ વિના માત્ર કોન્ટ્રાકટ પૂરો થતાં  છુટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં નિરાશા છવાઇ છે.

કોરોનાની ૩ લહેરમાં પરિવારની અને પોતાના જીવની ચિંતા કર્યા વિના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નાકરાણી અને એમ.જે સોલંકી માં ફરજ બજાવતા કેટલા કર્મચારીઓના પી. એફ.નંબર કે પી.એફ ના નાણાં પણ જમા કરાવામા નથી આવ્યા.છતાં સેવા એજ ધર્મ જાણી  આ કર્મચારીઓએ પુરી ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી તે કર્મચારીઓ સાથે આવો અન્યાય એક તરફ સરકાર આત્મ નિર્ભર બનાવવાની મોટી વાતો અને બીજી તરફ જીવના જોખમે કામ કરતા કર્મીઓના ઘરના ચુલા ઓલવવા એ ક્યાંનો ન્યાય?

કર્મચારીઓનેછુટા કરાતા આજરોજ વાલ્મિકી સમાજ ના આગેવાનો ધર્મેશભાઈ મહિડા,દિનેશ સોલંકી, ધર્મેશ સોલંકી તેમજ સિવિલ હોસ્પિટલ માંથી છુટા કરાયેલ કર્મચારીએ ભેગા મળી ભરૂચ સિવિલ હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. એસ.આર.પટેલ તેમજ આર.એ.પી.એલ ના ગોપી મેખિયાને રૂબરૂ મળી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ માં કામ કરતા કર્મચારીઓ ને છુટા કરેલ છે. તેમને ફરીથી ફરજ પર લઈ લેવા અને તેમના પી.એફ.ના નાણાં પણ તેમને મળવા જોઈએ તેવી રજુઆત કરી હતી.હવે જોવાનું એ રહ્યું કે આ કર્મચારીઓ સાથે કેવો ન્યાય આ મિલિભગ ધરાવતા સતાધિશો કરશે.

error: Content is protected !!