The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 40

કવાંટના હમીરપુર ખાતે યોજાનાર આદિવાસી એકતા મહા સંમેલનના સ્થળની મુલાકાત લેતા ધારાસભ્ય ચૈતર વસાવા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હમીરપુર ખાતે ૩૦ મું આદિવાસી એકતા મહા સંમેલન યોજવાનું હોય દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રૂબરૂ મુલાકાત લીધી.

જેમાં આદમી પાર્ટીના દેડિયાપાડા નાં ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુર ખાતે જાન્યુઆરી મહિના ની ૧૩,૧૪,૧૫, તારીખ નાં રોજ યોજાનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં સ્થળ ની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ આપના રાધિકા રાઠવા તેમજ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ નાં આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

  • રિપોર્ટર: વિમલ પંચાલ,ન્યુઝલાઇન,નસવાડી છોટાઉદેપુર

જો સમયે વીજળી-પાણી નહિ મળે તો..!દેડીયાપાડા MLA ચૈતર વસાવાએ સરકારને આપી ચીમકી

  • સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી?

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નર્મદા જીલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. જીત મેળવ્યા બાદથી તેઓએ પ્રજા લક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ચૈતર વસાવા પાસે દેડીયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા.ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે GEB કચેરીએ પહોંચી ગયા હતા.અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારીઓને સૂચના આપી હતી.

દેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અહીંયાના DE અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી.અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, તો બીજી બાજુ DE કહે છે કે ગ્રાન્ટનો અભાવ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છુ.નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે.ખેતરમાં જ્યારે TC બડી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી.આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે.આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.

દેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં GEB સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધો હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી.ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું.

  • ખેતી લક્ષી વીજ કંપની જોડાણ માટે ખેડૂતો પાસે પૈસા માગવામાં આવે છે: ચૈતર વસાવાને ખેડૂતોની ફરિયાદ

ખેડૂતોએ MLA ચૈતર વસાવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ખેતી લક્ષી વીજ જોડાણ માટે પૈસા માંગવામાં આવે છે. એ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે થાંભલા રોપાય ત્યારે 1500 રૂપિયા, લાઈનો ખેંચાય ત્યારે 2000 રૂપિયા અને મીટર મુકાય ત્યારે 2500 રૂપિયા ખેડૂતો પાસેથી માંગવામાં આવે છે એવી મારી પાસે ફરીયાદ આવી છે.આગામી સમયમાં અમે GEB કચેરી ખાતે કર્મચારીઓની ઓળખ પરેડ કરીશું, જે અધિકારી અથવા કર્મચારીએ ખેડુત પાસે પૈસા લીધા હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • વિશાલ મિસ્ત્રી,ન્યુઝલાઇન, રાજપીપળા

ભરૂચમાં ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા મળી

ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કના બોર્ડ રૂમમાં યુનિયનના અધ્યક્ષ મહેશ પરમારની અધ્યક્ષતામાં મળી હતી.

સાધારણ સભામાં કર્મચારીઓના હિતને ધ્યાને લઇ કર્મચારીઓની નિવૃત્તિ બાદ પણ મેડિકલ સુવિધા મળે તથા નિવૃત્તિની વય મર્યાદામાં વધારો કરવા યુનિયન ઘ્વારા રિલાયન્સ મેનેજમેન્ટને સમક્ષ માંગ ઉઠાવવા નિર્ણય લેવાયો હતો. સાથે કર્મચારીઓ માટે સુવિધાસભર ટાઉનશીપ ઉભી કરવા પણ માંગ ઉઠાવવામાં આવી હતું.

અધ્યક્ષ સ્થાનેથી મહેશભાઉ પરમારે પોતે રિલાયન્સના એક કર્મચારી હોવાનું જણાવી કર્મચારીઓના પ્રશ્નોને મેનેજમેન્ટ સુધી પહોંચાડી કર્મચારીઓના હિતમાં કાર્ય કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.હોદેદારો રણધિર સિંહ રણા (કાસવા) રાકેશસિહ રણા (અટાલી) રાહુલ દોશી (ભરૂચ) વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દેડીયાપાડા મોવી વચ્ચે તૂટેલું નાળુ : રસ્તો બંધ રહેતાં વેપારી આલમમાં નારાજગી

ચોમાસામાં ભારે વરસાદના કારણે મુવી દેડીયાપાડા વચ્ચેનું એક નાનકડા નાળાનું ધોવાણ થયું હતું જેના કારણે તાત્કાલિક અસરથી ભારે વાહનો બંધ કરી દેવા મા આવ્યા હતા અને છતાં પણ સ્ટેટ હાઇવે નાં સત્તાવાળા ઓ નું પેટનું પાણી નથી હાલતું હજુ પણ આ રસ્તો મોટાં વાહનો માટે બંધ હાલત માં છે. જેના કારણે દેડીયાપાડા સાગબારા સેલંબા અને મહારાષ્ટ્ર નાં મોટાં વાહનો ને 40 કિમી નેત્રંગ થી ફરીને જવું પડે છે.

જેથી માત્ર જિલ્લામાંથી જ આવતો કોઈ પણ જથ્થો દેડીયાપાડા સાગબારા ખૂબ જ મોંઘા ભાવે મળે છે કારણ કે 40 કી.મી માં ફેરાવો એમાં ખૂબ જ ડીઝલ સમય નો વ્યય થાય છે અને જીલ્લા નું અંતર વધી જાય છે છતાં પણ સ્તરે હાઇવે નાં પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા આ રોડ ચાલુ થાય તે વખતે કોઈ ધ્યાન ન આપવામાં આવતા વેપારી આલમ માં રોષની લાગણી ફેલાય છે અને આ જ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ મુખ્ય રસ્તા હોવાથી તાત્કાલિક ધોરણે આ નાળાનું રીપેર કરીને આ રોડ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે આ બાબતે પી ડબ્લ્યુ ડી ના સત્તાવાળા ઓ દ્વારા જીલ્લા સમાહર્તા ને પણ ગેરમાર્ગે દોરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી આ જાહેરનામું પણ તાત્કાલિક બંધ કરાવી તાત્કાલિક ધોરણે આ રોડનો નાડો નું કામ કરાવવામાં આવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે.

અત્રે પણ ઉલ્લેખનીય છે આ રોડ પરથી માત્ર પેસેન્જર વાહનો અને ગુજરાત સરકારની પેસેન્જર બસ જ જાય છે તે સિવાય રાત્રિના સમયે રાત્રિના અંધકારનો લાભ લઈને મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે જેમાં કેટલાક જવાનો રોકડી કરીને પણ મોટા વાહનોને રાત્રે કરાવે છે આમ કેટલાક જાણ ભેદો આ રોડ નો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે જેથી આ ફરિયાદ ઊભી થવા પામી છે

સામાન્ય રીતે સ્ટેટ હાઇવીને પંદર દિવસથી એક મહિના સુધી જ માત્ર બંધ કરી શકાય છે અને કલેક્ટર જેવા સત્તાધિકારીને પણ જાહેરનામું પ્રગટ કરી એક માસ સુધીનો જ કોઈપણ સ્ટેટ હાઇવે નો માર્ગ બંધ કરી શકાય છે કે જેથી આ છેલ્લા છ માસ ઉપરથી આ સ્ટેટ હાઇવે બંધ છે જેના કારણે ભારદારી વાહનો ને બમણો ખર્ચ સહન કરવાનો વારો આવે છે. અને સમયનો વ્યય થાય છે જેથી મોંઘવારીમાં પણ વધારો થાય છે.

  • રિપોર્ટર; સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

માય લિવેબલ ભરૂચ અનવ્યે મુખ્ય રસ્તાઓની ૨૪ કલાક સાફ-સફાઈની કામગિરીનો થયો શુભારંભ

જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા વિવિધ સહભાગીઓ સંસ્થાઓ સાથે ભરૂચ શહેરના મુખ્ય માર્ગોની ઝીણવટપૂર્વક સ્થળ તપાસ, અનેક તજજ્ઞ, ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓએ અરસપરસ સંકલનમાં રહીને અંદાજિત ૪૦ કિ.મી. લંબાઈ વિસ્તારના (મુખ્યત્વે ભરૂચ શહેરી તથા નંદેલાવ, ભોલાવ અને ઝાડેશ્વર) મુખ્ય માર્ગોની સાફસફાઈ અંગેની કામગીરી સીએસઆર પહેલના પ્રથમ તબકકામાં હાથ ધરીને પાર પાડી શકાય એવું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.આ વિશ્લેષણના આધારે આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતરિયા તળાવ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને “માય લિવેબલ ભરૂચ’ સીએસઆર પહેલ અન્વયે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે, ધારાસભ્યએ રમેશ મિસ્ત્રીએ પ્રાંસગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આપણા  ભરૂચને સુંદર અને હજુ વધુ રહેવાલાયક બનાવવા આથી વિશેષ પ્રસંગ બીજો કોઈ હોઈ શકે નહી. સ્વચ્છતા સર્વેક્ષણના રેન્કમાં આપણું ભરૂચ પણ દેશના ટોપટેન શહેરોમાં આવે તેવા પ્રયાસો કરવા ‘’માઈ વિલેબલ ભરૂચને’’ અભિયાન સ્વરૂપે ઉપાડી લઈ તંત્રને સહકાર આપીએ. જિલ્લા કલેક્ટેર તુષાર સુમેરાએ પણ પ્રાસંગિક પ્રવચનમાં પોતાના આઈએએસની ટ્રેનિંગ દરમ્યાન સિંગાપોર દેશની વિઝિટ દરમ્યાન સ્વચ્છતા અંગેના રસપ્રદ પ્રસંગો સાથે ત્યાંની સિસ્ટમની ચર્ચા કરી હતી.  અને  ભારતમાં સ્વછતતા સર્વેક્ષણમાં પ્રથમક્રમે આવતા ઈન્દોર શહેરના ગારબેઝ કલેક્શન વ્યવસ્થા અને ગારબેઝ ફ્રી શહેરની વાત સાથે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ભરૂચ શહેરને પણ વધુ સારી રીતે રહેવાલાયક, સુંદર બનાવવાની આ પહેલને લોકો અપનાવે અને મદદરૂપ બને તેવી હાંકલ કરી હતી.

આ પ્રસંગે, “માય લિવેબલ ભરૂચ”– સીએસઆર પહેલમાં યથાયોગ્ય સીએસઆર અનુદાન ફાળવતી કંપનીઓના સપોર્ટ માટે કંપનીઓ તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓને જિલ્લા તંત્ર વતી પ્રોત્સાહન  આપવા ટ્રોફી આપવામાં આવી હતી.  તે સાથે  કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને સિગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ જ્યૂટ બેગ્સના વપરાશ અર્થે જ્યુટ બેગનું વિતરણ પણ કરાયું હતું.કાર્યક્રમના અંતે ભરૂચ મુખ્ય રસ્તાઓની ૨૪ કલાક સાફ-સફાઈની કામગિરીનો શુભારંભ કરાવા માટે સ્ટેજ પરના મહાનુભાવોના હસ્તે લિલિઝંડી આપવામાં હતી. આ કાર્યક્રમમાં બાંધકામ શાખાના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,  ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ખાનગી સંસ્થાઓ, સીએસઆર અનુદાન ફાળવતી કંપનીઓ તરફથી હાજર રહેલા પ્રતિનિધિઓ, તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા.

૭ પોલીસ ચેકપોસ્ટોથી ભરૂચ-છોટાઉદેપુર જીલ્લા વચ્ચે વાહન ચાલકોને હાલાકી

ભરૂચ જીલ્લો અને છોટાઉદેપુર જીલ્લાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ એસ.એચ.૬૪ ઉપર માત્ર ૧૦૦ કી.મી.ના અંતર વચ્ચે અંદાજે ૭ જેટલી પોલીસ ચેકપોસ્ટો ઉભી કરી દેવાતા અત્રેના માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે.ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામથી છોટાઉદેપુર જીલ્લાના બોડેલી ગામ સુધી રાજ્ય ધોરીમાર્ગ એસ.એચ.૬૪ ઉપર માત્ર ૧૦૦ કી.મી.ના અંતર દરમિયાન ૭ પોલીસ ચેકપોસ્ટો આવતી હોઇ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અત્રેના માર્ગ પરથી રોજીંદા પસાર થતા વાહન ચાલકોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તરફથી ઝઘડીયા,અંકલેશ્વર,ભરૂચ તરફ પસાર થતી વખતે પોલીસ વિભાગની વાહન ચેકિંગ કરવા ઉભી કરાયેલી ચેકપોસ્ટો પર લોખંડના બેરીકેડો માર્ગની વચ્ચે ગોઠવેલા હોઇછે અને આ લોખંડના બેરીકેડો પર રાત્રી દરમિયાન કોઇ રિફલેક્ટર લાઇટોનો પ્રકાશ નહિ હોવાથી અજાણ્યા વાહન ચાલકોને આવા બેરીકેડો નજરે પડતા નથી જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યોછે.

ઉલ્લેખનીય છેકે છોટાઉદેપુર-નર્મદા -ભરૂચ આમ કુલ ૩ જીલ્લા પસાર કરતા કુલ ૭ પોલીસ ચેકપોસ્ટોથી વાહન ચાલકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. પોલીસ ચેકપોસ્ટ ઉપર ગોઠવેલા બેરીકેડો ઉપર તંત્ર રાત્રી દરમિયાન લાઇટો ગોઠવે અને ચેકપોસ્ટ આવતી હોઇ તે અગાઉથી ચેકપોસ્ટ આવશે તેવા સાઇનબોર્ડ મુકવા વાહન ચાલકો માંગ કરી રહ્યાછે.

  • કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવા જ પોલીસ ચેકપોસ્ટ ગોઠવાઇ છે

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સુચના મુજબ પોલીસ ચેકપોસ્ટની ગોઠવણ કરવામાં આવતી હોય છે અને એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં પ્રવેશતા વાહન ચાલકોની જીણવટભરી તપાસ કરવાના હેતુસર ચેકપોસ્ટ મુકવામાં આવેછે કોઇક વખત કોઇ જીલ્લામાં ધાડ,લુટ,હત્યા,ચોરીનો બનાવ બને ત્યારે આવી ચેકપોસ્ટ પર મહત્વની કામગીરી કરવામાં આવેછે અને ગુનાઇત ઇતિહાસ ધરાવતા તત્વો પર વોચ કરવામાં આવતી હોઇછે.જો કોઇ ગુનેગાર કોઇ ગુનો કરી ભાગવાની ફિરાકમાં હોઇ ત્યારે પોલીસ ચેકપોસ્ટો પર વાહન ચેકિંગ દરમિયાન આવા ગુનેગારો આબાદ ઝડપાતા હોવાથી ચેકપોસ્ટો ગુજરાત રાજ્યના નાગરીકોની સુરક્ષા,સલામતી માટે ગોઠવી હોવાનુ જણાવ્યું હતું.

  • રિપોર્ટર: ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

દેડીયાપાડાના ગારદા ખાતે તંત્રની બેદરકારી ને કારણે જર્જરીત આંગણવાડી!

દેડીયાપાડા તાલુકાના ગારદા ગામની આંગણવાડી અત્યંત જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે. અને એક વર્ષ પહેલાં આંગણવાડીને તંત્ર દ્વારા જર્જરિત જાહેર કરી દેવામાં આવ્યા છતાં પણ તંત્રને હજુ તોડવા માટે કે કામ ચાલુ કરવા માટે મુર્હૂત મળ્યું નથી.

એલ્જિરેશનલ જીલ્લાઓમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લો આજે પણ અનેક સમસ્યા ઓથી પીડિત છે. દેશમાં ગુજરાતને નંબર વન રાજ્ય અને મોડેલ તરીકે દર્શાવાય છે, ત્યારે ગુજરાતના નર્મદા જિલ્લામાં શિક્ષણના પાયામાં જ  અસુવિધાઓ જોવા મળે છે. રાજ્યમાં શિક્ષણનું સ્તર તો જિલ્લામાં કથળેલું છેજ પરંતુ કરોડો રૂપિયાની સરકારી  ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાંટો પણ ક્યાં ચાઉ થઈ જાય છે તે તપાસનો વિષય બન્યો છે.

દેડીયાપાડા તાલુકાના કુદરતની સાનિધ્યમાં ગુજત્તા ગામ ગારદા ની આંગણવાડી જર્જરિત હાલતમાં ફેરવાઇ ગઇ છે. જેના ઓટલાની તમામ પત્થરો (ટાઇલ્સ) નીકળી ગઇ છે અને જેમાં સાપ, વીંછી જેવા જીવલેણ જાનવરો ઘૂસી રહેતા હોય છે. અને આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે, જેનેતંત્ર દ્વારા જર્જરિત જાહેર કરવા છતાં પણ હજુ તંત્ર ઉંઘ માંથી ઉઠ્યું નથી, અને આંગણવાડી મંજુર થઈ ગઈ હોવા છતાં એક વર્ષ અને બે મહિના જેવો લાંબો સમય ગાળો વીતી ગયો હોવા છતાં એક વર્ષથી નાના ભૂલકાઓને ભાડા નાં મકાનમાં આંગણવાડી માં જવા મજબુર બન્યા છે,અને આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય આજ દિન સુધી ભાડું ચૂકવવામાં આવેલ નથી.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

નવસારી પાસે માર્ગ અકસ્માત : વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના ચાલકને હાર્ટ-એટેક આવી ગયો હતો.

આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે BAPSના પ્રમુખસ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.

ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે. પોતાની કંપનીના સ્ટાફની સગાઈમાં શુક્રવારે સવારે વલસાડ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો.

 

મૃતકોનાં નામ

 

નીતિન ઘનશ્યામ પાટીલ (ઉં. 30), ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર

જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં. 25), ભાદાજાળિયા, ધોરાજી, રાજકોટ

જયદીપ કાળુભાઇ ગોધાણી (ઉં. 24), નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ (પરિણીત)

ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં. 24), ગુંદાળા, રાજકોટ

જગદીશ રસિકભાઈ દૂધાત (ઉં. 35), પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ (પરિણીત)

મયૂરકુમાર ધીરુભાઈ વવૈયા (ઉં. 23), ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ

નવનીત મોહનભાઈ ભદીચદરા (ઉં. 39), નાયવરનગર, નાના વરાછા, સુરત

પ્રજ્ઞેશ રણછોડ વેકરિયા (ઉં. 23), પાણીની ટાંકી, રબાકિયા, રાજકોટ(પરિણીત)

ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ (લક્ઝરી બસનો મુસાફર)

ભરૂચ શ્રવણ વિદ્યાધામ અંગ્રેજી માધ્યમમાં નાતાલની રંગેચંગે ઉજવણી કરાઇ

નાતાલ એ દિવસ છે કે બધા સમયને એક સાથે રાખે છે. નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ,  ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામમાં અંગ્રેજી માધ્યમમાં નાતાલ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.

આ તહેવાર એ દરેક માટે આનંદ અને ઉત્સાહ લઈને આવે છે આ તહેવાર નિમિત્તે પ્રી પ્રાયમરી સેક્શન અંગ્રેજીમાં ભૂલકાઓએ સાન્તાક્લોઝ બાળ સાન્તાક્લોઝ ની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા અને પ્રી પ્રાઇમરી સેકશનના શિક્ષિકા શિવાંગી મેડમે પણ સાન્તાક્લોઝ ની ભૂમિકા ભજવી વિદ્યાર્થીઓને સંગીતના તાલે આનંદ કરાવ્યો અને વિદ્યાર્થીઓએ ક્રિસમસ ટ્રી જુદા જુદા સ્ટાર તેમજ નાતાલ પર્વના ચિત્રો તૈયાર કર્યા અને પર્વની ઉત્સાહપૂર્વક આગળ ઉજવણી કરી શાળા પરિવાર તરફથી નાતાલના તહેવાર નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી અને નાતાલ પર્વના વધામણા સાથે વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવી.

 

દેડીયાપાડાના ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલની રંગેચંગે ઉજવણી કરાઇ

નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિત ના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા, નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવી.

સી એન.આઇ.ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓ તેમજ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

પ્રભુના જન્મના વધામણા, નાતાલ પર્વની ગારદા સહિત દેડીયાપાડા તાલુકામાં તા.૨૫ મી ના રોજ અનેક જગ્યાઓએ ઉજવણી કરવામાં આવી હતી. આ નાતાલ પર્વ નિમિતે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા
error: Content is protected !!