અંકલેશ્વર નેશનલ હાઇવે પર મુલદ ચોકડી પાસે સુરતથી અમરેલી તરક જતી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા 50થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ભરૂચ-અંકલેશ્વરના ત્રણથી વધુ ફાયર ટેન્ડરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
સુરત ખાતેથી 50થી વધુ મુસાકરોને લઇ ખાનગી લકઝરી બસ અમરેલી તરક જઈ રહી હતી.તે દરમિયાન અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલ મુલદ ચોકડી પાસેથી જ્યારે બસ પસાર થઇ રહી હતી. ત્યારે બસમાં અચાનક જ આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી બસ થંભાવી દીધી હતી.આ આગને પગલે મુસાકરોએ ગભરાઇને ચીચીયારીઓ મચાવી હતી.
જો કે આગને કારણે બસમાં સવાર તમામ મુસાકરો સમય સુચકતા વાપરી નીચે ઉતરી ગયા હતા.આગ અંગે અંકલેશ્વર ડી.પી.એમ.સી. અને ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત ઉઠાવી અડધો કલાકમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં કોઇ પણ જાનહાની નહીં થતા સૌ કોઇએ રાહતનો શ્વાસ લીધો હતો. બસમાં લાગેલ આગને કારણે હાઇવે પર ટ્રાકિકજામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here