The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ઝઘડીયાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ કર્યો સામુહિક બળાત્કાર

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એક ગામમાં ૧૬ વર્ષીય કિશોરી ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો જ્યાં ૮ શખ્સોએ કિશોરી ઉપર સામુહીક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવાએ મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી વિશાલને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે. ૧૬ ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય ૭ મિત્રોને કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ ૭ શખ્સોએ પણ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.

ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ 363 , 366, 376 (D) ,114 અને પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ૮ શખ્શ વિશાલ ચંદ્રેશ વસાવા,કમલેશ ચંદ્રેશ વસાવા,કાર્તિક પ્રવીણ વસાવા,મનોજ મુકેશ વસાવા,ભાવિન સુરેશ વસાવા,અક્ષય રાજુ વસાવા,મેહુલ કલ્પેશ પટેલ,શાહિલ શબ્બીર મોગલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એક્સપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!