The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

0
ભરૂચના ભોલાવના પાર્થનગર ખાતે સી.સી.રોડનું કરાયું લોકાર્પણ

ભરૂચના ભોલાવ ખાતે ગ્રામપંચાયત હદ વિસ્તારના પાર્થ નગર ખાતે નિર્મિત સી.સી. રોડનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થીતીમાં નાયબ દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે પાર્થ નગર ખાતે રૂપિયા ૨૫ લાખના ખર્ચે નવનિર્મિત સી.સી. રોડને રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો.

આ પ્રસંગે નાયબ દંડક દુષ્યંત પટેલે કહ્યું કે ભાજપ સરકારે હર હંમેશ પ્રજાની સુખાકારીની ચિંતા કરી તેમની પડખે રહી છે. ભરૂચ શહેરની પ્રજાને રોડ રસ્તા સહિતની સુખાકરી મળે તે હેતુસર સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને આગામી દિવસોમાં વિકાસલક્ષી કામો હાથ ધરાશેનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે ભોલાવ સરપંચ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયત સદસ્યો, પાર્થનગરના રહિશો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!