The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ : ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાયો

ભરૂચ : ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ યોજાયો

0

• અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ મેડિકલ સેલે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ

ભારત રત્ન સ્વર્ગીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં ઝાડેશ્વર સાંઈ મંદિર ખાતે ભાજપ મેડિકલ સેલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો ચેકઅપ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.

નોંધનીય છે કે ભાજપા મેડિકલ સેલ અંકલેશ્વર નોટિફાઈડ મંડળ દ્વારા ડીવાયએસપી કચેરી પાસે નિશુલ્ક બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જે કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પમાં ડો. ગૌરાંગ પટેલ, ડો. સંદીપ વાંસદીયા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.

દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની આ રીતે જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભરૂચ જીલ્લા ભાજપ તથા મહિલા પાંખ દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા જિલ્લાના આગેવાનો અને હોદ્દેદારો તથા મહિલા સંગઠનના સભ્યોની ઉપસ્થિતિમાં સ્વ. વાજપેયીજીની તસ્વીર સમક્ષ ફૂલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!