The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ:પુષ્પાબાગ એકલીંગજી હોલ ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો

ભરૂચ:પુષ્પાબાગ એકલીંગજી હોલ ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો

0
ભરૂચ:પુષ્પાબાગ એકલીંગજી હોલ ખાતે સુંદરકાંડ પાઠ યોજાયો

ભરૂચ બળેલી ખો સ્થીત પુષ્પાબાગ ની બાજુમાં આવેલ એકલીંગજી મહાદેવ મંદિર હોલ ખાતે જાહેર જનતા માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં એકલીંગજી મહાદેવ ના ટ્રસ્ટી પંકજભાઇ પંડ્યા અને પ્રણવ ખરાદી ના પ્રયોજન થકી અને સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કણિયાદરા ગામના કમલેશભાઇ દરજી અને તેમના વૃંદના મધુર કંઠે ૧૪૧૩માં સુંદરકાંડનું રસપાન કરાવાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

શ્રીરામચરિત માનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરુષાર્થને દર્શાવે છે, પરંતુ સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે થોડો અલગ છે. આ શ્રીરામના પરમભક્ત હનુમાનજીના વિજયનો અધ્યાય છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આત્મવિશ્વાસ અને ઈચ્છાશક્તિને વધારનારો કાંડ છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિની માનસિક શક્તિ વધે છે. કોઈપણ કામને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.

હનુમાનજી એક વાનર હતા, તેઓ સમુદ્રને ઓળંગીને લંકા પહોંચી ગયા અને જ્યાં માતા સીતાની શોધ કરી, લંકાને બાળી અને સીતાનો સંદેશો લઈને શ્રીરામની પાસે પાછા આવ્યા. એક ભક્તની જીતનો અધ્યાય છે સુંદરકાંડ. જે પોતાની ઈચ્છાશક્તિના બળે જ આટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવેલા છે. એટલા માટે આખા રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિના આત્મવિશ્વાસને વધારે છે. તેના પાઠથી નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે અને હકારાત્મકતા વધે છે. તેને લીધે સુંદરકાંડનું વિશેષ પઠન કરવામાં આવે છે.

સુંદરકાંડના પાઠથી ધાર્મિક લાભ મળે છે સાથે હનુમાનજીની પૂજા બધી મનોકામનાને પૂર્ણ કરનારી માનવામાં આવે છે. બજરંગ બલી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થતા દેવતા છે. શાસ્ત્રોમાં તેમની કૃપા પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો બતાવ્યા છે, આ ઉપાયોમાંથી એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનું છે. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈપણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડના પાઠથી દૂર થઈ શકે છે. આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે. તેને લીધે જ ઘણા લોકો સુંદરકાંડનો પાઠ નિયમિત રીતે કરે છે અને ઘણા લોકો જાહેરમાં અનેક લોકો ભાગ લઈ શકે એ રીતે જાહેર સુંદરકાંડના પાઠનું આયોજન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!