The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વર: અડોલ ખાતે કાળભૈરવ જન્મજયંતિ ઉજવાઇ

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વરના અડોલ ગામમાં આવેલા કાલ ભૈરવ દાદાના મંદિર ખાતે કાલ ભૈરવ જન્મ જયંતિ નિમિત્તે પૂજન, અર્ચન અને ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જે ભાવિક ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળ ભૈરવ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. જેથી આજના દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળ ભૈરવ જયંતિના નામે ઓળખવામાં આવે છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખાયા મુજબ પૃથ્વી પરના પાપને નાશ કરવાની બ્રહ્માજીની અસમર્થતાને જોઈ શિવજીને ગુસ્સો આવતાં ભગવાન કાળ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. કાળ ભૈરવે બ્રહ્માજીના એક મસ્તકને પોતાના નખથી કાપી નાખ્યું હતું જેથી કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી ભગવાન કાળ ભૈરવને કાશીમાંથી મુક્તિ મળી હોવાથી ભગવાન શિવે કાશીનું રક્ષણ કરવાની જવાબદારી ભગવાન કાળ ભૈરવને સોંપી હતી. જેને પગલે આજે પણ ભગવાન કાળ ભૈરવ કાશી નગરીની રક્ષા કરી રહ્યા હોવાની લોકમાન્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!