ઓનલાઈનમાંથી ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યા બાદ ગુજરાતના મહાનગરોમાં શાળા તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મહામારી કોરોનાની ઝપેટમાં આવવાના બનાવો ચિંતાજનક શરૂ થઈ ગયા હતા.

ભરૂચ ઝાડેશ્વર ખાતે નદી કિનારે આવેલી રેસિડેન્સીયલ સર્વનમન વિધામંદિરમાં બે વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા જિલ્લા શિક્ષણ જગત અને વાલીઓમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે હાલમાં સ્કૂલને સેનેટાઇઝ કરી પંદર દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.

હવે ભરૂચ જિલ્લાની સ્કૂલમાં પણ કોરોનાએ દસ્તક આપી દીધી છે. ઝાડેશ્વર ખાતે આવેલી સર્વનમન વિધામંદિરમાં 2 બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રેસિડેન્સીયલ સ્કૂલમાં બે વિધાર્થીઓ કોરોનાગ્રસ્ત બનતા જિલ્લા શિક્ષણ વિભાગ, વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સ્કૂલમાં બે બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી સ્કૂલનું સેનિટાઈઝેશન કરવા સાથે શાળાને ૧૫ દિવસ શાળા બંધ કરી દેવામાં આવી છે. જોકે અન્ય વિધાર્થીઓ અને સ્ટાફના કરાયેલા RTPCR રિપોર્ટ નેગેટિવ આવતા થોડી રાહત સ્કૂલને સાંપડી છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ નવા વેરિયન્ટ એમિક્રોનનો ખતરો, બીજી તરફ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવતા લોકોનો બેકાબુ પ્રવાહ પણ કોરોનાનાં કેસોની સંખ્યામાં ટપોટપ વધારો કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here