The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 73

ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપપ્રમુખ,પ્રદેશ યુવા મહામંત્રી સહિત 7 હોદ્દેદારોના ના રાજીનામાં

ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી શહેર પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ યુવા મહામંત્રી સહિત સાત હોદ્દેદારોએ રાજીનામુ આપી દીધું છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચ જિલ્લા અને રાજ્યમાં ભાજપ અને આપ સંગઠન વધુ મજબૂત કરી રહ્યા છે.જ્યારે ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, નારાજગી, અસંતોષ ભભૂકી રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાંથી 45 હોદ્દેદારોના નારાજગી નામાં પડી ચુક્યા છે.

હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ગુરૂવારે મોટો ભૂકંપ સર્જાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ યુવા મહામંત્રી નિકુલ મિસ્ત્રી, શહેર ઉપપ્રમુખ કિરણ ચૌહાણ, ખજાનચી કિરણ પરમાર, જિલ્લા યુથ કોંગ્રેસના રાધે પટેલ, કિશોરસિંહ અને રાકેશ ગોહિલે પક્ષના સભ્ય અને હોદા પરથી રાજીનામાં ધરી દીધા છે.ગુરૂવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત સાતે હોદેદારોએ પત્રકાર પરિષદ યોજી 25 વર્ષથી કોંગ્રેસ સાથે રહેલો સાથ છોડ્યાની સત્તાવાર જાહેરાત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી કંટાળી તેઓ પક્ષમાંથી રાજીનામુ આપતા હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. સાથે જ આગામી સમયમાં ક્યાં રાજકિય પક્ષમાં જોડાશે તેની પણ સત્તાવાર જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું.કોંગ્રેસ પાર્ટીમાં હવે માન સન્માન જળવાતું નહિ હોવાના પણ આક્ષેપ કરાયા હતા. દિલ ઉપર ચોટ લાગતા નારજગીનામું આપી દીધું હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. પ્રદેશ પ્રમુખ એક જ વાત કરતા હતા જેને રહેવું હોય તે કોંગ્રેસમાં રહે બાકી જતા રહે.

ભરૂચ પાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર સામે કાર્યવાહીની જગ્યાએ છાવરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ નિર્ણય શક્તિ અને સંગઠનનો અભાવ હોવાનો પણ મત વ્યક્ત કરાયો છે.

બિસ્માર રસ્તાને લઈને ભરૂચ રીક્ષા એસોસિએશન દ્વારા ખાડા માં બેસી કરાયો વિરોધ

ભરૂચ શહેર મા વરસાદના કારણે પડેલ ખાડા ના મુદ્દે જય ભારત રિક્ષા એસોસિયેશન દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.

ભરૂચ ના રેલવે સ્ટેશન થી  નારી ગૃહ નો રસ્તો અત્યંત બિસ્માર  થઈ ગયો છે .વારંવાર રજૂઆત બાદ પણ સ્થતિ મા કોઈ સુધાર  ન થતાં  રિક્ષા ચાલકો ને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું હોય આ મુદ્દે ખાડા મા બેસી  જઈ રિક્ષા ચાલકો એ વિરોધ નોંધાવી શાસક વિપક્ષ પર આક્ષેપ કરી યુદ્ધ ના ધોરણે  મરામત માટેની  માંગ કરી હતી.

વિરોધ પ્રદર્શન કરતા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિરઝાએ જણાવ્યું કે, ભરૂચ રેલવે સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીનો સમગ્ર જાહેર માર્ગ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયો છે બીસ્માર રસ્તાના કારણે રીક્ષા ચાલકોએ રીક્ષામાં પેસેન્જરને જીવના જોખમે લઈ પસાર થવાની ફરજ પડી રહી છે અને ઘણી વખત રીક્ષા પલટી પણ મારી જાય છે.જેના કારણે અકસ્માત થાય છે. ટુવિલર વાહન ચાલકો પોતાના પરિવાર સાથે આ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યારે મસ મોટા ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતી વેળા ફટકાતા હોય છે જેમાં તેઓના કપડા બગડવા સાથે તેઓની જાલમાલને નુકસાન થાય છે. આટલી મોંઘવારીમાં રીક્ષા ચાલક હોય પોતાના પરિવારનું ગુજરાન ચલવું કે રીક્ષા નું મેન્ટેનન્સ કરવું તે ખબર પડતી નથી. માટે યુદ્ધ ના ધોરણે રસ્તાઓના મરામત માટેની  માંગ કરી હતી.

સાંસદ મનસુખ વસાવાના હસ્તે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનું લોકાર્પણ

વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને સુકન્યા સમૃદ્ધિ યોજના પાસબુક વિતરણ સાથે 3 એમ્બ્યુલન્સ અને જેટિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

વાલિયાની શ્રી રંગ નવચેતન કોલેજ ખાતે બુધવારે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુક વિતરણ કરાયું હતું. સાંસદ મનસુખ વસાવાની ગ્રાંટમાંથી 3 એમ્બ્યુલસ, ભરૂચ જિલ્લા પંચાયતની 15માં નાણાપંચની ગ્રાંટમાંથી જેટિંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ, માજી પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વાલિયા તાલુકા પ્રમુખ સેવન્તુ વસાવા, ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલ, મહામંત્રી રામસીંગ વસાવા, કિરીટભાઈ વસાવા સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભરૂચ જિલ્લાવાસીઓ સાતમથી શરૂ થતા મેઘમેળો મહાલવા આતુર

  • શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે.

દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ અને મેળો.દુનીયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઇ ને કોઇ દંતકથા વણાયેલ હોય છે.જેના આધારે પ્રતિવર્ષ ઉત્સવો અને મેળા યોજાતા હોય છે.આવા ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે બસોથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજ દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે શણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.આમ મેઘરાજાની પ્રતિમાને સતત ૨૫ દિવસ સુધી રાખવામાં આવે છે.

મેઘમેળા પાછળ લોકવાયકા એવી છે કે ભરૂચમાં વસતા યાદવ વંશની પેટાજ્ઞાતિના ભોઇસમાજના વશંજો તરફથી આજથી આશરે ૨૫૦થી પણ વધુ વર્ષ પહેલા મેઘરાજાની માટીમાંથી બનાવેલ મૂર્તિની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી.સ્થાપના પાછળનો ઇતિહાસ એવો છે કે છપ્પનિયા દુકાળ પહેલા એક દુકાળ પડયો હતો.એ એવો સુકો દુકાળ હતો કે તમામ જીવો પાણીની એક બુંદ માટે પણ તરફડી રહ્યા હતા.

કહેવત છે ને કે “સુખે સાંભરે સોની,ને દુ:ખમાં સાંભરે રામ”દુકાળગ્રસ્ત વિરતારને બચાવવા વરસાદના દેવ કે જે ઇન્દ્રદેવ કે મેઘરાજા તરીકે પ્રચલિત છે જી વિનવવા ભોઇસમાજના વશંજો કે જે ભરૂચના ફૂરજા બંદરે વાહણોમાંથી માલસામાનની ફેરીનું કામ કરતા હતા અને ભરૂચના મોટોભોઇવાડ,નાનો ભોઈ વાડ અને લાલબજાર ખાતે મોટી સંખ્યામાં વસતા હતા.તેમણે મોટાભોઈવાડ ખાતે અષાઢ વદ ચૌદશની રાતે માટીની લગભગ સડાપાંચ ફૂટ ઉંચાઇની મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી અને તેમની સમક્ષ વરસાદ માટે ખૂબ ખૂબ વિનંતિઓ કરીભજન કિર્તનો પણ યોજયા પરંતુ બધું જ નિષ્ફળ ગયું.

આખી રાત ભાવિક ભકતોના ભજન અને ભક્તિની કોઇ અસર ન થવાથી ભોઇ સમાજના ભકતોએ નિરાશ બની મૂર્તિ સમક્ષ એવી ચીમકી ઉચ્ચારી કે “હે ઇંન્દ્રદેવ સવાર થતા સુધીમાં જો વરસાદ નહીં પડે તો અમે તલવારથી તારી મૂર્તિને ખંડીત કરી નાંખીશું”આ એક ધમકી ન હતી પરંતુ ભકતોની સાચા દિલથી લોકોના ભલા માટેની ભાવના હતી.અને અંતે આવા નિસ્વાર્થ ભકતોની ભક્તિથી મેઘરાજા રિઝાયા અને પરોઢિયે એવો તો ચમત્કાર થયો કે જોત જોતામાં વાતાવરણ બદલાયું,એકાએક વંટોળ આવ્યો.ઠંડાપવનની લહેરો આવવા લાગી અને જોતજોતામાં આકાશમાં ઘનઘોર વાદળો છવાયા,વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે મુશળધાર વરસાદ તુટી પડયો.

ધરતી ભીંજાતા તેમાંથી માટીની મહેક આવવા લાગી જેથી ભોઇ સમાજના ભકતોના ભજનોમાં નવો પ્રાણ પુરાયો.ભકતોની વ્હારે ભગવાન પધાર્યા એવું જાણી ભોઇ સામાજે વાતાવરણ ભકતીથી એવું તો તરબોળ બનાવી દીધું કે વરસાદ સતત ચાલુ જ રહ્યો.બસ ત્યારથી આ ચમત્કારિક પ્રસંગની યાદમાં ભરૂચમાં વસતા ભોઇસમાજના લોકોએ દર વર્ષે મેઘરાજાની સ્થાપના કરવાનું નક્કી કર્યું.જે આજે પણ નિયમિત ચાલુ છે.

ભરૂચ નર્મદા 26 ફૂટે…જૂઓ નર્મદાનો અલ્હાદક આકાશી નજારો!

નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા ભયજનક 24 ફૂટથી ઉપર 26. ફૂટે વહી રહી છે.જેના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂઓ ડ્રોનની મદદથી લેવાયેલ નર્મદા નદી બંન્ને કાંઠે વહેતી અને તેનો આકાશી અદભૂત નજારો…ભવાની ડીજીટલ સ્ટુડીયો,ભરૂચના સહયોગથી

નેત્રંગના વાંકોલ-ઉમરખેડા વચ્ચે આવેલ નાળું ઘોવાતા રાહદારીનું મોત!

નેત્રંગ તાલુકાના ઉમરખેડા ગામે રહેતા હરીલાલભાઇ શંકરભાઇ વસાવા (ઉ.૫૬) ઉમરખેડા ગામેથી સાંજના સમયે વાંકોલ ગામે રહેતા પોતાના નાના ભાઇ સુરતાભાઇ શંકરભાઇ વસાવાના ઘરે તેઓની નાની બહેન ડભાલ ગામે પરાણવેલ છે.જે બહેન બીમાર હોવાના કારણે વાંકોલ ગામે સુરતાભાઇ ને ત્યાં રહેવા આવેલ હોવાથી જાણ થતાં તેઓની પત્ની સાથે ખબર અંતર પુછવા માટે આવેલ હતા.

જ્યાંથી ખબરઅંતર પુછી રાત્રીના સમયે વાંકોલ-ઉમરખેડા ગામ વચ્ચેથી વહેતી મધુમતી ખાડી પર બંન્ને ગામને જોડતુ નાળુ છે.જે નાળા  ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે મધુમતી ખાડીમાં ઓચિંતાનું ધોડાપુર આવતા હરીલાલભાઇ વસાવા ધસમસતા પાણીના પ્રવાહમાં મોટરસાયકલ સાથે ખેંચાઇ જતા તેઓનુ ડુબી જવાથી મોત થતાં પરીવારજનોમાં ભારે ઘેરાશોકની લાગણી ફરી વળી હતી.

  • ઇકરામ શેખ,ન્યુઝલાઇન,નેત્રંગ

નર્મદા નદીની સપાટી 26 ફૂટે, જિલ્લામાં 800થી વધુ લોકોનું સ્થળાંતર

ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 26 ફૂટે પહોંચી છે, જેને લઈને જિલ્લાના 800થી વધુ લોકોનું અને પશુધનનું સ્થળાંતર કરાયું છે, જ્યારે શાળામાં રજા જાહેર કરાઈ છે.

મધ્યપ્રદેશમાં અવિરત વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમમાંથી 7.50 લાખ ક્યૂસેક પાણીની સરદાર સરોવર નર્મદા ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગતરોજ 5.45 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ જારી કરાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.60 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.

ગતરોજ રાતે નદીની વોર્નિંગ લેવલ સપાટીથી બે ફૂટ ઉપર વધી હતી. ત્યારે આજે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 26 ફૂટ ઉપરથી વધુ પહોંચી છે, જેને પગલે ભરૂચ ઉપર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પૂરના સંકટ વચ્ચે તંત્ર દ્વારા રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સહિત આગેવાનો ખડેપગે રહી સેવા કાર્યમાં જોડાયા છે. અત્યારસુધી જિલ્લામાં 870 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

બીજી તરફ ભરૂચમાં ‘ઘોડાપૂર’ને ટાળવામાં સરદાર સરોવર ઉપર બેસાડવામાં આવેલા 4500 હાથી જેટલું વજન ધરાવતા ડેમના દરવાજા હાલ તો સફળ રહ્યા છે. સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી બડવાની ડેમ મારફત 7.75 લાખ ક્યુસેક પાણી બુધવારે સાંજથી વધી આવવા લાગ્યું હતું. જોકે, નીચાણવાસમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાને પૂરથી બચાવવા સરદાર સરોવર નર્મદા ડેમ SSNNLના સત્તાધીશોએ 450 ટનનો એક એવા ડેમના સ્પીલ વે ઉપર લગાવેલા 30 રેડિયલ દરવાજાને કામે લગાડ્યા હતા.

અંકલેશ્વરમાં આમલાખાડી ઓવરફલો,વાહન વ્યવહારને અસર!

અંકલેશ્વરમાં વરસાદી માહોલ અને નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 5 લાખ ક્યુસેક પાણીના કારણે અનેક ખાડીઓ, નહેરો ઓવરફ્લો થઈ છે. ત્યારે અંકલેશ્વર શહેરની આમલાખાડી પણ ઓવરફ્લો થતાં હાઇવેથી પીરામણ ગામને જોડતો માર્ગ બંધ થયો છે.

અંકલેશ્વર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંકલેશ્વર શહેરમાં 24 કલાકમાં 10 મિમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંકલેશ્વરની આમલાખાડી ઓવરફ્લો થતાં પીરામણ ગામથી વાલિયા ચોકડી હાઇવેને જોડતાં માર્ગ પર પાણી ફરી વળતાં ત્યાંથી પણ અવર-જવર કરતા વાહન ચાલકોને અસર થઈ છે.

ભરૂચ જુના તવરા બેટ ઉપર રહેતા પશુપાલકો અને ખેડૂત પરિવારોનું સ્થળાંતર

ભરૂચમાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. ઉપરવાસમાંથી સતત છોડાઈ રહેલા સાડા પાંચ લાખ ક્યુસેકના પગલે નીચાણવાસ ભરૂચમાં પુરના પાણી હવે સમસ્યા સર્જી રહ્યા છે.

ભરૂચના પૂર્વ પટ્ટી ઉપર આવેલા નવા અને જૂના તવરાના ગ્રામજનો જુના ગામે બેટ ઉપર રહી ખેતી અને પશુપાલન કરે છે. નર્મદા નદીમાં પુરને પગલે બેટમાં પાણી ઘુસવા લાવતા પશુપાલકો અને ખેડૂતોએ પરિવાર સાથે સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા સલામતીના ભાગ રૂપે નાવડીઓમાં ઘરવખરી, પશુઓ સાથે આ લોકોએ બેટ પરથી દૂર ખસેડવાનું શરૂ કરી દેવાયું છે.

ભરૂચ નર્મદા નદીની સપાટી 25 ફૂટે, 53 પરિવારનું સ્થળાંતર, શાળાઓમાં રજા જાહેર

ઉપરવાસમાંથી સતત પાણીની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કા વાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત રોજ 2 લાખથી વધુ ક્યૂસેક પાણી તબક્કાવાર છોડવામાં આવ્યું હતું, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા એલર્ટ અપાયું હતું. ત્યારે આજરોજ ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 5.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી 25 ફૂટે પહોંચી છે, જેને લઈને સાવચેતીના ભાગરૂપે 53 જેટલાં કુટુંબના 186 જેટલા લોકો અને પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદીકાંઠા વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ગતરોજ રાત્રે નદીની વોર્નિંગ લેવલ સપાટી વધી હતી. ત્યારે આજે સવારે 10 કલાકે નદીની સપાટીમાં સતત વધારો થયો છે. નદીની સપાટી વધીને 25 ફૂટે પહોંચી છે, જેને પગલે ભરૂચ પર પૂરનું સંકટ ઊભું થતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વસતા 53 જેટલા કુટુંબના 186 જેટલા નાગરિકો અને પશુધનનું સ્થળાંતર કરાયું છે. જે લોકોને દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક-6 ખાતે સ્થળાંતર કરી તેઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યારે અંકલેશ્વર તાલુકાના સરફૂદ્દીન ગામના 500 અને ખાલ્પિયા ગામના 90 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યારસુધી જિલ્લામાં 800 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

પૂરના સંકટ વચ્ચે નગર પાલિકાની રેસ્કયૂ ટીમ, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ, સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો ખડેપગે રહી સેવાકાર્યમાં જોડાયા છે. નદી

error: Content is protected !!