The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 72

ભાજપના કદાવર અને દિગ્ગજ યુવા નેતા AAP માં જોડાયા!

  • ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાત રાજ્ય ની વિધાનસભાની ચુંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા ઓ વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે.

આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છ છબી ધરવતા અને સામાજિક માન મોભા વાળા રાજકિય આગેવાનો ને પોતાનાં તરકે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના કુંવરપરા ગામ ના સરપંચ અને ગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ગત રોજ આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભારતિય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર હતા. દરેક પંચાયતો ના સરપંચ સાથે તેઓનો સિધોજ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જીલ્લા મા કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય ભાજપા સાથે છેડો ફાડ્યા બાદ આમ આદમી પાર્ટી ની ઝાડુ નો દામન થામતા ભાજપા ને ચોક્કસ પણે વિધાનસભા ની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન નર્મદા જીલ્લા થાય તો નવાઇ નહીં.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં જોડતા રાજપીપળા વિધાનસભા ના ઉમેદવાર તરીકે તેઓને રાજકીય પંડિતો જોઈ રહયા છે. આગામી દિવસોમાં નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓને આમ આદમી પાર્ટી પોતાનાં ઉમેદવાર બનાવે તો નવાઈ નહીં.

  • રિપોર્ટર:સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા

ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી 26.50 ફૂટે

ભારે વરસાદ બાદ ઈન્દીરા ડેમમાંથી 7 લાખ ક્યુસેક પાણી છોડવાના કારણે નર્મદા,ભરૂચ અને વડોદરા જિલ્લામાં નર્મદા નદીનું જળસ્તર વધવાની અને પૂરનું સંકટ ઉભું થવાની ચેતવણી આપવામાં આવી છે.હાલમાં નર્મદા નદી અંકલેશ્વર બાજુમાં 26.50 ફૂટે ભયજનક સપાટીએ વહી રહી છે,અંકલેશ્વર સાઇડ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા પણ સૂચનો આપવામાં આવી છે.

23મી ઓગષ્ટના રોજ બપોરે 3 કલાકથી 7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે બુધવારે સાંજથી ગોલ્ડનબ્રિજ ખાતે મંગળવારે રાત્રીના 11.00 કલાકે સપાટી 24.30 ફૂટ પહોંચી છે. નર્મદા નદીના જળ સ્તરે ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના કારણે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. જેના કારણે અંકલેશ્વર સાઇડ નર્મદા કાંઠાના કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહીને સલામત સ્થળે ખસી જવા સૂચનાઓ આપવામાં આવી છે.

નર્મદા ડેમ માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા અંકલેશ્વર પાસે નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંકલેશ્વર બાજુએ નર્મદા નદી તેના વોર્નીગ લેવલ 22 ફૂટ ઉપર ભયજનક 24 ફૂટ વટાવી 26.50 ફૂટે વહી રહી છે.ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા કાંઠાના કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. અંકલેશ્વરના નર્મદા કાંઠાના 2 ગામો સરફુદ્દીન, ખાલપીયા, ગામોને એલર્ટ કર્યા છે.

અંકલેશ્વરમાં નગરપાલિકા પ્રમુખ અને પી.ડબલ્યુ.ડી.ના અધિકારીઓને અપાયું આવેદન

ભગવાન શ્રીજી 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. અને ભરૂચ– અંકલેશ્વર સહિત વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમા બેસાડવાનું શરૂ થઇ ગયું છે. 2 વર્ષ બાદ ધામધુમથી ગણેશ ઉત્સવ ઉજવવા માટે ગણેશ મંડળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં વિવિધ ગણેશ મંડળો મૂંઝવણમાં મુકાયા છે.

અંકલેશ્વર ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા તેમજ પ.વ.ડી. વિભાગના અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામા આવ્યું અને વિનંતી કરવામાં આવી કે ભગવાન ગણેશ સહુના વિઘ્નો દૂર કરવા તો આવી રહ્યા છે. પરંતુ તેઓને સ્થાપિત કરવા માટે તેઓની મુર્તિ લઈ જવા માટે વચ્ચે કનડતા વિઘ્નો દૂર કરવામાં આવે અને માર્ગોની મરામત કરવામાં આવેની માંગ કરાઇ હતી.

એક તરફ જિલ્લાનું તંત્ર 91 કિમી જેટલા માર્ગો રીપેર કર્યા હોવાના દાવા કરી રહ્યું છે તો વરવી વાસ્તવિકતા શું છે તે આ રજૂઆત જ કહી કરી રહી છે.રજૂઆતમાં તેમણે પોતાની મૂંઝવણ રજૂ કરી છે કે ભગવાન શ્રીજીની પ્રતિમાને પોતાના પંડાલ સુધી કોઈ પણ અડચણ વગર લઈ કેવી રીતે જવી. કારણ કે હાલમાં જે માર્ગોની સ્થિતિ છે તે પ્રતિમાઓને ખંડિત થવા પર મજબૂર કરી દે છે. વરસાદના કારણે કહો કે ભ્રષ્ટાચારના કારણે લગભગ તમામ માર્ગોની સ્થિતિ ઉબડખાબડ બની છે. જેના કારણે વાહનચાલકોએ તો શું પગપાળા ચાલતા લોકોએ પણ ભોગ બનવું પડે છે.

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર પડ્યું 20 ફૂટ મોટું ગાબડું!

રાજપીપળાથી રામગઢને જોડતા પૂલ પર 20 ફૂટ મોટું ગાબડું પડ્યું છે. જેના કારણે 10 જેટલા ગામોનો રાજપીપલા સાથે સંપર્ક તૂટ્યો છે અને અનેક વાહનચાલકોને પણ અટવાવવા નો વારો આવ્યો છે, તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં  મુકાયા છે.

જેના કારણે પુલના તકલાદી બાંધકામ અંગે અનેક સવાલો ઉઠ્યા છે. કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાજ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે વહેલી તકે આ ખાડો પુરી રસ્તો અવર જવર કરવા માટે ખુલ્લો મુકવામાં આવે એવી લોકો ની માંગ ઉઠવા પામી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)

ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી 18 કલાકમાં સાડા પાંચ ફૂટ જેટલી વધી

ગોલ્ડનબ્રિજ ખાતે ભરતી અને ડેમમાંથી છોડાતા પાણીને લઈ વીતેલા 18 કલાકમાં જળ સ્તર સાડા પાંચ ફૂટ જેટલા વધ્યા છે. ડેમમાંથી છોડાતા પાણીના વિપુલ જથ્થાને લઈ વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને પેહલી થી જ એલર્ટ કરી દઇ તંત્ર પણ સ્થિતિ ઉપર નજર રાખવા ફરી એક્શનમાં આવી ગયું છે.

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ડેમના 23 દરવાજા હવે 3.05 મીટરથી ખોલી નદીમાં 5 લાખ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાનું શરૂ કરી દેવાયું છે. ભરૂચમાં 98 કિલોમીટર જેટલી સફર ખેડી આ પ્રવાહ આગામી 6 કલાકમાં આવવાની શરૂઆત થઇ જતાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની જળ સપાટી બપોર સુધીમાં વોર્નિંગ લેવલ 22 ફૂટ આસપાસ પોહચી જાય તેવી સંભાવના રહેલી છે. એક સપ્તાહમાં બીજી વખત ભરૂચ ખાતે નદી તેની ભયજનક સપાટી 24 ફૂટે ફરી પોહચે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. હાલ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી 21  ફૂટ છે.

નર્મદા ડેમના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 6 યુનિટનું સંચાલન કરીને 45,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ છે. નર્મદા નદીમાં કુલ 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં હવે આવી રહ્યું છે. જોકે છેલ્લા 24 કલાકથી SSNNL 135 94 મીટર ડેમની સપાટીને જાળવી રાખી છે.

આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

ભરૂચના માર્ગ અને મકાન વિભાગે રાતો રાત જાદુની છડી શહેર અને જિલ્લાના બિસ્માર બનેલા એવા 91 કિલોમીટરના માર્ગો પૈકી 63 KM માં રૂપિયા 4.30 કરોડના ખર્ચે રાત દિવસ એક કરી કરાયેલી કામગીરી ક્યાં રસ્તાઓ ઉપર કરી તેની દશા સુધારાઈ તેને લઈ ભરૂચના વાહનચાલકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના 91 કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 63 કિમીના રસ્તાની મરામત પૂર્ણ કરી દેવાયાનો દાવો માર્ગ અને મકાન વિભાગે કર્યો છે. અંદાજિત રૂ. 4 કરોડ 30 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી હોવાની કેફિયત પણ માર્ગ અને મકાન વિભાગે વ્યક્ત કરી છે.

લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરંટી પિરીયડ ઘરાવતા સંબંધિત ઈજારાધારકો પણ રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કુલ 91 કિમીના પર રસ્તાને નુકશાન થયું છે.જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર , સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ – રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા 4 દિવસ દરમિયાન ફરી વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા.

વાગરા તાલુકામાં આવેલી અંભેલની શાળાની ઇમારત જર્જરીત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી અંભેલ પ્રાથમિક શાળાના ઓરડાઓ તકલાદી બની જતાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના જીવ જોખમમાં મુકાયાં છે.

વાગરા તાલુકામાં આવેલ અંભેલ પ્રાથમિક શાળાઓના ઓરડાઓ તકલાદી તેમજ ભંગાર થઈ જવાના લઈને ૧૫ દિવસ થીવાલીઓ બાળકોને શાળામાં મોકલતા ન હોવાના લઈને બાળકોના અભ્યાસ પર પડી રહેલ ગંભીર અસર આજ સુધી શિક્ષણ શાખા ના જવાબદાર અધિકારીઓ શાળાની મુલાકાતે આવેલા નથી.ગામના સરપંચ અનિતાબેન યાદવ તેમજ ગ્રામ જનોના જણાવ્યાં અનુસાર, તેમના ગામની શાળામાં ધો ૧ થી ૮ ના આવેલા છે જેમાં બાળકો ની સંખ્યા ૯૬ જેટલી સંખ્યા હોય અને ૪ શિક્ષકો છે

આ શાળા માં બંધકામ તકલાદી તેમજ જર્જરિત હાલત માં થઈ ગયેલ હોવાથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના માથે મોતનો ખતરો ઉભો થયો છે. શાળા બાબતે અનેક જગ્યા ઉપર વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી શાળાની મુલાકાત લીધી નથી. વધુમાં શાળાના સંચાલકો ગ્રામજનોને પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ આપતાં હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. બીજી તરફ શાળા સંચાલકોના મનસ્વી વર્તનથી કંટાળી તથા શાળામાં જાનહાનિનો ભય ઉભો થતાં વાલીઓએ 15 દિવસથી તેમના બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી દીધું છે.

ભરૂચ લિંક રોડ પરની પંચવટી સોસાયટીમાં જુગાર રમતા ૪ ખેલી ઝડપાયા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમા રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી પ્રોહી/જુગારની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ એક સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ. જે અન્વયે સુચનાના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ડી.પી.ઉનડક્ટ ભરૂચ શહેર ”એ” ડીવીઝન પો.સ્ટે.નાઓ દ્વારા પ્રોહી/જુગાર કેશો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવેલ

દરમીયાન પોલીસ સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે પંચવટી સોસાયટીના રહેણાંકના મકાનમા ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોય તેવી ચોક્કસ બાતમીના આધારે પંચવટી સો.સા.ના મકાન નંબર-ર૧ ખાતેથી સફળ રેઇડ કરી ચાર આરોપીઓ (૧) ચંદ્રહાસ રતીલાલ ભાઇદાસવાલા ઉ.વ. ૫૮ રહે. મ.નં.ર૧, પંચવટી, સોસાયટી લીંકરોડ ભરૂચ (ર) ચંદુજી પોચારજી ઠાકોર ઉ.વ. ૩૦ રહે. નિકોરા ગામ, નવીનગરી તા.જી.ભરૂચ (૩) બ્રજમાન મુકેશસિંધ રાજપુત ઉ.વ.૩૦ રહે. મ.નં. ૧૩, મોટાલી ગામ, સિધ્ધેશ્વરી રેસીડેન્સી અંદાડા ચોકડી પાસે, ભરૂચ મુળ રહે. ગામ ખાંડોલી, કોક્સિકાપુરા, તહસીલ જોરા, જીલ્લા મોરના,(એમ.પી.),(૪) રનસિંહ બિસમ્બરસિંહ રાજપુત ઉ.વ.૩૪ રહે. મ.નં. ૧૩, મોટાલી ગામ, સિધ્ધેશ્વરી રેસીડેન્સી અંદાડા ચોકડી પાસે, ભરૂચ મુળ રહે. ગાવ ખડગપુરા, થાના નાધનપુર, તહસીલ બસેડી, જીલ્લા ધોલપુર,(રાજસ્થાન) ને કુલ કિંરૂ.૧,ર૬,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ મુજબ કાર્યવાહી હાથધરી છે.

પોલીસ ટીમે જુગારીઓની અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા-૫૩,૦૦૦/-, મોબાઇલ નંગ-૦૪ કિં.રૂ.૧૮,૦૦૦/-, મોટર સાઇકલ નંગ-૦ર કિં.રૂ.૫૫,૦૦૦,/- મળી કુલ રૂ.૧,ર૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ભરૂચ નાયબ દંડક અને એસ.પી.એ ઘોઘારાવ સાથે છડીના કર્યા દર્શન

ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.સાતમ થી શરૂ થતો આ મેઘોત્સવ દશમના મેઘરાજાની વિદાય સાથે પૂર્ણ થાય છે.આ મેળામાં ઘોઘારાવની હાજરી હોય લાખો શ્રદ્ધાળુઓ નમન કરવા અચુક આવે છે.

જેમાં આજે આંઠમના રોજ ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલ,ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા અને પાલિકા પ્રમુખ અમીત ચાવડા,નીશાંત મોદી,જીજ્ઞેશ મિસ્ત્રી સહિતનાઓ સાથે એસ.પી. લીના પાટીલે પણ ઘોઘારાવ મંદીરે માથું નમાવી છડીઉત્સવનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે અઢીસોથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજના કાર્યકરો દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે આલગ-અલગ શણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘોત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.

રાજપારડીમાં દિપડો ગામમાં ધસી આવતા ગામલોકોમાં ભય

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં દિપડાઓની સંખ્યા વધતા હવે દિપડાઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં ઘસી આવવાના બનાવો બની રહ્યાછે.આવાજ એક બનાવ મુજબ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના જીન ફળીયા,ભાલોદ રોડ વિસ્તારમાં ગઇકાલે રાત્રે દિપડો દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો અને સ્થાનિકો મોટી સંખ્યામાં દિપડાને દેખવા ટોળે વળ્યા હતા.

ઘટના અંગે ઝઘડીયા વનવિભાગને માહિતી મળતા ઝઘડીયા વનવિભાગના આર. એફ. ઓ. મિનાબેન પરમાર,રાજપારડીના ફોરેસ્ટર મહેશ વસાવા તેમની ટીમ સાથે તુરંત રાજપારડી દોડી આવ્યા હતા અને દિપડાની હાજરી વારા સ્થળે તપાસ હાથધરી દિપડાને ઝડપી લેવા કવાયત  હાથધરીછે.સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજપારડીની સીમમાં અવારનવાર દિપડાઓ દેખા દેતા હોઇછે અને દિપડાઓ દ્વારા અવારનવાર શ્વાન,પશુઓ,બકરા,બકરી,વાછરડા,ગાયો પર હુમલાઓ કરી ઘાયલ કરે છે.

બુધવારે રાત્રીના સમયે દેખાયેલા દિપડાએ શ્વાનનો શિકાર પણ કર્યો હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું હતુ નગરની સીમમાં દિપડો ધસી આવતા દિપડાને નિહાળવા સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા લોકોના ટોળાને સલામતીના ભાગરૂપે રાજપારડી પોલીસે હટાવી દીધા હતા જોકે સ્થાનિકોના ટોળાએ દિપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાની ઘટના સામે આવી છે.

ફારૂક ખત્રી,ન્યુઝલાઇન,રાજપારડી

error: Content is protected !!