The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 50

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

ભરૂચના સ્વાતંત્રય સેનાની શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજ્મુદાર તા. ૨૮/૧૦/૨૦૨૨ના રોજ દુ:ખદ અવસાન થયું છે.

જેમના પાર્થીવ દેહને ભરૂચ પાંચબત્તિ નજીક સ્ટેશન રોડ પરની બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૨ન રોજ સવારે ૭.૩૦ કલાકે દર્શનાર્થે રખાશે ત્યાર બાદ સવારે ૮.૦૦ કલાકે સદગતની અંતિમયાત્રા બસંત ટોકીઝ કંમ્પાઉન્ડથી દશાશ્વમેઘ ધાટ,દાંડીયા બજાર ખાતે સન્માંપૂર્વક લઈ જવાશેનું તેમના પરિવાર દ્વારા જણાવ્યું છે.

આ દુ:ખદ પ્રસંગે ન્યુઝલાઇન વેબન્યુઝ પોર્ટલ ના જીજ્ઞેશ ડાંગરવાલા પરિવાર શ્રદ્ધાંજલી અર્પી ભગવાન તમારા પરિવારને આ દુ: ખ સામનો કરવા હિંમત આપે તેવી પ્રાર્થના કરે છે.

ભરૂચ શહેરમાં ફરી એકવાર AIMIM મેદાનમાં..!

ભરૂચ શહેરમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વિવિધ પાર્ટીઓમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિયેશન પ્રમુખ આબિદ મિર્ઝા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાને AIMIM નો ખેસ ધારણ કર્યો છે.

જેમાં AIMIM ના વૉર્ડ નંબર 10 ના નગર સેવક, સાદેકા બીબી, શહેર યુવા પ્રમુખ જાવેદ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સાબુદીન ભઠ્ઠી તેમજ AIMIM આગેવાનોની ઉપસ્થિતિમાં રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદ મીર્જા તેમજ પૂર્વં રાષ્ટ્રીય મુસ્લિમ મોરચા ગુજરાત અધ્યક્ષ લિયાકત ખાનનું સ્વાગત કરી AIMIM માં આવકાર આપ્યો. જો કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ વિધાનસભા બેઠક પરથી ભરૂચ જિલ્લા રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા પણ પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેવી શક્યતાઓ નકારી ના શકાય.

SOU વિશ્વ વનમાં ક્યા આપ મેરે રામ બનોગે થીમ પર વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તુત કરાયું રામાયણ

ભારત સરકારના વિદેશ મંત્રાલયના ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) વિભાગ દ્વારા ભારતમાં રામાયણ ઉત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની છઠ્ઠી આવૃત્તિનું હાલમાં દેશભરમાં વિવિધ વિસ્તારોમાં વિદેશી કલાકારો દ્વારા પ્રસ્તૃતિકરણ થઇ રહ્યું છે. આ ઉત્સવમાં શ્રીલંકા, ત્રિનિદાદ, ટોબેગો, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ફિજી અને મલેશિયાના વિવિધ સાંસ્કૃતિક મંડળો સહભાગી બની રહ્યા છે. ગુજરાતમાં આઇ. સી. સી. આર. ના ક્ષેત્રીય નિર્દેશક ડો. જીગર ઇનામદારની રાહબરીમાં આ સાંસ્કૃતિક મંડળો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચતા નર્મદા જિલ્લામાં પણ રામાયણ ઉત્સવ યોજાયો હતો.

વિવિધ દેશોના આ સાંસ્કૃતિક મંડળોએ દિલ્હી અને અયોધ્યામાં અગાઉ દિવાળી પર્વે રામાયણના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. છઠ્ઠા આંતરરાષ્ટ્રીય રામાયણ મહોત્સવના વિસ્તરણના ભાગરૂપે ત્રિનિદાદ અને ટોબેગો, ફિજી, મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડના વિવિધ સાંસ્કૃતિક મંડળોએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર નજીક આવેલા વિશ્વ વનમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે બે દિવસ સુધી રામાયણ પ્રસ્તુત કર્યું હતું.

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડોદરા, ICCR અને ગુજરાત સરકારના રમતગમત-યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રથમ દિવસે તા.૨૬ મી ઓકટોબર, બુધવારના રોજ શ્રીલંકા અને થાઈલેન્ડના કલાકારોએ રામાયણ કથાની પ્રસ્તુતિ કરી હતી. જ્યારે બીજા દિવસે ગુરૂવારે ફિજી અને મલેશિયાના કલાકારોએ “ક્યા આપ મેરે રામ બનોગે !” થીમ આધારિત રામાયણની કલાત્મક પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે અધિક કલેક્ટરશ્રી હિમાંશુ પરીખ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સહિતનાઓએ રામાયણ પ્રસ્તુતિનો લ્હાવો લઇ ભક્તિમય માહોલ સાથે આનંદની અનુભુતિ કરી હતી.

રાષ્ટ્રીય કક્ષાએ શૂટિંગ ચેમ્પિયનશીપમાં 26 મેડલ સાથે રાજ્યમાં ભરૂચ અવ્વલ

ગુજરાત તેમજ દેશમાં ભરૂચના નિશાનેબાજોએ સુંદર પ્રદર્શન સાથે ગુજરાત લેવલે ઉત્કૃષ્ઠ પ્રદર્શન સાથે ૨૬ મેડલ્સ જીતી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

જેમાં રાઇફલ શુટિંગની વિવિધ સ્પર્ધાઓ પૈકી મુખ્યત્વે ભરૂચના સુપર સ્ટાર નિશાનેબાજ તેમજ ભરૂચ જિલ્લાના શૂટરને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જનાર અજય નવીનચંદ્ર પંચાલ ભરૂચ જિલ્લા સેક્રેટરી 1)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) માસ્ટર મેન વ્યક્તિગત -1 સિલ્વર મેડલ, જ્યારે ખુશી ભરત ચુડાસમાએ (પારૂલ યુનિવર્સિટી)1)50 મીટર,રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) જુનિયર મહિલા-1 ગોલ્ડ,2)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (ISSF) મહિલા વ્યક્તિગત-1 સિલ્વર,3)50 મીટર રાઇફલ થ્રી પોઝિશન (ISSF) જુનિયર વ્યક્તિગત -1 સિલ્વર, ધનવીર હિરેન રાઠોડે 1)50 મીટર થ્રી પોઝિશન જુનિયર મેન (ISSF) વ્યક્તિગત -1 ગોલ્ડ, 2)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) જુનિયર પુરુષો વ્યક્તિગત-1 ગોલ્ડ,3)50 મીટર રાઇફલ પ્રોન પોઝિશન (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ,

સોમ રાજેન્દ્ર વિસાવડીયાએ 1) 10 મીટર એર રાઇફલ  મેન વ્યક્તિગત (ISSF)-1 બ્રોન્ઝ,2)50 મીટર થ્રી પોઝિશન જુનિયર (NR) મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ,3)50 મીટર થ્રી પોઝિશન (NR) મેન વ્યક્તિગત-1 બ્રોન્ઝ,અદિતિ રાજેશ્વરી આનંદ સ્વરૂપે(પોદ્દર ઇન્ટરનેશનલ સ્કૂલ)1) 10 મીટર એર રાઈફલ (ISSF) પેટા યુવા મહિલા વ્યક્તિગત 1- સિલ્વર,2)50 મીટર ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ,3)50 મીટર ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન જુનિયર મહિલા વ્યક્તિગત -1 ગોલ્ડ,સુનિતાબેન વસાવાએ(ભરૂચ પોલીસ)1)50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ પ્રોન પોઝીશન મહિલા વ્યક્તિગત (NR)-1 સિલ્વર,2)50 મીટર રાઈફલ ઓપન સાઈટ રાઈફલ થ્રી પોઝિશન મહિલા વ્યક્તિગત (NR)-1 ગોલ્ડ,3)10 મીટર ઓપન સાઈટ રાઈફલ મહિલા -1 સિલ્વર,

અગમ આદિત્ય આનંદ સ્વરૂપે 1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ,સિદ્ધાર્થ વિપુલકુમાર પટેલે(નર્મદા કોલેજ)1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ,રૂદ્ર કાપડિયાએ(પારૂલ યુનિવર્સિટી)1) 10 મીટર એર પિસ્તોલ (NR) જુનિયર મેન્સ ટીમ -1 ગોલ્ડ,પ્રણવ જોશીએ 1) 10 મીટર એર રાઇફલ સિનિયર માસ્ટર (NR) પુરુષો વ્યક્તિગત -1 ગોલ્ડ,રૂશિતા એસ.કે સેલવાએ (દિલ્હી પબલિક સ્કુલ)1)10 મીટર ઓપન સાઈટ રાઈટ રાઈફલ જુનિયર વિમેન -1 ગોલ્ડ,2)10 મીટર ઓપન સાઈટ રાઈફલ યુથ વુમન -1 સિલ્વર,3)10 મીટર ઓપન સાઈટ રાઈફલ સબ યુથ વુમન -1 સિલ્વર મેડલ મેળવ્યા તો તેમની સાથે સુરેશ ભાઈ પરમારે પણ 1)10 મીટર ઓપન સાઈટ રાઈફલ મેન -1 સિલ્વર મેડલ તો વંદન નીલ ગાંધીએ(ક્વીન ઓફ એન્જલ સ્કૂલ),1)10મી ઓપન સાઈટ રાઈફલ જુનિયર મેન-1 સિલ્વર હાંસલ કર્યા હતા.તેમજ ભરૂચ જિલ્લાના નિશાનેબાજ વેસ્ટ ઝોન શૂટીંગ પ્રતિયોગીતા માં ૫ રાજ્યો પૈકી ગૂજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ,દીવ, દમણ અને ગોવા વચ્ચે યોજાયેલ પ્રતિયોગિતા માં અવલ આવી ગુજરાત નું નામ રોશન કરેલ છે.

આ 9મી વેસ્ટ ઝોન શૂટિંગ સ્પર્ધા 2022માં સોમ વિસાવડિયાએ ૧)50 મીટર જુનિયર મેન વ્યક્તિગત થ્રી પોઝિશન -1 સિલ્વર મેડલ અને 50 મીટર મેન વ્યક્તિગત થ્રી પોઝિશનમાં 1 સિલ્વર મેડલ મેળવેલ છે.તો ધનવીર રાઠોડ ૧)50 મીટર પ્રોન પોઝિશન જુનિયર મેન વ્યક્તિગત -1 બ્રોન્ઝ મેડલ ગૂજરાત નું નામ રોશન કરેલ છે.મેડલ જીતનાર તમામને ભરૂચ જિલ્લા પ્રેસિડેન્ટ અરૂણસિંહ રણા અને સેક્રેટરી અજયભાઈ પંચાલ દ્વારા જિલ્લાના શૂટર્સને પ્રશંસા પાઠવી તેમજ સન્માનિત કર્યા હતા. સાથે જ વધુ ને વધુ ભરૂચ જિલ્લામાં આ નિશાનેબાજો મેડલ્સ લાવે તેવા આશીર્વાદ આપી બિરદાવ્યા હતા.

ભરૂચ : વેસદડા ગામના 250થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ધારણ કર્યો કેસરિયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભામાં કેસરિયો રંગ વધુ ઘેરો બનતો જાય છે. એક વખતના ચુસ્ત કોંગ્રેસી ગામોનો ઝોક ભાજપ તરફ વધતો જાય છે. ગુરુવારના રોજ વધુ એક ગામ વેસદડાના ગ્રામજનોએ પણ થાકી હારીને કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો ખેસ પહેર્યો હતો.

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બનતું જાય છે. બીજી બાજુ રાજકીય પાર્ટીઓનો ચૂંટણીલક્ષી ધમધમાટ વધતો જાય છે. ચૂંટણીની જાહેરાત પહેલાજ સંભવિત ઉમેદવારોએ લોકોસુધી પહોંચવા મેરેથોન દોડ લગાવી છે. આવા સમયમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની વિકાસની કામગીરીને લઈ એક સમયના ચુસ્ત કોંગ્રેસી ગામો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા કોંગ્રેસના આગલી હરોળના આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ચુક્યા છે. હવે ચુસ્ત કોંગ્રેસી ગામો ભાજપને સમર્થન આપી રહ્યા છે. જેમાં વધુ એક વેસદડાં ગામનો પણ સમાવેશ થયો છે.

વેસદડાં ગામના 250થી વધુ લોકોએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપ સાથે જોડાયા છે. વેસદ ગામના સીરાજ અલી, સૌક્ત અબ્દુલ, ઇરફાન અહમદ તથા લિમજી વસાવા સહિત 50 જેટલા આગેવાનો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્ક ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અરુણસિંહ રણાએ તમામ આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારી સાય સાથે મળી વિકાસના કર્યો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક સમયે વાગરા બેઠક કોંગ્રેસની પોકેટ બેઠક ગણાતી હતી. જોકે અરુણસિંહ રણા ભાજપમાંથી ચૂંટાયા બાદ તેમની કાર્ય શૈલીના કારણે હવે આ બેઠક પર ભાજપનો દબદબો ઉભો થયો છે. એક પછી એક વરિષ્ઠ આગેવાનો અને આખેઆખા ગામો ભાજપમાં જોડાતા કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ  ગઈ છે. આવા સંજોગોમાં વધુ કેટલાક ગામો ભાજપના સમર્થક બનતા વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પોતાનું વજૂદ ગુમાવ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખતરા રૂપ બને તેવી શક્યતાઓ છે.

કાલથી રાજસ્થાનના CM અશોક ગેહલોત બે દિવસ ગુજરાત આવશે, ઉમેદવારો જાહેર થવાની શક્યતા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમો અંતિમ મોડમાં ચાલી રહ્યાં છે.આગામી 31 ઓગસ્ટે મોદી ગુજરાત આવશે અને બનાસકાંઠાના થરાદમાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. બીજી બાજુ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસમાં તેઓ 6 જાહેરસભા સંબોધશે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસની કમાન હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હાથમાં લીધી છે. અશોક ગેહલોત આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે. ત્યારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની પણ શક્યતાઓ છે.

સુત્રો પાસે જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વોરરૂમમાં નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરી બેઠક યોજાઇ હતી. જેમાં સોનિયા ગાંધી સહીતના પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન લાંબા મંથન બાદ 3 દાયકાથી જે બેઠક કોંગ્રેસ હારે છે તે બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં 2017માં સૌથી ઓછા મતે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતા તે બેઠકના પણ ઉમેદવાર લગભગ નક્કી કરી દેવામાં આવ્યા છે. વર્તમાન ધારાસભ્યો સિવાય 35 ઉમેદવારો સ્ક્રીનીંગ કમિટીએ નક્કી કરી લીધા છે. જ્યારે 50થી 65 બેઠકના ઉમેદવારોના નામ ઉપર CEC એ મંજૂરીની મહોર મારી હોવાનું જણાઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 : ભરૂચમાં આજથી બે દિવસ મુરતિયાઓ માટે કરાશે મંથન

  • અંકલેશ્વરમાં સર્વ સંમતિનો દાવો નિરીક્ષીકો સમક્ષ ભાંગી પડ્યો
  • મનીષા પટેલ પાલિકાના 30 નગર સેવકો સાથે પહોંચ્યા પણ નિરીક્ષકો સામે સૂર બદલ્યા

ભાજપ આજથી બે દિવસ મુરતિયાઓ માટે મંથન કરાશે. અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભરૂચમાં આજે નિરીક્ષકો સેન્સ લેશે. ભરૂચની 5 બેઠકમાંથી 2 બેઠક માટે આજે સેન્સ લેવાશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સત્તધારી પક્ષ ભાજપના ઉમેદવારીની ટિકિટ ટકાવી રાખવા અને પક્ષ તરફથી પરિવર્તનના અહેવાલો વચ્ચે ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં મુરતિયાઓ મેદાને પડ્યા છે. ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભા વિસ્તારના પદાધિકારીઓ પાસે ફીડબેક લીધો હતો. ભરૂચ જિલ્લાની ભરૂચ અને અંકલેશ્વર માટે સેન્સ પ્રક્રિયા શરૂ હાથ ધરવામાં આવી હતી.

ભાજપાના નિરીક્ષક શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમીષા સુથાર સમક્ષ ૩૦ નગરસેવકો એક સાથે પત્ર લઈ પહોંચ્યા હતા. આ પાત્રમાં લખવામાં આવ્યું હતું કે અમે સર્વાનુમતે અમરા ઉમેદવાર તરીકે માજી મંત્રી ઈશ્વર પટેલને ઇચ્છીએ છીએ. નિરીક્ષકો પત્ર વાંચી રહયા હતા તે દરમ્યાન જ મહિલા નગર સેવિકા મનીષા પટેલે હાથ ઉંચો કરી બળવાનો સુર વ્યક્ત કર્યો હતો. મનીષાબહેને પોતે ૩૦ નગર સેવકોથી અલગ હોવાનું અને ધારાસભ્યની ટિકિટના હકદાર હોવાનું જણાવી ઉમેદવારી નોંધાવતા સોપો પડી ગયો હતો.

મનીષા પટેલ પાલિકાના 30 નગર સેવકો સાથે પહોંચ્યા પણ નિરીક્ષકો સામે સૂર બદલ્યા નગરસેવિકા મનીષા પટેલે જણાવ્યું હતું કે હું ભાજપાની સક્રિય કાર્યકર છું અને ઉમેદવારી કરવનો મને હક છે. જે માટે મેં ટિકિટ માંગી છે. હું હમેશા પક્ષને વફાદાર રહીશનું કહ્યું  તો કોર્પોરેટર મનીષાબેન પટેલની ટીકીટ માટેના દાવા બાદ ચમક પણ ઝરી હતી.  ભાજપ અગ્રણી અને પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદિપ પટેલે નિરીક્ષકોને સ્પષ્ટ જણાવી દીધું હતું કે એકપણ નગરસેવક બહેનના ટેકામાં નથી જેની નોંધ લેશો.

અંકલેશ્વરના સંભવિત ઉમેદવારોની યાદીમાં ઈશ્વર પટેલ,મનીષા પટેલ,ભરત નાગજી પટેલ,જનક શાહ,સુરેશ પટેલ,સંદીપ પટેલનો સમાવેશ તો ભરૂચ ના સંભવિત ઉમેદવારોની યાદીમાં દુષ્યંત પટેલ,દિવ્યેશ પટેલ,દક્ષા પટેલ,શૈલા પટેલ,જીગ્નેશ પટેલ,નિરલ પટેલ,ડો. સુષમા પટેલના નામ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ૩ અને અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ૪ ટર્મથી એકજ બેઠક ઉપરથી ચૂંટાતા આવી રહ્યા છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીની સભામાં સ્થાનિક નેતાઓને મોળો પ્રતિસાદ મળ્યો હોવાની ચર્ચાઓ વહેતી થયા બાદ બદલાવની અટકળો વચ્ચે ઘણા ધુરંધરોએ સીધા અથવા આડકતરા દાવા કરવા માંડયા છે.

ભરૂચમાં ભાજપના નિરીક્ષકોના આગમન સાથે રાજકીય વાતાવરણમાં ગરમાવો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષકોની નિમણુંક કરી છે.ત્યારે ભરૂચ જીલ્લાની ૫ વિધાનસભા બેઠકો પર સેન્સ લેવા આજે નિરીક્ષકો દ્વારા ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે કવાયત શરૂ કરી છે.

વિધાનસભાની ચૂંટણીની તારીખ ગામે ત્યારે ઈલેકશન કમિશન દ્વારા થઈ શકે છે.ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા નીરક્ષકોની નિમણુંક કરવામાં આવતા ભરૂચ જીલ્લામા નિરીક્ષક તરીકે પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને નિમિષા સુથારની નિમણુંક કરાઈ છે.ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભૂપેન્દ્ર ચુડાસમા બપોર પછી આવનાર હોય ત્યારે બાકીના બે ભાજપ નિરીક્ષકોએ સેન્સ લેવાની કામગીરી હાથઘરી હતી.જેના પગલે રાજપૂત છાત્રાલય ખાતે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોના સમર્થકોનો જમાવડો જોવા મળતો હતો.

ભરૂચની પાંચ વિધાનસભાની ચુંટણી માટે સેન્સ લેવાની પ્રક્રિયા ત્રણ દિવસ ચાલનાર હોવાનું જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જણાવ્યુ હતું કે પ્રથમ દિવસે અંકલેશ્વર અને ભરૂચ બેઠકના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને બાકીના બે દિવસમા જીલ્લાની અન્ય ૩ બેઠકો જંબુસર,વાગરા અને ઝઘડીયા માટે સેન્સ લેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. સત્તધારી પક્ષ ભાજપના ઉમેદવારીની ટિકિટ ટકાવી રાખવા અને પક્ષ તરફથી પરિવર્તનના અહેવાલો વચ્ચે ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં મુરતિયાઓ મેદાને પડ્યા છે. ભાજપના નિરીક્ષકો દરેક વિધાનસભા વિસ્તારના પદાધિકારીઓ પાસે ફીડબેક લીધો હતો. ભરૂચ જિલ્લાની ભરૂચ અને અંકલેશ્વર માટે સેન્સ પ્રક્રિયા શરૂ હાથ ધરવામાં આવી હતી.બંને બેઠકના ધારાસભ્યો સહીત ૧૪ મુરતીયતાઓએ ટિકિટ મેળવવા તે સક્ષમ હોવાનો દાવો નિરીક્ષકો સમક્ષ કર્યો હતો. અંકલેશ્વરમાં 30 નગરસેવક ઈશ્વર પટેલ માટે સર્વ સંમતિનો પત્ર લઈ નિરીક્ષકો પાસે પહોંચ્યા બાદ મહિલા નગર સેવિકા મનીષા પટેલે નિરીક્ષકો સામે વિચાર બદલ્યો હતો અને ઉમેદવારીનો દાવો કરતા સોપો પડી ગયો હતો.

ભાજપના નિરીક્ષકોના આગમન સાથે વિધાનસભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થશે જેના પગલે રાજકીય વાતાવરણમાં હાલ ગરમાવો જરૂર જોવા મળી રહ્યો છે.

ભરૂચના ટંકારિયા ગામે ઓનલાઇન મોબાઇલ કમિશનની લાલચે 3 જણે ગુમાવ્યા રૂ.7.15 લાખ

ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે કમીશનમાં સારા રૂપિયા મળે છેની લાલચ આપી મિત્રએ જ અન્ય ૩ મિત્રો સાથે છેતર્પીંડી કરતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

ટંકારિયા ગામે અમન કોલોનીમાં રહેતાં યાસીન યુનુસ પટેલ ગામના મેઇન બજારમાં હશનેન કલેકશન નામની રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. વાતરસા ગામે તેના સગાસંબંધીને ત્યાં નાનપણથી અવારનવાર જતો હોઇ ત્યા રહેતાં સલમાન વલી ભગત સાથે તેની મૈત્રી થઇ હતી. દરમિયાન હાલમાં દિવાળીનો તહેવાર ચાલી રહ્યો હોઇ સલમાને યાસીનનો સંપર્ક સાંધ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તે ડિસ્કાઉન્ટમાં ઓનલાઇન મોબાઇલ ખરીદે છે અને તે ભરૂચ-અંક્લેશ્વરની મોબાઇલની દુકાનોમાં તે મોબાઇલ વેચી મોબાઇલ દીઠ 2 હજાર રૂપિયા કમાય છે. તે સેમસંગ મોબાઇલ કેરમાં નોકરી કરતો હોઇ તેના દુકાનોમાં ઓળખાણ હોઇ તે દુકાનો પરથી ઓર્ડર મેળવી મોબાઇલ વેચવાની તેની જવાબદારી રહેશે. તેમ કહીં તેણે રૂપિયા કમાવવાની લાલચ આપી હતી.

દરમિયામાં સલમાને પહેલાં 5મી સપ્ટેમ્બરે બે મોબાઇલનો ઓર્ડર મળ્યો હોવાનું જણાવતાં યાસીને તેના ખાતામાં પહેલાં 62 હજાર ટ્રાન્સ્ફર કર્યાં હતાં. જે બાદ તબક્કાવાર એક – બે મોબાઇલના નવા ઓર્ડર આવ્યાં હોવાનું જણાવી સલમાને તેની પાસેથી કુલ 3.35 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સ્ફર કરાવ્યાં હતાં. અરસામાં યુનુસે તેની પાસે હિસાબ માંગતાં હું અત્યારે અંકલેશ્વર જઇ રહ્યો છું.

ત્યાં હોલસેલરને મોબાઇલ આપી તમારું પેમેન્ટ બપોર બાદ કરી આપીશ તેમ કહી ગયાં બાદ તેનો મોબાઇલ સતત સ્વિચઓફ આવતો હતો. જેના પગલે યાસીન વાતરસા ગામે સલમાનના ઘરે જતાં તે ક્યાંક જતો રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ પણ તપાસ ચાલું રાખતાં સલમાને યાસીનના ગામના જ ઉબયદહ અઝીઝુર રહેમાન ભુટાના 1.75 લાખ, જાવીદ ઉમરજી ગેનના 1.50 લાખ કહાન ગામના જાબીર મહંમદ હકીમના 55 હજાર પણ ખાઇ ગયો હોવાની માલુમ પડ્યું હતું.

બનાવ સંદર્ભે પાલેજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ દિવાળીનો તહેવાર ચાલી રહયો છે ત્યારે લોકો ઓનલાઇન ખરીદી કરી રહયાં છે પણ તેમાં છેતરાઇ જવાનો પણ ભય રહેલો હોય કાળજી રાખવી જરૂરી છે.

સૂર્ય ગ્રહણના સૂતક કાળ લઈને આગામી મંગળવારે ભરૂચ ઓસારા મંદિર રહેશે બંધ

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે  દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે.

જે આગામી મંગળવાર તા ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ છે.તે દિવસે સૂર્ય ગ્રહણ હોવાથી મંદિર  દર્શન માટે ખુલશે નહિ,જેની દર્શાર્થીઓને નોધ લેવા સંચાલકોએ વિનંતિ કરી છે.

આ સૂર્ય ગ્રહણ એક આંશિક સૂર્ય ગ્રહણ છે અને આ વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ છે. તેનો સૂતક કાળ 24 ઓક્ટોબર એટલે કે દિવાળીની રાતે 02 વાગીને 30 મિનિટે લાગી જશે, જે આગલા દિવસે 25 ઓક્ટોબરે સાંજે 04 વાગીને 22 મિનિટ સુધી રહેશે.

જેના લીધે તા.૨૫મીને મંગળવારે મંદિર ખોલવામાં આવશે નહિ તા ૨૬-૧૦-૨૦૨૨ નારોજ   બેસતાવર્ષના દિવસે મંદિર સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭.૩૦ કલાક સુધી ખુલ્લું રહેશે.

error: Content is protected !!