The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 47

વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5માં નર્મદા,અમદાવાદ અને છત્તીસગઢના ખેલાડી ચમકશે

હાલ નવેમ્બર મહિનામાં વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 રમાવા માં જઈ રહી છે એક બાજુ ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણી નો માહોલ બન્યો છે તેની વચ્ચે વેલીયન્ટ પ્રિમિયર લીગ સિઝન 5 ની પણ શરૂઆત થઈ રહી છે. વી. પી. એલની પહેલી સિઝન થી જ અમદાવાદ ના સલમાન પઠાણ અને છત્તીસગઢના ગાઝિ સુજાઉદીન રમી રહ્યા છે.

જ્યારે નર્મદા થી વિશાલ પાઠક વેલીયન્ટ પ્રિમિયર લીગ ની સિઝન 2 થી જોડાયા હતા વિશાલ પાઠક સિઝન 2 માં સુરત વોરિયર્સ, જ્યારે સિઝન 3 અને 4 માં રાજપીપલા કિંગ્સ ટિમનો કેપ્ટન બન્યો ટિમ ને ફાઇનલ સુધી પહોંચાડી અને સિઝન 5 માં અમદાવાદ ફાઈટર તરફ થી રમશે. જ્યારે છત્તીસગઢ નો ગાઝિ સુજાઉદીન પણ અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી સિઝન 5 માં રમશે. ગાઝિ સુજાઉદી એ વેલીયન્ટ ક્લબનો સૌથી સિનિયર ખેલાડી છે. જેને વેલીયન્ટ ક્લબ તરફ થી 33 ટી-20 મેચ રમી ચુક્યો છે, જેમાં તેને 18.90 ની ઔસત થી 624 રન બનાવ્યા છે.

જેમાં સૌથી વધુ 56 બોલ માં 69 રન પણ બનાવ્યા છે, જ્યારે બોલિંગ માં 49 વિકેટ પણ લીધી છે, જેમાં એક મેચ માં 17 રન આપી 4 વિકેટ પણ લીધી છે. ગાઝિ એ વેલીયન્ટ ક્લબ તરફ થી 3 વાર નેપાળ ખાતે ટી-20 સિરીઝ પણ રમી ચુક્યો છે.  છેલ્લા 10 વર્ષ થી વેલીયન્ટ ક્લબ તરફ થી રમી રહ્યો છે. 2018 માં વેલીયન્ટ માઇલસ્ટોન નો એવોર્ડ પણ ગાઝિ સુજાઉદીન ને મળી ચુક્યો છે.જ્યારે અમદાવાદ ના સલમાન પઠાણ પણ સિઝન 5 માં રમી રહ્યો છે અમદાવાદ ફાઈટર તરફથી 3 જી વાર કેપ્ટન તરીકે ફરજ બજાવશે.

જોકે સલમાન પઠાણ ની આ 5 મી સિઝન છે ગાઝિ સુજાઉદીન સાથે વેલીયન્ટ ની પહેલી સિઝન થી સલમાન પઠાણ રમી રહ્યો છે.જાન્યુઆરી 2022 માં રામાયેલ ક્લબ ચેમ્પિયનશીપમાં વાડી ખાતે રમાયેલ મેચમાં વિશાલ પાઠકે હેટ્રિક વિકેટ લીધી હતી અને અમદાવાદ ખાતે રામાયેલ ક્લબ ચેમ્પિયનશીપ માં સલમાન પઠાણ એ હેટ્રીક વિકેટ લીધી હતી. આ વર્ષે આ ત્રણેય સિનિયર ખેલાડી અમદાવાદ ફાઈટર ટિમ તરફ થી જ રમશે.

રિપોર્ટર: સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા (નર્મદા)

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલમાંથી ગૌમાંસ ઝડપાયું

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ન્યુ અલ-બેઇક શીક પરાઠા નામની રેસ્ટોરન્ટમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ રેસ્ટોરન્ટના ડીપ ફ્રીજમાંથી 10 કિલો ગૌમાંસ જપ્ત કરી સેમ્પલ પૃથ્થકરણમાં મોકલતાં તેના રિપોર્ટ પોઝીટીવ આવતાં રેસ્ટોરન્ટના બે સંચાલકો તેમજ તેમને ગૌમાંસ સપ્લાય કરનાર ખાતકી વિરૂદ્ધ પશુઘાતકી પણાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇને ચોક્કસ બાતમી મળી હતી કે, શીફા ત્રણ રસ્તાથી મનુબર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ન્યુ અલ-બેઇક સીક પરાઠા નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં ગૌમાંસનું વેચાણ થાય છે. જેના પગલે તેમણે તેમની ટીમ તેમજ ભરૂચ પશુ દવાખાનાના પશુચિકિત્સક ડો. સાજીદ વોરા સાથે હોટલમાં રેડ કરી હતી. રેસ્ટોરન્ટના માલિક બસારતઅલી કુરબાનઅલી શેખ (રહે. ધોબી તળાવ, મસ્જીદની બાજુમાં, મુળ રહે. ગુલાલપુર ગામ યુપી) હોવાનું માલુમ પડ્યું હતું.

પોલીસ ટીમે હોટલમાં ચેકિંગ કરતાં અંદર આવેલાં એક ડીપ ફ્રીજમાં પશુમાંસ તેમજ માંસનો ખીમો તેમજ ચરબી અને લીવર પડેલું જણાયું હતું.જેથી તેમણે તમામ જથ્થાના 4 સેમ્પલો મેળવી તે તપાસ અર્થે સુરત ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં. જેનો રિપોર્ટ આવતાં માલુમ પડ્યું હતું કે, 4 પૈકી 3 સેમ્પલમાં મોકલાવેલું માંસ ગૌમાંસ હતું. જેના પગલે પીઆઇએ રેસ્ટોરન્ટના સંચાલક બસારતઅલી કુરબાનઅલી શેખની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના મોટા ભાઇ અસરફઅલી કુરબાનઅલી શેખે શહેરના ભઠીયારવાડ ખાતે અસ્લમ કુરેશી નામના એક શખ્સ પાસેથી ગૌમાસ લાવ્યો હતો.જેના પગલે પોલીસે ન્યૂ અલ-બેઇક રેસ્ટોરન્ટના બન્ને માલિક ભાઇઓ તેમજ ખાતકી વિરૂદ્ધ આઇપીસીની કલમ 429 તેમજ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ તથા પશુઘાતકી પણા અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં બિઝનેસમેનના મકાનમાંથી રૂ.30.28 લાખથી વધુનો નો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા બિઝનેસમેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં અને યુ.એસ.ડોલર મળી કુલ 30.28 લાખની વધુની  મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલ સ્થિત મુક્તિ નગરમાં આવેલા મકાન નંબર-840માં રહેતા વિપુલકુમાર કનૈયાલાલ કોઠારી ભરૂચ જી.આઈ.ડી.સી.માં આવેલી જી.ફેક્સીપેક કંપની ચલાવે છે. જેઓ ગત તારીખ-3 નવેમ્બરના રોજ પરિવાર સાથે બનારસ ખાતે ગયા હતા, દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.

આ ચોરીમાં તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના-ચાંદીના ઘરેણાં, રોકડાં 7.25 લાખ તેમજ 1.66 લાખના યુએસ ડોલર મળી કુલ 30.28 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાલો વિકાસની ઘોડાગાડી જુના ભરૂચમાં આખરે સોનેરી મહેલનો ટેકરો તો ચઢી!

જુના ભરૂચમાં પણ માનવ વસ્તી રહે છે,તેઓ પણ વોટર્સ છે નો ખ્યાલ સફાળા જાગેલ ચૂંટાયેલા પાંખ અને તેના જવાબદાર હોદ્દેદારોને આવતા વિકાસની ઘોડાગાડી માંડમાંડ ધક્કામારી પાંચબત્તીથી સોનેરી મહેલનો ટેકરો ચઢાવતા કહી ખુશી કહી ગમના દ્રષ્યો સર્જાવા પામ્યા હતા.

લાંબા સમયથી જૂના ભરૂચની પ્રજા તેમની પ્રાથમિક સુવિધાઓની કાગડોળે રાહ જોતી હતી પરંતુ કોઇ કારણોસર આ વિસ્તારની ચુંટાયેલ પાંખને પ્રજા દ્વારા કરાયેલ રજૂઆત રૂપી વેદના દેખાતી ન હતી અથવા તો તેમણે કરેલ પ્રજાની રજૂઆત યોગ્ય જગ્યાએ સાંભળવામાં આવતી ન હોય તેમ વિકાસ રૂપી ઘોડાગાડી પાંચબત્તિ થી સોનેરી મહેલનો ટેકરો ચઢતા હાંફી જતી હતી.

જેને ચુંટણી જાહેર થતાં જ બે મહિના અગાઉનો વર્ક ઓર્ડર અચાનક કોન્ટ્રાકટરને પણ યાદ આવતા સ્થાનીક ચુંટાયેલ હોદ્દેદારો સાથે મળી માંડ માંડ આ વિકાસની ઘોડાગાડીને સોનેરી મહેલ સુધી લાવવામાં આવતા પ્રજા અને કોન્ટ્રાકટર વચ્ચે ગુણવત્તાને કારણે શાબ્દીક યુદ્ધ છેડાયું હતું. જો કે અંતે વિકાસ ઝંખતી પ્રજાએ નમતું જોખી રસ્તાના કામને આગળ ધપવા દીધું હતું.

હવે જોવું એ રહ્યું કે શું આ ઘોડાગાડી જુના ભરૂચના બાકી રહેલા વિસ્તારો,શેરીઓમાં રસ્તા,ગટર,લાઇટ સહિતની સુવિધાઓ આપવા સક્ષમ બનશે કે પછી અહીં પણ થોડું કરી બહુ વિકાસ થયાનો સંતોષ માની સતાપક્ષ ફરી વાયદાની વણઝાર સાથે ફોટો સેશન કરાવશે તે તો હવે આવનાર ચુંટણી તેમજ પાલિકાની ચુંટણીનું પરિણામ જ નક્કી કરશે.

માણો શુકલતિર્થનો મેળો અને જાણો તેનું મહાત્મય!

જેના દર્શન માત્રથી બહ્મહત્યાનું પાપ નિર્મૂળ થાય છે. જયાં બધા તીર્થોના પ્રભાવ તેમજ જયાં પ્રત્યેક કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે તથા જેના નામ ઉપરથી ‘શુકલતીર્થ’ ગામના નામનો જન્મ થયો છે. તે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દર વર્ષે કાર્તિકી અગિયારસથી પુનમ સુધીની જાત્રા ભરાય છે. જેનું પૌરાણિક મહત્વ હોવાને કારણે રાજ્યભરમાંથી  શ્રદ્ધાળુઓ મેળો મહાલવા ઉમટે છે.

શુક્લર્તીથ ગામે કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ મેળાનો શુક્રવારથી રંગેચંગે આરંભ થઇ ગયો છે. મેળાના પ્રથમ દિવસથી પ્રવાસીઓની મેળો મહાલવા અવરજવરનો પ્રારંભ થઈ ચુકયો છે. પ્રત્યેક કાર્તિકી પૂનમના દિવસે દૂરદૂરથી હજારો ભાવિક ભકતો નર્મદાના સ્નાન કરી આ શુકલેશ્વર મહાદેવનાં દર્શન કરી પવિત્ર બને છે.

સંસારના ભયને હરનારા અને સર્વ લોકોના એક જ નાથ એવા સર્વવ્યાપક વિષ્ણુ ભગવાન યાને ૐકારેશ્વર (ઓમનાથ) ભગવાનની પ્રભાવશાળી વિષ્ણુ મુર્તિ અને ભવ્ય મંદિર શુકલતીર્થ ગામની મધ્યમાં આવેલું છે. પુરાણ પ્રસિધ્ધ રેવા પુરાણમાં (નર્મદાપુરાણમાં) ઓમકારેશ્વરનો પુરાણ ઇતિહાસ છે.કાર્તિક સુદ પૂર્ણિમા ૐ કારનાથ ભગવાનનો જન્મદિવસ છે. પ્રજાપતિ બ્રહ્માઓ, કામનાઓ પૂર્ણ કરે એવું શુકલતીર્થ ઉત્પન્ન કર્યું બ્રહ્માએ શુધ્ધ શુકલ ચિતે અને સાત્વીક ભાવે આ તીર્થ બનાવ્યું તેથી શુકલતીર્થ કહેવાયું, આ તીર્થ સુર સિધ્ધોથી સેવેલું સર્વ ધર્મમય ઋષિ સિધ્ધીઓઓ મુકેલ મુકિતબીજ છે પુરાણ પ્રસિધ્ધ રેવાખંડમાં ઓમકારનાથનો પુરાણો ઇતિહાસ વર્ણવેલો છે.

વિષ્ણુ ભગવાનની આ મંદિરમાં ભવ્ય મૂર્તિ ન તો કોઇ કારીગરે કોતરેલી કે ન બનાવડાવેલી પરંતુ ‘સ્વયં ભૂ’ એટલે કે પોતે સ્વયં વિષ્ણુ સ્વરૂપે સાક્ષાત પ્રગટ થયેલા છે, અને તેથી આખી મૂર્તિ રેતીની બનેલી છે. નજરે જોનારને મૂર્તિ આરસના પથ્થરની બનેલી હોય એવી ઉડી છાપ આજે પણ એ મૂર્તિ તમામ દર્શનાર્થીને પાડી રહી છે. ૐકારનાથ વિષ્ણુ ભગવાન દિવસના સવારે બાલ્ય અવસ્થા, બપોરે યુવા અવસ્થા અને સાંજે વૃધ્ધા અવસ્થા એમ ત્રણ સ્વરૂપ ધારણ કરે છે. જેના દર્શનથી ભક્તો પવિત્ર થાય છે.

જાણો એવું તો શું થયું…સાત વર્ષના બાળકને ૭-૭ વાર આવ્યો હાર્ટ એટેક- બુટ પહેરવા જતા મળ્યું ધ્રુજાવી દેતું મોત

દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલ માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બાળક જ્યારે બુટ પહેરી રહ્યો હતો ત્યારે પગ નાખતા જ તડપવા લાગ્યો હતો. વાસ્તવમાં, જ્યારે બાળક બુટ પહેરી રહ્યો હતો, ત્યારે તેને ખબર નહોતી કે દક્ષિણ અમેરિકાની સૌથી ખતરનાક પ્રજાતિનો એક વીંછી તેની અંદર રાહ જોઇને બેઠો છે. વીંછીના ડંખ બાદ બાળકને એક પછી એક 7 હાર્ટ એટેક આવ્યા અને પછી બાળકનું મોત થયું. બાળકના મોતના સમાચાર ફેલાતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

ધ મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ બાળકનું નામ બાર્બોસા હતું. તે માત્ર 7 વર્ષનો હતો. બુટમાં બેઠેલા વીંછીના ડંખને કારણે માસૂમનું દર્દનાક મોત થયું હતું. વીંછીએ ડંખ માર્યા બાદ બાળકીને પીડા થવા લાગી ત્યારે માતા-પિતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં.

બાર્બોસાની માતાએ જણાવ્યું કે તે બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહે છે. તેમનો પરિવાર કેમ્પિંગ ટ્રીપ માટે તૈયાર થઈ રહ્યો હતો અને ત્યારે જ આ દુ:ખદ ઘટના બની. તેના બાળકને વીંછીએ ડંખ માર્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુ પહેલા બાળકને 7 વખત હાર્ટ એટેક આવ્યો હતો.

ભરૂચમાં નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝને કન્ઝયુમર કોર્ટે ફટકાર્યો રૂપિયા ૧ લાખનો દંડ

  • રિલાયન્સ મોલે એમ.આર.પી. કરતા પાંચ રૂપિયા વધારે લેતા રૂપિયા એક લાખનો દંડ

નફા ખોરી કરનાર વેપારીઓ સામે કન્ઝયુમર કોર્ટે આકરા તેવર આપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝયુમર કોર્ટે મહત્તમ કિંમત કરતા પાંચ રૂપિયા વધારે લેનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને નફાખોરી કરવા સામે રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના આશુતોષ નગરમાં રહેતા શૈલેન્દ્ર સોલંકીએ વડોદરાના રિલાયન્સ ટ્રેંડઝ મોલમાંથી લેકમે કમ્પનીની પ્રોડક્ટ ખરીદી હતી. જેમાં મોલ ઘ્વારા મહત્તમ કિંમત કરતા રૂપિયા 5 વધારે લીધા હતા. શૈલેન્દ્ર સોલંકીએ રિલાયન્સ ટ્રેંડઝ વિરુદ્ધ એડવોકેટ રીમાં પટેલના માધ્યમથી કન્ઝયુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદ તથા પુરાવાઓના આધારે કન્ઝયુમર કોર્ટે ગ્રાહક શૈલેન્દ્ર સોલંકીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે અરજી તારીખથી ચુકાદા સુધીના દિવસો સુધી રૂપિયા પાંચ વ્યાજ સહિત ચૂકવવા, વકીલ ફી ના રૂપિયા ત્રણ હજાર અને માનસિક હેરાનગતિના રૂપિયા ત્રણ હજાર પણ ચૂકવવાનો આદેશ કર્યો છે.

શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની થઈ શરૂઆત

ભરૂચ શહેરથી 15 કિમી દૂર નર્મદા કિનારે આવેલા શુકલર્તીથ ખાતે આજે કાર્તિ‌કી અગિયારસથી પૂનમ સુધી ભરાતા મેળાની શરૂઆત થઈ છે.

બે વર્ષ બાદ યોજાઈ રહેલ શુકલર્તીથની જાત્રામાં લાખો જાત્રાળુઓ ઉમટી ર્તીથાટન, સ્નાન, દર્શન, પિતૃતર્પણ કરી પાંચ દિવસના મેળામાં ખાણીપીણી અને મનોરંજન માણશે. પુરાણોમાં પણ પંચર્તીથ તરીકે ઓળખાતા અને પુરાણમાં ઉલ્લેખાયા મુજ્બ આ 5 દિવસમાં અહીં સૂક્ષ્મરૂપે દેવો સ્વયં ઉપસ્થિત રહે છે.

રાજ્યભરમાંથી 4 લાખથી વધુ લોકો આ મેળો યાત્રા માણતા હોય છે.જાત્રામાં નદી કિનારે 1000 થી વધુ પાથરણાવાળા, ખાણી પીણી, મનોરંજનના સ્ટોલ, વિવિધ ચકડોળ સહિતની રંગત જામી છે. ઉલ્લેખનીય છે કે નર્મદા નદી કાંઠાના 333 શિવ ર્તીથો અને 28 વિષ્ણુર્તીથો પૈકી ભારતવર્ષમાં શુકલર્તીથનું મહાત્મ્ય સૌથી વિશેષ છે. શુકલર્તીથમાં શુકલેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકારર્તીથ પુરાણોમાં પંચર્તીથ અને તલપૂર ગણવામાં આવ્યું છે.

ભરૂચ : આલિયાબેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઉભું કરાયું

ભારતના ચૂંટણીપંચ દ્વારા આજે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ ૫(પાંચ) વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી માટે ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના નેતૃત્વ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ બનવાની સાથે આદર્શ આચાર સંહિતાના અમલ માટે કટિબધ્ધ બન્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લાના મતદારોની માહિતી આપતા વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ ૧૨,૬૫,૫૮૮ જેટલા મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર થવાના છે.જે પૈકી પુરૂષ -૬૪૯૮૨૬ મહિલા-૬૧૫૬૯૧, ટ્રાન્સ જેન્ડર-૭૧, દિવ્યાંગ-૧૪૬૪૭ તથા ૮૦ થી વધુ આયુષ્ય ધરાવતા ૨૭૫૬૪ મતદારોનો સમાવેશ થાય છે.વધુમાં નવા ૩૦૪૪૯ મતદારો આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

જિલ્લામાં મતદાન મથકોની વિગતો આપતા તેમને વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં પાંચ મતદાન આદર્શ મથકો બનાવવામાં આવશે.જેમાં દિવ્યાંગજનો માટે,મહિલા દ્વારા સંચાલિત સખી મતદાન મથક,ઈકો મતદાન મથક તથા યુવાનો દ્વારા સંચાલિત યુવા મતદાન મથક વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં જિલ્લામાં ૧૩૫૯ મતદાન મથકો પૈકી ૫૦ ટકા મતદાન મથકોમાં મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ પણ કરવામાં આવશે.વધુમાં ઉમેદવારો, રાજકિય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ( એક બારી પધ્ધતિ) શરૂ કરવામાં આવી છે.

આ વખતના ચૂંટણીમાં છેવાડાના વિસ્તારમાં રહેતા મતદાર ચૂંટણીના આ મહાપર્વમાં પોતાનો પવિત્ર મત આપી શકે તે માટે આલિયા બેટ ખાતે શીપીંગ કન્ટેઈનરમાં  મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.જેની ભારતીય ચૂંટણીપંચે પણ સરહાના કરી છે. ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી યોજાશે

આમોદના શ્રીકોઠી ગામેથી અપહરણ થયેલ બહેનને છોડાવી 5ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ગઇ કાલ તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ બપોરના ફરીયાદી તથા ભોગબનનાર બહેન એકટીવા લઇને રોંઢ ગામે ટપાલ આપવા જતા હતા તે વખતે ભોગબનનાર બહેનની અગાઉ સગાઇ થઇ હતી તે નયન પટેલ તેના સાગરીતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં આવી એકટીવાને આંતરી, બળજબરી પુર્વક એકટીવની ચાવી કાઢી લઇ ફરીયાદી બહેનને ધક્કો મારી નીચે પાડી દઇ તેના સાગરીતોની મદદથી ભોગબનનાર બહેનને અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરી નાસી ગયેલ જે બાબતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો.ની સંલગ્ન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.

આ ગુન્હાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે આ અપહરણ થયેલ ભોગબનનાર બહેનને અપહરણ કર્તાઓની ચુંગાલમાંથી તાત્કાલીક છોડાવવા નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી જબુંસર ડીવીઝન તથા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., એસ.ઓ.જી.શાખાની અલગ અલગ ટીમો બનાવી, રૂટ ઉપરના ફુટેજ ચેક કરવા તથા ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આરોપીઓને સત્વરે ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ચોકકસ હકિકત મળેલ કે આ આરોપીઓ ભોગબનનાર બહેનનું અપહરણ કરી સૌરાષ્ટ્ર તરફ જાય છે.જેથી તાત્કાલીક એક ટીમને તપાસમાં મોકલી તપાસમાં ગયેલ ટીમ દ્વારા આરોપીઓને અમદાવાદ જીલ્લાના બગોદરા નજીક અરણેજ ગામ પાસે હાઇવે ઉપરથી ઝડપી પાડી ભોગ બનનાર બહેનને ગણતરીના કલાકોમાં સુરક્ષિત છોડવવામાં સફળતા મેળવી છે.

પોલીસે આ કામે પકડાયેલ આરોપીઓ (૧) નયનકુમાર નિતીનભાઇ પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૨) ધ્રવલકુમાર નિતીનભાઇ પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૩) રૂત્વલકુમાર રજનીકાંત પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૪) સ્મિતકુમાર ઉર્ફે ચિન્ટુ નિલેશભાઇ પટેલ રહે-સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર,(૫) તરંગભાઇ અલ્પેશભાઇ પટેલ રહે-સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગરને વધુ તપાસ માટે આમોદ પોલીસ મથકે સોંપ્યા છે.

error: Content is protected !!