The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 127

આખરે પાલિકાએ જૂના ભરૂચમાં શ્રેયસ હાઈસ્કુલને ઉતારવાની શરૂ કરી કામગીરી

જુના ભરૂચ વિસ્તારમાં આવેલા ભોઈ પંચની વાડીની ઉપર ચાલતી શ્રેયસ હાઈસ્કુલના જર્જરિત મકાનને આજે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા 77 વિદ્યાર્થીઓના જીવના જોખમમાંથી મુકત કરાવ્યાં હતા.

ભરૂચના જાદવ સમાજની વાડીની ઉપરના ભાગે વર્ષોથી શ્રેયસ હાઈસ્કુલ કાર્યરત હતી. આ શાળામાં 77 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ મકાન અત્યંત જર્જરિત હાલતમાં હતું અને ગમે ત્યારે પડી જવાની ભીતિ હતી. જો મકાન પડે તો 77 જેટલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેમ હતા.

આ અંગે જાદવ સમાજ દ્વારા અનેક વાર સ્કૂલના ટ્રસ્ટીઓને રજૂઆત કરવામાં આવી હતી અને મકાન ઉતારી લેવા વિનંતી કરવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટીઓ આંખ આડા કાન કરી રહ્યા હતા આખરે ગત રાતે આ મકાનના ઉપરના પત્રનો એક ભાગ અને દીવાલ ધરાશાયી થઈ હતી. જે અંગેની જાદવ સમાજના અગ્રણીઓને જાણ થતા તેઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી અને તેઓની સાક્ષીમાં પંચનામું કરી આ મિલકત ઉતારી લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આ જોખમી મિલકતને ઉતારી લેવામાં આવી હતી. જાદવ સમાજ દ્વારા નગરપાલિકાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ભરૂચના લુવારા નજીક જેટી અને વિશ્રામગૃહનું લોકાર્પણ

ભરૂચના લુવારા પાસે ગુજરાત મેરિટાઇમ બોર્ડ ઘ્વારા જેટી અને વિશ્રામ ગૃહનું નિર્માણ કરાતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ વિધિવત તક્તિ અનાવરણ કરી જેટી અને વિશ્રામગૃહનું લોકાર્પણ કર્યું હતું.

નર્મદા પરિક્રમાવાસીઓને હાંસોટ તાલુકાના વિમલેશ્વરથી વાગરાના મીઠીતલાઈ સુધી આવતા નર્મદા અને દરિયાના સંગમસ્થાનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવ્યો છે. નર્મદા પરિકર્મવાસીઓની તકલીફોને ધ્યાને લઇ સરકારે લુવારા નજીક રૂપિયા 12.50 કરોડના ખર્ચે જેટી તથા વિશ્રામગૃહનું નિર્માણ કરતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં સ્વામી ગિરિશાનંદ સરસ્વતીએ લોકાર્પણ કર્યું હતું.

મૂળ જબલપુરના અને નર્મદા પરિક્રમા સંત સમિતિના સ્વામી ગિરિશાનંદ સરસ્વતી વર્ષ 2011માં નર્મદા પરિક્રમા માટે નીકળ્યા હતા. નર્મદા અને દરિયાના સંગમસ્થાન એવા હાંસોટ ના વમલેશ્વરથી નાવડીઓમાં બેસી નર્મદાને ક્રોસ કરી મીઠી તલાઈ આવી રહ્યા હતા. દરમ્યાન મીઠીતલાઈ નજીક દરિયામાં ભરતીના પાણી ઓસરી જતા નાવડીઓ ફસાઈ જવાના ભયથી નાવિકોએ તમામ પરિક્રમાવાસીઓને અધવચ્ચે ઉતારી મુક્યા હતા. પરિક્રમવાસીઓ કાદવ કીચડમાં ચાલતા કીચડમાં પડ્યા હતા. જેનો છ મિનિટનો વિડીયો બનાવાયો હતો.

સ્વામી ગિરિશાનંદ સરસ્વતી આ ઘટનાથી નારાજ થયા હતા. તેમણે છ મિનિટનો વિડીયો તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રમોદીને વિડીયો મોકલી પોતાની વ્યથા અને નારાજગી વ્યક્ત કરી પરિક્રમાવાસીઓ માટે સુવિધા ઉભી કરવા અપીલ કરી હતી. જેની નોંધ નરેન્દ્રભાઈએ લઈ સરકારમાં જરૂરી સૂચનો કર્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બનતા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લુવારા નજીક નર્મદા પરિક્રમવાસીઓની સુગમતા માટે જેટી બનાવવા રૂપિયા 8.50 કરોડ ફળવ્યા હતા. જેના પગલે જેટી બનાવવા તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. દરમ્યાન નર્મદા પરિક્રમા સંત સમિતિએ પરિકર્મવાસીઓને આરામ કરવા વિશ્રામગૃહ બનાવવા અપીલ કરતા રૂપાણી સરકારે વધુ 4 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આમોદના સીમરથા ગામે શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

આમોદ તાલુકાના સિમરથા ગામે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.જેમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન તથા જાનકીજી તથા લક્ષ્મણ તથા પવનપુત્ર હનુમાનજી અને શ્રી ગણેશજી થતાં શિવ પરિવારની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગરબા,મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આચાર્ય શાસ્ત્રી સંદિપભાઈ દવે (ભાગવત આચાર્ય સુરત)ની નિગરાની હેઠળ યોજાયો હતો.જેમાં ધર્મપ્રિય જનતા તેમજ અન્ય રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.ગામના આગેવાનો કિશોરભાઈ પટેલ,રણછોડભાઈ પટેલ,હેમંતભાઈ પટેલ,જીતુભાઈ પટેલે ઉત્સાહભેર ભાગ લઈને આ આયોજનને સફળ બનાવ્યો હતો.

·      વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

આમોદના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત,કારની ડીકીમાં મળ્યા ૯ બકરા

આમોદ તાલુકના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે અકસ્માત કરનાર સ્વીફ્ટ ગાડીનું આગળનું ટાયર ફાટી જતાં કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યારે અકસ્માત કરનાર કાર ચાલક પોતાના કબજામાની સ્વીફ્ટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.જે કાર નંબર જીજે ૦૫ જેબી ૨૪૨૫ માં પાછળની ડિક્કીમા ચાર બકરાં તેમજ પાછળની સીટમાં પાંચ બકરાં ઘાસચારા કે પાણીની સગવડ વગર નિર્દયી રીતે ટૂંકી દોરી વડે એકબીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતાં. તેમજ બકરાઓ બોલે નહીં માટે તેમના મોંઢા ઉપર ટેપ પટ્ટી ચોંટાડી દીધી હતી.જેથી આમોદ પોલીસે કાર તેમજ બાઇક પણ કબજે કર્યા હતાં.તેમજ કુલ નવ બકરાંને આમોદ પોલીસ મથકે લાવી ઘાસચારા તેમજ પાણીની સગવડ કરી આપી હતી.સ્વીફ્ટ કારમાં લીલી તુવેર તેમજ કાળા કલરની ટેપ પટ્ટી તેમજ બે મોટા પથ્થર પણ મળી આવ્યા હતા.આમોદ પોલીસે નવ બકરાની કિંમત ૫૪૦૦૦ તેમજ સ્વીફ્ટ ગાડીની કિંમત બે લાખ મળી કુલ ૨૫૪૦૦૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો.જ્યારે બકરાઓના કોઈ માલીક નહીં મળતા પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચ અને વડોદરા જિલ્લામાં આ વર્ષે કપાસમાં ઊંચી ઉત્પાદકતા

ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જેને કારણે ખેડૂતો ખુશ થયા છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે.

ગત ચોમાસામાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર થયું હતું. ચોમાસાની શરૂઆત પણ સારી હતી. બાદમાં કપાસના છોડ સારી રીતે વિકાસ પામ્યા હતા. જે દરમિયાન બે ત્રણ અઠવાડિયા વરસાદની ખેંચ થતા કપાસના ક્યાંક કપાસના નાના છોડના પાન મુરઝાયા હતા. બાદમાં સતત બે માસ સુધી વરસાદ પડતાં કપાસના છોડમાં પૂરતો વિકાસ થયો. તેમજ શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસની ઊંચી ઉત્પાદકતા મળી. આમ દર વર્ષે થતા ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન ખેડૂતોને મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે.

કપાસની ખેતીમાં વર્ષ કેવું રહ્યું તેવું આમોદ તાલુકાના દાંડા ગામના ખેડૂતોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે કપાસના પાકનો ઉતારો સારો મળવાને લીધે અમને સારો ફાયદો મળ્યો છે. ગત વર્ષોમાં કપાસના ભાવ એક ક્વિન્ટલ ના 5000 રૂપિયા હતા જ્યારે આ વર્ષે ડબલ ભાવ એટલે કે 10000 રૂપિયા મળી રહ્યા છે. કપાસની ગુણવત્તા, ઉત્પાદકતા અને ડબલ ભાવ મળવાથી ખેડૂતોને રાહત થઈ છે. સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ પૈકી સાત પગલાં યોજના થકી ખેડૂતોના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. બીજું કે જ્યારે અમે કપાસનું વાવેતર કર્યું હતું ત્યારે એવી આશ ન હતી કે આટલું સારું ઉત્પાદન મળશે.

અંકલેશ્વર જે.બી.મોદી કેન્સર સેન્ટરની મુલાકાત લેતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ અંકલેશ્વરની મુલાકાત દરમિયાન શ્રીમતિ જયાબેન મોદી હોસ્પિટલના પટાંગણમાં આવેલી જે.બી.મોદી કેન્સર સેન્ટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરની સંચાલકો ધ્વારા મંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

મંત્રીએ જે.બી.મોદી કેન્સર સેન્ટર આવેલ અત્યાધુનિક રેડીએશન મશીન અને ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જે.બી.મોદી કેન્સર સેન્ટરના અગ્રણી તેમજ ઉદ્યોગપતિશ્રી કમલેશભાઈ ઉદાણીએ કેન્સર સેન્ટરની વિસ્તૃત વિગતો મંત્રીને આપી હતી.

મંત્રીની આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અગ્રણી ઉદ્યોગકારો, નાયબ કલેક્ટર નૈતિકા પટેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ખાતે UPL યુનિવર્સિટીનો વાર્ષિક મહોત્સવની ઉજવણી સંપન્ન

UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ધ્વારા Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણી એઆઈએ હોલ અંકલેશ્વર ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જીઆરપી લી.ના મેનેજીંગ ડાયરેક્ટર રાજેન્દ્ર ગાંધી, UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના ચાન્સેલર શ્રીમતિ સાંદ્રશ્રોફ, UPL યુનિવર્સિટીના મીરા પંજવાણી, ટ્રેઝરર કિશોર સુરતી, ટ્રસ્ટી બી.ડી.દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણીની થીમ Cultural Festival હતી જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ થીમ આધારિત ભારતીય સંસ્કૃત્તિ, જ્ઞાન, વંદન, ચિત્રકથા, નાટ્ય ઉપર ખુબ જ સુંદર રીતે પ્રદર્શન કર્યું હતું. જેને સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે બેસ્ટ સ્ટુડન્ટ અને સ્ટાર ઓફ સ્ક્રીટની ઘોષણા કરી જે તે વિદ્યાર્થીને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ યોજેલ પ્રદર્શનનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહેનત અને સફળતા વચ્ચેની ચાવી વિશે ખુબ જ સુંદર ઉદાહરણ આપી સમજણ આપી હતી. કાર્યક્રમના સુંદર આયોજન બદલ UPL યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણી, પૂર્વ પ્રમુખ એન.કે.નાવડીયા, એસોસિએશનના હોદ્દેદારો, રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ જીગ્નેશ પટેલ અને અન્ય સભ્યો શ્રીકાંત વાઘ, ઈ.ચા. રજીસ્ટ્રાર ધર્મેશ પટેલ, સાયન્સ અને ટેકનોલોજીના ડીન, ડૉ. સ્નેહલ લોખંડવાલા, એન્જીનિયરીંગ ડીન, ડૉ. ઓમપ્રકાશ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ભરૂચ તુલસીધામ ચોકડી પાસે 2 શખ્સોએ નજીવી બાબતે કર્યો 1 યુવાન પર હુમલો

ભરૂચના ભોલાવ ખાતે આવેલી નારાયણકુંજ વિહાર સોસાયટીમાં રહેતો હેમેન્દ્રસિંહ દિલિપસિંહ ખેર સવારના સમયે તુલસીધામ ચાર રસ્તા પાસે તેની શિફ્ટની ગાડી આવી રહી હોઇ રસ્તો ઓળંગી રહ્યો હતો. દરમિયાનમાં એક કાર પુરઝડપે આવતાં તે રસ્તામાં જ ઉભો રહી જતાં કારમાં બેસેલાં બે શખ્સોએ તેને અપશબ્દો ઉચ્ચારતાં મામલો ગરમાયો હતો.

ઉશ્કેરાયેલાં બન્ને શખ્સોએ તુરંત કારમાંથી નીચે ઉતરી તેની સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાનમાં એક શખ્સે કારમાંથી લોંખડનો પાઇપ કાઢતાં બીજાએ હેમેન્દ્રસિંહને પકડી લીધો હતો. જે બાદ તેણે ઉપરાછાપરી લોખંડના પાઇપના સપાટા મારી તેને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી છુટ્યાં હતાં. ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડાતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નેત્રંગના વાંદરવેલી ગામે કપિરાજે મચાવ્યો આતંક, બે લોકો ઘાયલ

નેત્રંગના વાંદરવેલી ગામે શનિવારે સવારે રાહદારી લોકો ઉપર અચાનક કપિરાજે હૂમલો કર્યો હતો. હુમલો કરતા ઘાયલ લોકોને સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા ખસેડવામા આવ્યાં હતા. શનિવારે સવારના સમયે વાંદરવેલી ગામથી નેત્રંગ તરફ આવતા રાહદારી માર્ગ ઉપર અગમ્ય કારણોસર કપિરાજે હુમલો કરતાં બે જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

આ ધટનાની જાણ વાંદરવેલી સરપંચ રણછોડ વસાવા એ ફોરેસ્ટ વિભાગને કરી હતી. ત્યાં તુરંત ફોરેસ્ટ વિભાગે ટેકનિકલ રીતે પાંજરું ગોઠવી કપિરાજને રેશક્યું કરવાની કોશિશ કરી હતી. પણ થોડાં સમય બાદ અચાનક કપિરાજ વધુ ઉશ્કેરાતા ત્યાંથી પસાર થતા લોકો ઉપર હૂમલો કરવા માડ્યો હતો. અને આ રાહદારી માર્ગ ઉપર મોટર સાઇકલ લઈ પસાર થતાં ઘાંનીખુટના રહેવાસી ગોવિંદ વસાવાને ધાયલ કરી દીધો હતો.

આ ઘાયલ વ્યકિતને પણ સારવાર અર્થે નેત્રંગ બાદ રાજપીપળા ખસેડવામાં આવ્યો હતો. આ ધટના બાદ વધુ લોકો કપિરાજનો શિકાર ન બને એ માટે ફોરેસ્ટર વિભાગે ઇમરજન્સી રેશ્ક્યું ટીમને બોલાવવી પડી હતી. અને કાંડીપાડા રેન્જના સુટર સ્પેયાલિસ્ટ આર. એસ. ગોહિલને બોલાવવી ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કપિરાજને બેહોશ કરવામા આવ્યો હતો. જ્યાંથી કપિરાજ ને પાંજરે પૂરી સરકારી વાહનમાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો.

હાંસોટના કુરાદરા ગામે ઈશ્વરસિંહ પટેલ પ્રીમિયર લીગની ફાઇનલ યોજાઇ

અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ વધે તેમજ યુવાન સંગઠિત બની ખેલ ભાવના જાગે તેમજ યુવાનો વ્યસન મુક્ત બની રમતગમત આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે હાંસોટ ના કૂડાદરા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રેરિત ઈશ્વરસિંહ પટેલ પ્રીમિયર લીગ યોજવામાં આવી હતી.

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના ગામ કૂડાદરામાં પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ઈશ્વરસિંહ પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાની 182 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચનો પ્રારંભ દીપપ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રી હળવાશ ની પળ મારતા ક્રિકેટ પર હાથ અજમાવી ક્રિકેટ રમી હતી. તો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ એ બોલીગ અને બેટીંગ બનેવ માં હાથ અજમાવ્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ ભરૂચ જિલ્લા ના પોલીસ વડા ડો.લીના પાટીલ હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એશિયાડ નગર ઇલેવન અને આંબોલી ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં એશિયાડ નગર ઇલેવન નો વિજય થયો હતો. વિજેતા ટીમ ને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વાતચીત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી એ જણાવ્યું હતું કે યુવા શક્તિ ને સંગઠિત કરવા આવી ટુર્નામેન્ટ નું આયોજન ખૂબ જરૂરી છે.

error: Content is protected !!