The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવને પ્રત્યેક દાણામાં “દાદા” લખી શણગાર કરાયો

વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ધામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે મંગળવારના રોજ દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા. 29 માર્ચ, 2022ને મંગળવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજી ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ દાદાને દાળિયાના દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. ઉપરાંત દાળિયાના પ્રત્યેક દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. આશરે 5 કિલો જેટલા દાળિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દાળિયાનો દિવ્ય શણગાર તથા પ્રત્યેક દાળિયાના દાણામાં “દાદા” લખીને શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારના ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!