The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને JCIના સંયુક્ત પ્રયાસથી યોજાયો કેન્સર જાગૃતિ કાર્યક્રમ

મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ અનેક રોગોનો ભોગ બને છે, પરંતુ જો તે રોગોની યોગ્ય સમયે નિદાન ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ પ્રસંગે મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી લોકોના લાભાર્થે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચનું જાણીતું નામ ડો.ભાવનાબેન શેઠ વિવિધ કેન્સરની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સાથે ઈન્ડિયન ગ્રેટ વુમન ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બહેનોને જેસીઆઈ દ્વારા પ્રમાણપત્ર અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સોનલબેન શાહ અને સ્મિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચ તરફથી દિશા ગાંધી, જેસીઆઈ પ્રમુખ, હેમાની શાહ ડાયરેક્ટર જેસીઆઈ લેડીઝ વિંગ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના જીજ્ઞાશા ગોસ્વામી ઉપપ્રમુખ, અને કિન્નરીબેન બારોટ, ખુશ્બુ રાણા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!