The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડાના ગારદામાં નલ સે જલ યોજના અંતર્ગત શુદ્ધ પાણીની લાઈન શોભાના ગાંઠિયા સમાન

  • એક વર્ષ થી બનાવેલા નળ માં એક ટીપું પણ પાણી આવ્યું નથી, પાઇપલાઇન જમીન માં દાટવાની જગ્યા એ પાથરવામાં આવી !! ગ્રામજનો મા ભારે રોષ;

નર્મદા જીલ્લા માં સરકારી યોજનાઓ માં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, સરકારી યોજનાઓ માત્ર રૂપિયા નો બગાડ કરી બાબુઓની તિજોરી ભરવાનું માધ્યમ બની હોવાનું લોકમુખે ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં ‘જ્યાં ઘર હશે ત્યાં નળ હશે’ તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના છેવાડાનાં ગામ ગારદા માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી યોજના ને એક વર્ષ ઉપર થયા હોવા છતાં ગ્રામજનો ને એક ટીપું પણ પાણી નસીબ થયું નથી !!

સરકારી યોજના નાં તમામ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, અને તમામ પાઇપ લાઇન જમીનની નીચે દાટવા ની હોય  પણ ઉપર જ દાટીને વેઠ ઉતારવામાં આવી છે, આ લાઈન પર વાહનો જતા તૂટી જાય તેમ છે, અને નળ માં તો હજુ સુધી પાણી જ આવ્યું નથી ! તે પહેલાં નળો તૂટી જવા પામ્યા છે. આ બાબતે સ્થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈ ને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પાણી ગ્રામજનો ને મળે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી રહી છે. શું આ મામલે તંત્ર ગંભીરતા દાખવી સમસ્યા નુ નિરાકરણ કરી ગ્રામજનો ને પીવાનું પાણી પૂરું પાડવા કમર ક્સસે ખરું તે તો આવનારો સમયજ બતાવશે.

  • સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!