The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

નેત્રંગ તાલુકામાં સાંસદના હસ્તે ૬.૬૪ કરોડના વિવિધ રસ્તાઓના રિકાર્પેટિંગનું ખાતમુહૂર્ત કરાયું

  • રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપ્યું

નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા રસ્તાઓ બિસ્માર બની જતા રિકાર્પેટિંગ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

જેમાં કામલીયા થી ચીખલી રિકાર્પેટિંગ ડામર રસ્તો,ક્વચીયાથી ભાંગોરીયા રિકાર્પેટિંગ ડામર રસ્તો, કોયલીમાંડવીથી હાથાકુંડી રિકાર્પેટિંગ ડામર રસ્તો,પિંગોટથી ખાંબી ડામર રસ્તો, વાથી મંડાળા રિકાર્પેટિંગ ડામર રસ્તો,તાડકંપની થી બામલ્લા કંપની રિકાર્પેટિંગ ડામર રસ્તો,આટખોલ-કંબોડીયાથી રમણપુરા રિકાર્પેટિંગ ડામર રસ્તો,ગાલીબાથી વાલપોર રિકાર્પેટિંગ ડામર રસ્તો, ઢેબાર રિકાર્પેટિંગ ડામર રસ્તો,કોલીવાડાથી કોટીયામાઉ ડામર રસ્તો જેવા વિવિધ ૬ કરોડ ૬૪ લાખના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગામે-ગામના નવા ચુંટણીયેલ સરપંચો-સભ્યોએ સાંસદ મનસુખભાઇ વસાવાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જ્યારે સાંસદે રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાનો વિશે માર્ગદર્શન આપી છેવાડા ગામના લાભાર્થીઓ લાભ લેવા માટે જણાવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.

  • ઇકરામ શેખ, દિવ્યાંગ મિસ્ત્રી,ન્યુઝલાઇન,નેત્રંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!