ધંધુકા માં થયેલ કિશનભાઈ શિવાભાઈ (બોળીયા) ના હત્યારા વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસચલાવી ગુનેગારોને ત્વરિત પણે ફાંસીની સજા અપાવવાની માં સાથે આજે ભરૂચ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રુદ્રસેના અને બાહુબલી ગ્રુપના કાર્યકર્તાઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
ગત તારીખ ર૬મીના રોજ અમદાવાદના ધંધુકા તાલુકા માં કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામ ના માલધારી સમાજ ના હિન્દૂ યુવકની આતંકી પ્રવુત્તિ ના બે વિધર્મી યુવકો દ્વારા ખુલ્લેઆમ ગોળી મારી ને હત્યા કરવામાં આવી જે ખુબજ દુઃખદ અને અસહ્ય ઘટના છે. આ હત્યાકાંડ થી સમસ્ત હિન્દુ સમાજ માં દુઃખ અને વિધર્મી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે.
આખા દેશ માં ધર્માધો દ્વારા તેઓની ગુન્હાહિત અને જેહાદી પ્રવૃત્તિઓ વધી રહી છે અને અંતે હિન્દુ સમાજ ના લોકો ની હત્યા,લૂંટ,બળાત્કાર જેવા ગુન્હા ઓ દેશભરમાં જોવા મળી રહ્યા છે. ભરૂચ આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રુદ્રસેના અને બાહુબલી ગૃપના કાર્યકર્તાઓ ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રીને તથા સરકાર પાસે માંગણી કરી છે કે ધંધુકા માં થયેલ કિશનભાઈ શિવાભાઈ બોળીયા ની હત્યા નો કેસ ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચલાવી ગુન્હેગારો ને ત્વરિત ફાંસી ની સજા આપવી દેશ ભર માં એક ઉદાહરણ પૂરું પાડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here