The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

0
દેડીયાપાડા : પાટવલી ગામે ભીષણ આગમાં બેઘર બનેલા લોકોની વ્હારે આવ્યા ધારાસભ્ય મહેશ વસાવા

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ભીષણ આગ લાગી હતી. આદિવાસીઓના કાચા મકાનમાં લાગેલી આગે જોત જોતામાં 18 જેટલા ઘરોને ચપેટમાં લઈ લેતા દોડધામ મચી ગઈ હતી. આગમાં 18 કાચા મકાનો બળીને ખાખ થયા હતા.

દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામે ગુમાની ફળિયામાં આદિવાસી પરિવારોના કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. એક બાદ એક મકાનોને આગે ચપેટમાં લેતા ઘાસ, લાકડા, વાંસ, ધાન્ય અને સરસમાનને લઈ આગ જલ્દીથી ફેલાતા વિકરાળ બની હતી. દેડીયાપાડામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોય મદદ માટેનો કોલ રાજપીપળા પાલિકાને કરાયો હતો. પાલિકાના ફાયર ફાઈટરો પોહચે તે પેહલા 18 જેટલા મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.  આગથી 18 પરિવારોના ઘર સાથે જ ધન, ધાન્ય, સોના ચાંદી નાં ઘરેણાં, પશુધન અને ઘરવખરી પણ ભસ્મીભૂત થઈ જતા સામી હોળી એ જ પરિવારોને બેઘર બનવાનો વારો આવ્યો છે.

આ ઘટનાની જાણ દેડિયાપાડાના ધારા સભ્ય મહેશભાઈ વસાવા ને થતાં આજ રોજ તમામ પરિવારો માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ અનાજ ની કિટો તેમજ પૈસા ની સહાય કરી હતી.

  • સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!