The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંક્લેશ્વર :ધાડ/લુંટ ના ગુનામા છેલ્લા છ માસથી નાસતા-ફરતો આરોપી ઝડપાયો

અંક્લેશ્વર :ધાડ/લુંટ ના ગુનામા છેલ્લા છ માસથી નાસતા-ફરતો આરોપી ઝડપાયો

0
અંક્લેશ્વર :ધાડ/લુંટ ના ગુનામા છેલ્લા છ માસથી નાસતા-ફરતો આરોપી ઝડપાયો
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા અસરકારક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ.

દરમ્યાન તા-૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, અંક્લેશ્વરના ધાડ તથા લુંટના ગુનામા સંડોવાયેલ એક આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા છેલ્લા છ માસથી પકડાયેલ નથી અને નાસતો-ફરતો છે જેની ધરપકડ કરવા નામદાર અંક્લેશ્વર કોર્ટ તરફથી વોરંટ ઇસ્યુ કરવામા આવેલ

આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા નાસતો-ફરતો આરોપી મુલદ ચોકડી ખાતે હોવાની મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વોચમા રહી નાસતા-ફરતા આરોપી પ્રવિણભાઇ મનહરભાઇ વસાવા રહે- મુલદ નવી વસાહત તા-ઝઘડીયા જી-ભરૂચ ને મુલદ ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ પુછપરછ અર્થે અંક્લેશ્વર ખાતે લઇ આવી ખાત્રી કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે હસ્તગત કરી અંક્લેશ્વર શહેર પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!