The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News શું ભરૂચ જિલ્લામાં નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે ?

શું ભરૂચ જિલ્લામાં નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે ?

0
શું ભરૂચ જિલ્લામાં નવરાત્રિમાં દરેક ગ્રાઉન્ડમાં 108 અને ડૉકટર હાજર રહેશે ?

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે ગરબા રમતા યુવક-યુવતીઓમાં કાર્ડિયાક એટેકથી મોત થતા તંત્ર દ્વારા નવરાત્રીમાં કોઈ અનિચ્છનિય ઘટનાં બને તો તેને પહોંચી વળવા વહીવટી તંત્ર તેમજ ગરબા આયોજકો દ્વારા આગોતરૂ આયોજન કરાશે કે કેમ જેવા અનેક સવાલો જનમાનસ પટ પર છવાઇ રહ્યા છે.

તાજેતરમાં જ ૧૦૮ ઇમરજન્સી સેવાને રોજનાં લગભગ 230 થી 250 કેસ અમને કાર્ડિયાક ઈમરજન્સીનાં સમગ્ર ગુજરાતમાંથી મળ્યા છે. તે મુજબ કાર્ડિયાક ઈમરજન્સી કેસમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલમાં હાર્ટ એટેક માટે 50 બેડનો ખાસ વોર્ડ અને નવરાત્રિના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાત્રિ દરમિયાન હાર્ટ અટેકની સારવાર મળે રહે માટે ખાસ રાત્રિનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં આખી રાત વોર્ડમાં ડોક્ટરની ટીમ રહેશે તો શું તંત્ર દ્વારા ભરૂચમાં આગામી નવરાત્રીને ધ્યાને રાખી પ્રજાહિતના નિર્ણય લઈ ૧૦૮ સહિત સિવિલની ટીમને તૈનાત કરાશે કે કેમ એ તો આવનાર નવરાત્રી જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!