The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ભરૂચ: રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

0
ભરૂચ: રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ડેમ પ્રશાશન દ્વારા હાથધરાયેલા રિવરફ્રન્ટ ના કામ માં વેજલપુર સ્મશાન ભૂમિ ઉપર ખોદાણ કરાતા વેજલપુર સમાજની લાગણી દુભાવા પામી છે.

ભરૂચના વેજલપુર મુકામે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ થાય છે, ત્યાં એ જ સ્મશાન ભૂમિ ઉપર રિવરફ્રન્ટના ભાગરૂપે કામ ચાલી રહેલું છે અને સ્મશાન ભૂમિ પર કેટલુંક ખોદકામ પણ કરવામાં આવેલું છે, જેનાથી વેજલપુર સમાજની લાગણી દુભાયેલી છે.
આ બાંધકામ થયા પછી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ ક્યાં થશે ? એ બાબતની ડેમ પ્રશાસન દ્વારા ભવિષ્યની કોઈ યોજના કરવામાં આવી નથી. જે બાબતે વેજલપુર સમાજના આગેવાનો દ્વારા વેજલપુર સ્મશાન ભૂમિ પર ચાલી રહેલા આ કામના સ્થળની મુલાકાત લેવામાં આવી અને જ્યાં સુધી હિન્દુ સમાજના મૈયત બાળકોની અંતિમ દફનવિધિ માટેની સ્મશાન ભૂમિના પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્મશાન ભૂમિ પર કામ બંધ રાખવાની ડેમ પ્રશાસનને વિનંતી કરવામાં આવી છે અને જો તેમ નહીં થાય તો વેજલપુર સમાજ દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી સૂચના પણ આપવામાં આવી છે. હાલમાં તો ડેમ પ્રશાસન દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાની વેજલપુર સમાજના આગેવાનોને બાંહેધરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!