યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ ને દેશ નો સર્વોચ્ચ એવોર્ડ પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ટ્રેન્ડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્ર માટે 2021 ના વર્ષ માં રાષ્ટ્રપતિ ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

130 દેશમાં વિસ્તરણ પામેલી એગ્રો કેમિકલ ક્ષેત્રે ભારતની સૌથી મોટી કંપની યુપીએલ ( યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ) દેશની અગ્રણી કંપની છે. ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્ય માં પણ યુપીએલ ગ્રુપ ની અનેક કંપની કાર્યરત છે.

ભરૂચમાં ઝઘડીયા, અંકલેશ્વર અને દહેજ તેમજ વલસાડ જિલ્લા માં વાપી ખાતે કાર્યરત યુપીએલ ગ્રુપ ના ચેરમેન રજનીકાંત દેવીદાસ શ્રોફ (રજ્જુ શ્રોફ ) ને ગત રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના હસ્તે પદ્મ ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here