The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ : દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી કલેકટરે ઉજવ્યો પુત્રનો જન્મદિન

ભરૂચ : દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી કલેકટરે ઉજવ્યો પુત્રનો જન્મદિન

0

ભરૂચ જિલ્લા કલેકટરે દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી પોતાના પુત્રનો જન્મદિન ઉજવ્યો હતો. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં ભરૂચ જિલ્લાના સમાહર્તા તુષાર સુમેરા તેમના સંપૂર્ણ પરિવાર સાથે તેમના પુત્ર ચિ. મૃગાંક ના જન્મ દિનની ઉજવણી માટે ગયા હતા. સંસ્થા ના દિવ્યાંગ બાળકો સાથે કેક કાપી ને જન્મદિનની ની ઉજવણી કરવામાં આવી હતી. એટલુંજ નહીં પરંતુ કલેકટર તરફથી આ સંસ્થા ના દિવ્યાંગ બાળકો માટે નાસ્તો તથા આખા દિવસનું સુરુચિ ભોજન આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

જન્મદિનની ઉજવણી બાદ સંસ્થાના વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન પણ સમાહર્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ” ડેકોરેટિવ & ઇનોવેટિવ ક્લાસીસ ” તથા ” કોમ્પ્યુટર ક્લાસીસ ” નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટરે સંસ્થા ના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને સંસ્થા ના સારા સેવાકીય કાર્ય ને બિરદાવ્યું હતું. આ શુભ અવસરે કલેકટર ના પરમ મિત્ર (ઈન્કમટેક્સ જોઇન્ટ કમિશનર અમદાવાદ, તેમના પૂજ્ય માતા- પિતા , તેમના ધર્મપત્ની સાથે સંપૂર્ણ પરિવાર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.વાય. મંડોરી સહિત અસ્મિતા સંસ્થાના પ્રમુખ યશવંતભાઈ પટેલ , ઉપપ્રમુખ મગનભાઈ હનિયા , મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ તથા ખજાનચી કિર્તીભાઈ પટેલ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!