The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ: ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ

•13થી 16 ડિસેમ્બર સુધી સમારકામને લઈને બ્રિજ બંધ રખાશે

ભરૂચ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થતા તંત્રએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં વરેડીયા પાસે આવેલી ભુખી ખાડી પર ભરૂચ વડોદરા તરફ ટ્રાફિક વહન કરતો બ્રીજ જર્જરીત હાલતમાં હોઈ તેનું તાત્કાલિક રીપોરીંગ જરૂરી છે.

આથી ભુખી ખાડી બ્રીજ ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ વાહનોની અવર-જવર માટે તારીખ 13થી 16 ડિસેમ્બર સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે નેશનલ હાઈવે નં.48 ના વડોદરા – ભરૂચ સેકશન ભુખી ખાડી 2 LANE NARROW BRIDGE ઉપર ભરૂચ થી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ભરૂચથી વડોદરા તરફ જતાં તમામ પ્રકારના વાહનો વડોદરાથી ભરૂચ આવતાં બ્રીજ -હાઈવે પર ડાયવર્ટ કરવા. પ્રોજેકટ મેનેજર વડોદરા ભરૂચ ટોલ-વે લીનાએ ભરૂચથી વડોદરા તરફ જતાં તથા વડોદરાથી ભરૂચ તરફ અવર-જવર કરતાં તમામ પ્રકારના વાહનોને કારણે બ્રીજ હાઈવે પર ટ્રાફિક ન થાય તેમજ મુસાફરોને અડચણ પેદા ન થાય તે હેતુસર હાઈવે ઉપરની બંને સાઈડ ઉપર પૂરતા પ્રમાણમાં સેફટી ગાર્ડની વ્યવસ્થા અવશ્ય કરાશેનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને...

Antivirus Software No cost Vs Paid out

Choosing among antivirus software program free and paid...

Best Antivirus Computer software For Rookies

When choosing an antivirus system, you must consider...
error: Content is protected !!