The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Uncategorized ભરૂચ: કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઇને 10 થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

ભરૂચ: કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઇને 10 થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

0
ભરૂચ: કોંગ્રેસની વિચારધારાથી પ્રેરાઇને 10 થી વધુ યુવાનો કોંગ્રેસમાં જોડાયા

ભરૂચ ના વોર્ડ નંબર સાત ના ૧૦ થી વધુ યુવાનો કોંગ્રેસની વિચારધારા થી આકર્ષાઈને આજે ખેસ ધારણ કરી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

ભરૂચ શહેરના વોર્ડ નંબર સાત ના દરેક સમાજના લોકો હવે કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા છે કે દરેક સમાજના લોકોને સાથે લઈને ચાલવાની અને દરેક સમાજના લોકોને સમાન ન્યાય મળે તેવી વિચારધારા ને લઈ પ્રભાવિત થઈ વોર્ડ નંબર સાત ના દરેક સમાજના આગેવાનો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે આવી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, નગરસેવક સલીમ અમદાવાદી જિલ્લા કોંગ્રેસ યુવા આગેવાન રાધે પટેલ સહિતના આગેવાનોએ કોંગ્રેસનો ખેસ પહેરાવી ને આવકાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!