The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 85

ભારે વરસાદના પગલે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આમોદ તાલુકાના ગામોની લીધી મુલાકાત

આમોદ તાલુકાના ઉપરોક્ત ગામોમાં હાલમાં પડેલા વરસાદના કારણે અતિવૃષ્ટિ સર્જાઈ છે.જેના પગલે ઓચ્છણ,કરેણા, ઇખર, તેલોડ, સુઠોદ્રા ગામના સ્થાનિકોને થયેલ ખેતી સહીત વ્યાપક નુકશાનનો તાગ મેળવવા આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.

આ ગામો નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે,બુલેટ ટ્રેન અને દિલ્હી મુંબઈ freight corridor ના કામો ચાલી રહ્યા છે. જે તમામ યોજનાઓ ના કોન્ટ્રાક્ટરો દ્વારા માટી પુરાણ કરી વેલમ નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ વેહવડવવામાં આવતા નદી ઓવરફ્લો થઈ છે. જેના કારણે વેલમ નદી ની ક્ષમતા કરતા વધારાનું પાણી આવી જતા કિનારાના ઉપરોક્ત ગામોમાં નદીના પાણી ભરાતા કુત્રિમ આફતથી ગામોનો તમામ વ્યવહાર બંધ થઈ જવા પામેલ છે. તેમજ ખેતીવાડીમાં પણ ખૂબ મોટું નુકસાન થવા પામેલ છે.

કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ ગામોમાં સબંધિત વહીવટીતંત્રને તાત્કાલિક સૂચના આપી જીવન-જરૂરિયાતની વસ્તુઓ તેમજ રસ્તાઓ ઉપર માટી પથરાયેલ હોય જે સાફ સફાઈ કરાવી વાહન વ્યવહાર યુદ્ધના ધોરણે શરૂ થાય તેમજ સદર પરિયોજનાઓ ના કોન્ટ્રાક્ટરોને આ અંગે તાકીદ કરી નિયમોનુસાર તેઓ વિરુદ્ધ પગલાં ભરવા વિનંતી કરી છે.

આ મુલાકાત સમયે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા,ભુપેન્દ્રસિંહ દાયમા,ઉસ્માન મીંડી,મહેશભાઇ પટેલ,મોહીનભાઇ અને તાજુદ્દિનભાઇ હાજર રહ્યા હતા.

આમોદ તાલુકાના માતર ગામમાં યુવાનનો પગ લપસી જતાં તળાવમાં ડૂબ્યો

આમોદ તાલુકાના માતર ગામમાં ગત રોજ બેંકમાં કામ અર્થે ગયેલા યુવાનનો પગ લપસી જતાં ગામના તળાવમાં ડૂબી ગયો હતો.જે બાબતે ગામના આગેવાને તંત્રને જાણ કરતા આમોદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના માતર ગામના ટેકરા ફળિયામાં રહેતો રણજિત શાંતિલાલ વસાવા અને રમેશ લલ્લુ વસાવા સિગ્મા કોલેજમાં આવેલી સેન્ટ્રલ બેંક આવેલી છે છોકરીઓની શિષ્યવૃતિ જમાં થતાં તેઓ બને ઘરમાં રૂપિયાની જરૂર પૈસા ઉપાડવા ગયા હતા.પરંતુ બેંકનું સર્વર ડાઉન હોય પૈસા ઉપાડી શક્યા નહોતાં. અને તળાવના કિનારે પગદંડી રસ્તા ઉપર પરત આવતા હતા ત્યારે રણજીત વસાવાનો પગ લપસી જતાં તેઓ તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.જેથી ગામના સ્થાનિક તરવૈયા તેઓને બચાવવા માટે શોધખોળ આદરી હતી. પરંતુ સફળતા મળી નહોતી. તેમજ ભારે વરસાદને કારણે તળાવમાં પાણીનો ફોર્સ પણ વધુ હોય લાશ શોધવામાં સફળતા મળી નહોતી. ત્યારે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ રાજ તથા  સરપંચ ઇરફાનભાઈ ઉઘરાતદારે તંત્રને જાણ કરતા એસ.ડી.આર.એફ.વાલીયાની ટીમ આવી પહોંચી હતી.અને મૃતક યુવાનની શોધખોળ આદરી હતી.

જો કે  પાણીનો વહેણ વધુ હોય સફળતા મળી નહોતી ત્યારે આજે પણ એસ. ડી.આર.એફ.વાલીયાની ટીમ ફરીથી આવી મૃતક યુવાન રણજિત વસાવાની લાશને શોધવા કવાયત હાથ ધરી હતી.આમોદ તાલુકાના માતર ગામે તળાવમાં યુવાન ડૂબી જતાં આમોદ મામલતદાર ડૉ.જે.ડી.પટેલ આમોદ પી.એસ.આઇ. જે.જી. કામળિયા, આસીસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમની ટીમ સાથે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતાં.તેમજ ગામના તલાટીએ સ્થળ પંચનામું કર્યું હતું.

જૂની કોર્ટ પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં માટી ધસતા એક મકાન ધરાશાયી

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ અને ભારે વરસાદના પગલે જૂની કોર્ટ વિસ્તાર નજીક આવેલ ઝુપડપટ્ટીમાં માટી ધસતા એક મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે.

જૂના ભરૂચમાં જૂની કોર્ટ નજીક આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં ભારે વરસાદના પગલે માટી ધસી પડતા એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં રહેતા શ્રમજીવી પરિવારનો આબાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે માટી ધસતા મકાન ધરાસાયી થતાં શ્રમજીવી પરિવારની ઘરવખરી દબાઇ જતા પરિવારની હાલત કફોડી બનવા પામી હતી.તેમના જણાવ્યાનુસાર રાતે આ માટી ધસતા આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે મકાન ધરાશાયી થતાં આ શ્રમજીવી પરિવાર રસ્તા પર આવી ગયો હતો તેમને રેડ એલર્ટ વિષે પુછતા તેઓ તેનાથી અજાણ હોવાનું અને તંત્ર દ્વારા જૂના ભરૂચના આ વિસ્તારોમાં કોઇ જાણ ન કરાયાનું જણાવી હવે અમે ક્યાં જઇશુંનો વલોપાત કર્યો હતો.

VHP ભરૂચ દ્વારા ગૌરીવ્રત કરતી કન્યાઓને ફળાહાર અને સુકોમેવો આપાયો

પવિત્ર ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ, બજંરગ દળ, દુર્ગા વાહિની, માતૃશકિત દ્વારા પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે જુના ભરૂચ, નવગ્રહ મંદિર લાલ બજાર ખાતે ગૌરીવ્રત માં ઉપવાસ કરતી કુંવારી કન્યાઓને સુકોમેવો, ફળાહાર, કેળા ની વેફર તથા જરૂરી સામગ્રી આપવામાં આવ્યો.

આ પ્રસંગે વિરેન રામજીવાલા, સંદિપ પુરાણી, હેમાબેન પટેલ, સાલુબેન ચૌહાણ, મંદિર ના પુજારી તથા સેવાભાવી લોકોએ હાજર રહી કુંવારી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

શુક્લતીર્થ તવરા ને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહન પાણીમાં અટવાયા

ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર વરસી રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી પડતી હોય છે. ત્યારે આજે ઝાડેશ્વર ચોકડી થી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરો દ્વારા બેફામ ખોદકામ અને આડેધડ બાંધકામને લઈ વરસાદી પાણીના નિકાલ ન હોવાના કારણે આજે સમગ્ર વરસાદી પાણી મુખ્ય માર્ગ પર ફરીવળતા વાહન ચાલકોએ ધંધા રોજગાર અર્થે જતા લોકો,શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા.લોકોએ કમર સમા પાણી માંથી પસાર થવું પડ્યું હતું.

ઝાડેશ્વર ચોકડીથી તવરા શુક્લતીર્થ નિકોરા અંગારેશ્વર ઝનોર આમ 18 થી 20 ગામડાને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આજે આ મુખ્ય માર્ગ ઉપર જ બિલ્ડરોની અન આવડતના કારણે આજે વાહન ચાલકો પાણીમાં અટવાયા હતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવાની પણ ફરજ પડી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વરસતા વરસાદ વચ્ચે વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો!

સમગ્ર વિશ્વમાં ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સંકુલમાં જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં વરસતા વરસાદ વચ્ચે પણ લોકોએ જનજાગૃતિના કાર્યક્રમને માણ્યો હતો.

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કુટુંબ નિયોજન કાર્યક્રમ સાર્થક કરીએ જે અંતર્ગત વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ સંકુલમાં વરસતા વરસાદ વચ્ચે પણ વિશ્વ વસ્તી દિવસ અંગે જનજાગૃતિ ફેલાવતા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં હોસ્પિટલની  ડોક્ટર કિરણ સિંહ  પટેલ મેડિકલ કોલેજ વિદ્યાર્થીનીઓ પણ જોડાયા હતી અને વર્ષના વરસાદ વચ્ચે પણ જનજાગૃતિનો કાર્યક્રમ લોકોએ માણ્યો હતો.

ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર,છેલ્લા ૨૪ કલાકમાં ૬૫ એમ.એમ. વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદના એલર્ટ વચ્ચે મંગળવાર તા.૧૨/૦૭/૨૦૨૨ ના સવારે ૦૬:૦૦ કલાકે સુધીમાં વીતેલા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં નેત્રંગમાં ૧૧૧ એમ.એમ., વાલિયામાં ૯૨ એમ.એમ., ઝઘડિયામાં ૮૫ એમ.એમ.,ભરૂચ ૭૭ એમ.એમ., અંકલેશ્વર ૬૮ એમ.એમ., વાગરા ૫૩ એમ.એમ., હાંસોટમાં ૩૬ એમ.એમ., જ્યારે આમોદમાં ૩૫ એમ.એમ., અને જંબુસરમાં ૩૧ એમ.એમ વરસાદ નોંધાવા પામ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

સતત વરસાદથી જિલ્લાના માર્ગો વધુ ખખડધજ બની ગયા છે. માર્ગો ઉપર ખાડા ખાબોચિયાને લઈ વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. મુખ્ય માર્ગોના સળિયા પણ બહાર આવી જતા કોન્ટ્રાક્ટ દ્વારા તકલાદી કામ કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શનિવારે રાત્રી દરમિયાન ક્યારેક હળવા ઝાપટાં તો ક્યારેક ધોધમાર વરસેલા મેઘરાજાએ કેટલાય વિસ્તારો અને માર્ગોને પાણી પાણી કરી દીધા છે.

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા છે, તેમજ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે મોઝદા ખાતે આવેલ તરાવ નદી પરના પૂલ પર પાણી ફરી વળતા, ૨૦ થી ૨૫ ગામડાઓ સંપર્ક વિહોણા થઇ જવા પામ્યા છે.

જેમાં નામગીર, ગીચડ, સાંકડી, પીપલોદ, વાઘઉંમર, પાનખલા, ચોપડી, સિગલગભાણ, કોકમ, ડુમખલ, દેવરા, સરિબાર, કણજી, વાંદરી, ખાલ, માંથાશર સહિત અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.દેડીયાપાડામાં રેકોર્ડબ્રેક 18 ઇંચ વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. નવીનગરીમાં પાણીનો ભરાવો થતાં 300થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. સવારે 8 વાગ્યાથી વરસી રહેલો વરસાદ રાતના 8 વાગ્યે પણ અણનમ રહ્યો હતો. 12 કલાકમાં જ દેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં સર્વત્ર જળબંબાકાર થઇ ગયું હતું.

મકાનોમાંથી 300 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને પ્રાથમિક શાળાના મકાનમાં રાખવામાં આવ્યા છે. ધામણખાડીના પુલ ઉપર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો. ધામણ નદીના પાણી પટેલચાલી અને પારસી ટેકરા વિસ્તારમાં લોકોનાં ઘરોમાં પ્રવેશી ગયાં હતાં.દેડીયાપાડામાં મુશળધાર વરસી રહ્યો છે. હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. સૂકાઆંબા ગામે તળાવ ઓવરફલો થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. આ સમયે ત્રણ મકાનના લોકો ફસાઇ જતાં તેમને બચાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.દેડીયાપાડામાં 18 ઇંચ વરસાદ વરસતાં પીપલા– કંકાલા માર્ગ ધોવાઇ ગયો છે, જ્યારે ખતામથી કલતર જવાના માર્ગ પર તેમજ કરજણ નદીના નવાગામ પુલ પરથી પાણી ઓવરફલો થઇ વહી રહ્યા છે. આ ઉપરાંત ખોખરાઉમર ગ્રામપંચાયતની દીવાલ તૂટી પડી હોવાના અહેવાલ છે. ચીકદાથી આંબાવાડી જવાનો આંતરિક માર્ગ ધોવાયો છે. માર્ગો ધોવાઇ જતાં ગ્રામ્ય વિસ્તારોનો દેડીયાપાડા તાલુકા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રસ્તાઓ ચાલુ કરવા માટે ટીમો કામે લાગી છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

ભારે વરસાદની આગાહીને પગલે ૧૨ જુલાઈ સુધી ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા તંત્ર સાબદુ બન્યું છે.

ભરૂચ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા અગમચેતીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નાગરિકોને સતર્કતા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા જિલ્લા કલેકટર તુષાર સુમેરા દ્વારા અપીલ કરવામાં આવી છે.તો ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ પણ ભરૂચ જિલ્લામાં કોઇ જાનહાની કે નુકશાન થયા હોય તો તે અંગે ભાજપાનું ધ્યાન દોરવા અને ભાજપ અગ્રણીઓએ સતત પ્રજાની વચ્ચે રહી એકબીજાને મદદરૂપ થવા અપીલ કરી છે.

ગેસ લાઇનના યોગ્ય પુરાણના અભાવે જૂના ભરૂચના પુષ્પાબાગ સામે પડયા ખાડા

જૂના ભરૂચના લોકો પાલિકા હોય કે ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રજાની સુવિધાના બહાને કરાતા આડેધડ ખોદકામ અને તેના અપુરતા પુરાણના પગલે ત્રાહીમામ પોકારી ઉઠી છે.

જેમાં આખા જૂના ભરૂચમાં ગટર લાઇના બહાને કરાયેલ ખોદકામ યોગ્ય પુરાણના અભાવે રસ્તાઓ તો ઉબડખાબડ બન્યા જ છે, ત્યારે પ્રજાની સહુલિયત માટે ગુજરાત ગેસ કંપની દ્વારા અપાયેલ ગેસ લાઇનના ખોદકામ બાદ તેનું યોગ્ય પુરાણ ન કરાતા શહેરના વોર્ડ નં.૧૧ના પુષ્પાબાગ સામે આવેલ શેઠ ફળીયામાં મોટા ખાડા પડતા અને તેમાય અનરાધાર વરસાદના પગલે પાણી જતા સ્થાનિકોના મકાન સહિત જાનમાલ સામે ખતરો ઉભો થવા પામ્યો છે.

જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ગુજરાત ગેસ કંપની પર ફોન કરતા કોઇ પણ અધિકારી કે કર્મચારી ફોન શુદ્ધા ન ઉઠાવતા સ્થાનિકોમાં મકાન બેસવાનો અને જાનમાલને નુકશાન થવાનો ભય ઉભો થયો છે.સ્થાનિકો દ્વારા સત્વરે આ ખાડાને યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે જેથી વરસાદી પાણી ના કારણે મકાનો અને જાનમાલને નુકશાન ન થાય તેવી માંગ કરાઇ રહી છે.

error: Content is protected !!