The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 6

ભરૂચ ખાતે શ્રી દશાલાડ વણિક જ્ઞાતિનો ૫૫મો ઇનામ વિતરણ સમારંભ યોજાયો

ભરૂચ નવાદહેરા સ્થીત દશાલાડની વાડી ખાતે તા. ૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શ્રી દશાલાડ પરિવાર મંડળ,ભરૂચ દ્વારા બે દિવસીય ૫૫મો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.

આ સમારંભમાં વર્ષ ૨૦૧૮-૧૯,વર્ષ ૨૦૧૯-૨૦,વર્ષ ૨૦૨૦-૨૧,વર્ષ ૨૦૨૧-૨૨,વર્ષ ૨૦૨૩-૨૪ના શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ,ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ૭૫ વર્ષના વડીલોનું બહુમાન શ્રી દશાલાડ પરિવાર મંડળ,દ્વારા વિવિધ ઇનામો શીલ્ડ તેમજ ચાંદીની લગડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિવિધ હરિફાઇમાં વક્તૃત્વ સ્પર્ધા,આરતી સજાવટ,રંગોળી,વેશભુષા જેવી હરિફાઇ પણ યોજવામાં આવી હતી જેમાં વિજેતા થનાર દરેકને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. સાથે સ્પર્ધામાં ભાગલઈ ઇનામ ન મેળવનારા સ્પર્ધકોને આશ્વાશન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં જ્ઞાતિ પંચ,પરિવાર્ના તેમજ કેળવણીના પ્રમુખ,ઉપ પ્રમુખ દ્વારા વિવિધ ઇનામો એનાયત કરાયા હતા.

સમારંભને અંતે સર્વે જ્ઞાતિજનોએ રાષ્ટ્રગીત ગાઇ પ્રિતિભોજન સાથે લીધું હતું. આ સમારંભને સફળ બનાવવા શ્રી દશાલાડ પરિવાર મંડળના પ્રમુખ જીજ્ઞેશ ડાંગરવાલા,ઉપ પ્રમુખ અશ્વિનભાઇ તુમડી, ખજાનચી સાગર કાપડીયા,એકાઉન્ટંટ મહેશભાઇ શાહ તેમજ સભ્ય ગૌરાંગ શેઠ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધરા ડાંગરવાલાએ કર્યું હતું.

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર હની સ્પાના ઓથા હેઠળ ચાલતો દેહ વેપાર ઝડપાયો

ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૧ અરજી આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે.

જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો.સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઇ આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી પાડ્યો હતો.જેના પાસેથી રોકડા ૮૫૭૦ અને મોબાઈલ મળી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશીપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ ખાતે શાળા સલામતી સપ્તાહ અંર્તગત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યમા બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી દર વર્ષે રાજ્યમાં ‘શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમા આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આજથી આગામી ૨૫ જાન્યુઆરી દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમા ‘શાળા સલામતી સપ્તાહ- ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવનાર છે.
સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંર્તગત ભરૂચ તાલુકાની કુમાર શાળા, ઝાડેશ્વર ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે, શાળામાં ફાયર ફાયટીંગ ડેમોન્સ્ટ્રેશન, ૧૦૮/ઇન્ડિયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ, ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી, ઔદ્યોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગના કાર્યક્રમનું ડેમોન્સ્ટ્રેશન પણ બાળકોને બતાવવામાં આવ્યું હતું.
વધુમાં, માર્ગ સલામતિ સપ્તાહ અંતર્ગત સરકારની યોજનાંઓ વિશે બાળકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. અને પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી, કેવા પગાલા લેવા અંગે ચિત્ર, નિદર્શન અને માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને સંભવિત આપદાઓ સામે જાગૃત કરી બચાવ અંગે સક્ષમ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે, મામલતદાર ડિઝાસ્ટર રાકેશ મોદી, ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ, આરોગ્ય વિભાગ અને ૧૦૮ ઇમરજન્સી વિભાગની ટીમ,તાલુકા શિક્ષણાધિકારી પરિમલ સિંહ યાદવ, શાળાનાં આચાર્ય, શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.nag

ભરૂચ શહેરમાં શંકાસ્પદ કોપર વાયર સાથે ૩ ઝડપાયા

ભરૂચ શહેર ખુશ્બુ પાર્ક સોસાયટીના રહેણાક મકાનમાંથી શંકાસ્પદ કોપર વાયર કુલ વજન 2210 કિ.ગ્રા સહીત કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 22.11 લાખના સાથે ત્રણ ઇસમોને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઝડપી પાડ્યા હતા.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાચના પીએસઆઇ ડી.એ.તુવર અને તેમની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે “ભરુચ શહેર ખુશ્બુ પાર્ક સોસાયટીમા મકાન નં-90 માં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડી રાખ્યો છે ” જે બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા દરોડો પાડતા ઉપરોક્ત બાતમી વાળા ઘરેથી મકાન માલીક સહીત બે ઇસમો મળી આવેલા અને ઘરમાં તપાસ કરતા કોપર વાયર કુલ વજન 2210 કિ.ગ્રા.નો મળી આવ્યો હતો.

આ અંગે પકડાયેલા ઇરફાન ઇકબાલ પઠાણ,રાજમન બુધારામ મોર્ય અને રોહીત ભીખુ પ્રજાપતી પાસે બિલ કે કોપર વાયરનો જથ્થો ધારણ કરવા બાબતે રજુ કરવા જણાવતા તેઓ રજુ કરી નહી શક્યા હતા. જેથી મળી આવેલા કોપર વાયરને શંસ્કાસ્પદ ગણી તેઓની સઘન પુછપરછ હાથ ધરતા કેફીયત આપેલ કે,આ શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો આમેના પાર્કમા રહેતો મોહંમદ અયાઝ અબ્દુલ હક્ક શેખનાએ મુકાવેલો અને તે ચોરી છુપીથી રાતના સમયે તુટક તુટક વેચાણ કરતો હતો અને આ જથ્થો ઘરમા રાખવા પેટે પોતાને માસીક વળતર આપતો હોવાની હકીકત જણાવી હતી.જેથી પોલીસે ત્રણેય ઇસમો વિરૂધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા 2023 ની સલંગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી
કોપર વાયર છોલવાનુ કટર અને કોપર વાયરના મળીને કુલ રૂ.22,11,000 નો મુદ્દામાલ કબ્જે કરી મોહંમદ અયાઝ અબ્દુલ હક્કને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ અર્થે બી ડિવિઝન પોલીસમાં સોંપવામાં આવ્યા છે.

ભરૂચમાં ગૌચરની જમીન બચાવવા AAP મેદાને

ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ સાથે મેદાને પડી છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
આ આવેદનપત્રમાં મુખ્ય ઝઘડિયા તાલુકાના જૂના તોઠીદરા ગામમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના લીઝધારકો દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. આ માટે ગામના ગૌચરની જ્મીન માંથી રસ્તો બનાવી તેના ઉપર ઓવરલોડ વાહનોની અવરજવર સતત ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક રસ્તાઓને નુકસાન થઈ રહ્યું છે. આ પરિસ્થિતિથી ખેડૂતો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ઉપરાંત અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે.તો તે બાબતે યોગ્ય કરવા અને ગેરકાયદે દબાણ-રેતી વહન રોકવા 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું સાથે જો તેમ નહીં થાય આમ આદમી પાર્ટી કાર્યકરો સાથે જઇ ને રસ્તાઓ જાતે ખોદી નાંખશેની ચીમકી પણ આપવામાં આવીછે.

અંકલેશ્વર નોબલ માર્કેટ નજીકથી પાઇપના શંકાસ્પદ જથ્થા સાથે 2 ની ધરપકડ

ભરૂચ એસ.ઓ.જી.એ અંકલેશ્વરના નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસેથી શંકાસ્પદ એસ.એસ.ની પાઇપોના જથ્થા સાથે બે ઇસમોને રૂ. ૬.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ એસ.ઓ.જીના પી.આઈ એ.એ.ચૌધરી અને પી.આઈ એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પીકઅપ ગાડીમાં શંકાસ્પદ એસ.એસ.ની પાઇપો ભરી વાલીયા ચોકડી તરફથી જથ્થો નોબલ માર્કેટમાં આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નોબલ માર્કેટમાં રોશની સ્ટેટ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી બોલેરો પીકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા ૮૦૦ કિલોગ્રામ એસ.એસ.ની પાઇપો મળી આવી હતી.
પોલીસે પીકઅપ ગાડીમાં સવાર બે ઈસમોને એસ.એસ.ની પાઇપો અંગે જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે શંકાસ્પદ જથ્થો અને ગાડી મળી કુલ ૬.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અંસાર માર્કેટની મદીના મસ્જીદ પાસે રહેતો રીઝવાન બકરીદી ખાન અને ઇસ્લામ અબ્દુલક્યુમ ખાનની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યોતિષ આચાર્ય બની લોકો સાથે કરોડોની છેતરપીંડી કરનાર ઝડપાયો.

ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ મથક ખાતે સાતમી જાન્યુઆરીના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી.જેમાં દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચ ના રવીન્દ્ર ભટ્ટે એપન્ડિક્ષ ના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો જોકે તે દરમ્યાન પહેલા તેને સહી કરેલ આપેલ બાર ચેક થી તેનુ એકાઉન્ટન્ટનું કામ કરતા લલીત પટેલે નવેમ્બર 2024 થી ડિસેમ્બર 2024 સુધીમાં રૂપિયા 54 લાખ ઉપાડી લીધાં હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે એ ડિવિઝન પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા દ્વારા આરોપી લલીત રમણભાઇ પટેલને પકડી લઇ પુછપરછ કરતા જણાઈ આવેલ કે,આ નાણા બેંકમાંથી થોડા-થોડા ઉપાડી લઈ જયપુર – રાજસ્થાન ખાતે રહેતા તરૂણ આચાર્યને આંગડીયા તથા બેંક એકાઉન્ટ મારફતે આશરે સાડા ચારેક કરોડ રૂપિયા છેલ્લા બે વર્ષમાં આપેલ છે. જેથી આરોપીને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા દ્વારા એક ટીમ જયપુર રાજસ્થાન ખાતે મોકલવામાં આવેલ.જ્યાંથી 35 વર્ષીય આરોપી તરૂણ ઉર્ફે તરૂણ આચાર્ય ઉર્ફે ટારઝન શર્મા રહેવાસી , પ્લોટ નં.૧૨૦ સુરજનગર સોસાયટી,,જયપુર, રાજસ્થાન ખાતેથી અટકાયત કરી ભરૂચ ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પોલીસ તપાસ માં તરુણ આચાર્ય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ જેવી સોશિયલ મિડીયા એપ્લિકેશન તેમજ ન્યુઝ પેપરના માધ્યમથી પોતે હિંદુ નામ એસ્ટ્રોજર તરૂણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલ્તાન ચીસ્તી તરીકે આપી ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઇન એપ્લીકેશન દ્વારા વિવિધ પારિવારીક સમસ્યા ના નિવારણ ની ખાતરી આપી કરોડો રૂપિયા પોતાના તથા સબંધીઓના બેંક એકાઉન્ટ તથા આંગડીયા મારફતે ટ્રાન્સફર કરાવી પૈસા પડાવી લેતો હોવાનું ખુલ્યું છે.ત્યારે પોલીસ તપાસ માં હજુ વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હોય તે બહાર આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.

ભરૂચમાં યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા કરૂણ મોત

રૂચમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના કાતિલ દોરાથી થયેલી દુર્ઘટનાએ એક પરિવારનો આનંદ માતમમાં ફેરવી નાખ્યો છે.નબીપુર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 32 વર્ષીય યુવકનું દોરીથી ગળું કપાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
ભરૂચમાં ઉત્તરાયણ તહેવારમાં પતંગની કાતિલ દોરી 32 વર્ષીય યુવકના જીવ માટે જોખમી બની હતી,નબીપુર વિસ્તારમાંથી પસાર થતા સંજય મુળજીભાઈ પાટણવાડીયાને પતંગની દોરથી ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓને ગંભીર હાલતમાં ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જોકે હોસ્પિટલમાં ઉપસ્થિત તબીબોએ સંજય પાટણવાડિયાને મૃત જાહેર કરતા તહેવારની ખુશી પરિવાર માટે શોકમગ્ન બની ગઈ હતી.આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.જ્યારે અન્ય એક બીજી દુર્ઘટના દહેજના અટાલી ગામ નજીક બની હતી, જ્યાં રણજીતને પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તને પણ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈજાઓ પર 6 ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અંકલેશ્વરના ભડકોદરા નજીક થ્રી વ્હિલ ટેમ્પોમાંથી શંકાસ્પદ કેબલનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલોના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પોલીસ સ્ટાફે ઉત્તરાયણ નિમિત્તેના બંદોબસ્ત દરમિયાન મળેલ બાતમીના આધારે તપાસ કરતા અંક્લેશ્વર નજીક નેશનલ હાઇવેની બાજુમાં ભડકોદરા ખાતે એક થ્રી વ્હીલ ટેમ્પોમાં શંકાસ્પદ એલ્યુમિનિયમના કેબલો ભરેલા હોવાનું જણાતા પોલીસે તેને લગતા આધાર-પુરાવા માંગતા ટેમ્પો ચાલક રજુ કરી શકેલ નહી.તેથી પોલીસે એલ્યુમિનિયમના શંકાસ્પદ ૩૭૫ કિલોગ્રામ વજનના કેબલો રૂપિયા ૫૬,૨૫૦/-ની કિંમતના તથા થ્રી વ્હીલ ટેમ્પો કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- મળીને કુલ રૂપિયા ૧,૫૬,૨૫૦/- નો મુદ્દામાલ કબજે લીધો હતો અને આ ગુના હેઠળ ફરમાનઅલી જિલેદાર શેખ હાલ રહે. ભડકોદરા તા.અંકલેશ્વર જિ.ભરૂચ અને મુળ રહે.ઉત્તરપ્રદેશનાને ઝડપી લઇને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

વાલિયા તાલુકાના સોલાર પ્લાન્ટમાંથી સોલાર કેબલની ચોરી કરનાર 2 ઝડપાયા

ભરૂચ LCB પોલીસે વાલિયા-અંકલેશ્વર રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ LCB પોલીસનો સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વાલિયા તાલુકામાં સોલાર પ્લાન્ટમાં ચોરીના બનાવ બનેલ હોય, જે ચોરીમાં અગાઉ પકડાયેલા પણસોલી ગામના મંદિર ફળિયામાં રહેતા અરુણ વીનું વસાવા અને માંગરોલના રહેવાસી નિલેશ ફતેસિંગ વસાવા સંડોવાયેલ છે. અને આ બન્ને મેરા ગામની ટર્નિંગ પાસે ઊભા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જ્યાં બાતમીવાળા બન્ને ઈસમો મળી આવતા પોલીસે તેઓની પૂછપરછ કરતા બન્નેએ અન્ય 3 ઈસમો સાથે બાઈક પર જઈ વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં 4 જેટલા સોલાર પ્લાન્ટમાં પ્રવેશ કરી સોલાર કેબલની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, ત્યારે હાલ તો રૂ. 1.89 લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે બન્ને ઇસમોની ધરપકડ કરી સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

error: Content is protected !!