The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 52

ભરૂચ ઓસારા મહાકાળી મંદિર આગામી મંગળવારે બપોર સુધી જ રહેશે ખુલ્લુ

ભરૂચ જિલ્લામાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી તપોભૂમિ ઓસારા જે અઠવાડિયામાં એકજ દિવસે માત્ર મંગળવાર ના દિવસે જ ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવે છે.

જે આગામી મંગળવાર તા ૨૫-૧૦-૨૦૨૨ ના રોજ સૂર્ય ગ્રહણ હોવાથી મંદિર બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જ દર્શન માટે ખુલ્લું રહેશે અને બેસતા વર્ષના દિવસે આ મંદિર સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૭.૩૦ કલાક સુધી ખુલ્લું રહેશેની નોંધ લેવા ભક્તોને અપીલ કરવામાં આવી છે.

પ્રકાશ અને સુખ સમૃદ્ધિનો મહાપર્વ દિવાળી આ વર્ષે 24 ઓક્ટોબર 2022ના રોજ આવી રહ્યો છે. હિન્દૂ ધર્મમાં દિવાળી પ્રમુખ તહેવારોમાંથી એક છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના મહાપર્વના પાંચ દિવસ દરમિયાન વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પણ થશે.

ભરૂચમાં BMP દ્વારા યોજાઈ પરિવર્તન યાત્રાની જાહેરસભા

ભરૂચના લીમડીચોક મેદાનમાં તા.17મીની મોડી સાંજે બહુજન મુક્તિ પાર્ટીની પરિવર્તન યાત્રાની એક જાહેરસભા યોજાઈ હતી.

આ જાહેર સભામાં વર્તમાન સકરકાર અને  આર.એસ.એસ પર પ્રહારો સાથે કોંગ્રેસ અને આપ ઉપર પણ વકતાઓએ પ્રહારો કર્યા હતા.બી.એમ.પી.ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિશા મેશ્રાએ મહિલાઓને લક્ષમાં રાખી સરકારના વાયદા અને પ્રલોભનોમાં ના આવી આઝાદી મેળવવા બહુજન મુક્તિ પાર્ટીને ધ્યાને રાખવા અપીલ કરી હતી. પાર્ટીના માર્ગદર્શક અને મુખ્ય વક્તા વામન મેશ્રામે પણ સમાજને ન્યાય અને સ્વાભિમાણથી જીવવા એક જ વિકલ્પ બહુજન મુક્તિ પાર્ટીને ગણાવી આર.એસ.એસ.ને તેમજ વડાપ્રધાન મોદી અને અમિત શાહને ગુંડા ગણાવી પોતાની આગવી છટામાં પ્રહારો આપ્યા હતા.

જાહે સભામાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બી.કે.કેનિયા,પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઇ પરમાર,ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ અરૂણ જાંગીડ,ILAના મહા સચિવ વિજય ડેનિયલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અનેહિન્દુ-મુસ્લિમ જનમેદની ઉપસ્થિત રહી હતી.સભાનું સંચાલન હેમંત ગોહિલે કર્યું હતું.

તવરા ટી.પી. સ્કીમ મામલે કલેકટરે કહ્યું કોઇ ટી.પી. સ્કીમ જાહેર જ નથી કરાઇ

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સતા મંડળ દ્વારા બૌડાની રચના બાદ 10 વર્ષે તવરા ગામની પાંચ ટીપી સ્કીમ જાહેર કરાઈ હતી. જોકે 40 ટકા કપાતને લઈ જુના અને નવા તવરાના ગ્રામજનોએ ટીપી સ્કીમનો વિરોધ નોંધાવ્યો હતો.

ગ્રામજનોને ટીપી સ્કીમ મંજુર ન હોય તે રદ્દ કરવાની માંગ કરવા આજે શક્તિનાથ થી કલેકટરાલય ખાતે રેલી સ્વરૂપે જઈ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ ખેડૂતોના સમર્થનમાં જોડાઇ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

જેમાં ખેડૂતોએ અને ધારસભ્યે કલેકટર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ધારાસભ્ય અને ખેડૂતોને જણાવ્યું કે હજુ કોઇ ટી.પી. સ્કીમ જાહેર જ નથી થઈ. સાથે જો ખેડૂતોને વાંધો હોય તો કોઇ તેમની જમીન નહીં લે તેમના હિતમાં નિર્ણય લેવામાં આવશેની ભરૂચ કલેક્ટરે ખાત્રી ઉચ્ચારતા સૌ ખેડૂતોમાં ખુશી ફેલાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, તવરા ગામના ખેડૂતોના સમર્થનમાં મોડે મોડે પણ આમ આદમીપાર્ટી જાગી હતી અને તેમણે પણ કલેકટરને રજૂઆત કરી હતી. પરંતુ તે પહેલાજ કલેકટરે ટીપી. સ્કીમ જાહેર જ નથી થયાનું કહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જો કે આ પેહલા પણ વર્ષ 2016 માં પાંચ હજારથી વધુ ખેડૂતોએ રેલી કાઢી બૌડાને રદ્દ કરવાની માંગણી કરી હતી.

ભરૂચ:નવી SP કચેરીનું રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ

ભરૂચમાં 141 વર્ષ જુની એસપી કચેરીના સ્થાને 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલી નવી એસપી કચેરીનું આજે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

ભરૂચમાં અંગ્રેજ શાસનકાળમાં કાળી તલાવડી વિસ્તારમાં 1881માં પોલીસ હેડકવાટર્સની સ્થાપના કરવામાં આવી હતી.હેડકવાટર્સમાં આવેલી એસપી કચેરી સહિત અન્ય કચેરીઓનું સમયાંતરે રીનોવેશન કરવામાં આવતું હતું પણ 141 વર્ષ બાદ ભરૂચને અદ્યતન સુવિધાઓ ધરાવતી નવી એસપી કચેરી મળી છે. 9.63 કરોડ રૂપિયાના ખર્ચથી હાલની એસપી કચેરીની બાજુમાં જ બનેલી નવી કચેરીનું રવિવારે સાંજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારૂ રીતે જળવાય રહે તે માટે જિલ્લામાં 3 નવા પોલીસ સ્ટેશન અંકલેશ્વર બી ડીવીઝન, પાનોલી અને ઝઘડીયાનું પણ લોકાર્પણ કરવા ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનેલાં 204 જેટલા આવાસો ખુલ્લા મુકાયા હતા.

ભરૂચની નવી એસપી કચેરીમાં મહિલાઓની સુખાકારીનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારો તેમના બાળકોને રાખી શકે તે માટે ઘોડીયાઘર બનાવવામાં આવ્યું છે. ઘોડીયાઘરમાં એક પોલીસ કર્મચારીને તૈનાત કરાશે.ભરૂચની નવી એસપી ઓફિસમાં એલસીબી, એસઓજી, મહિલા વિભાગ, પોલીસ કંટ્રોલરૂમ, પાસપોર્ટ ઓફિસ સહિતની મહત્વની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે જેથી ફરિયાદી કે અરજદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધકકા ખાવા પડશે નહિ. એસપી ઓફિસમાં રીસેપ્સન ઉપરથી જ અરજદારોને માર્ગદર્શન પણ આપવામાં આવશે.

નવી એસ.પી.કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ અમિત ચાવડા વડોદરા રેન્જના આઈ.જી.એમ.એસ.ભરાડા,જીલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

ભરૂચમાં RSS દ્વારા યોજાઇ વિચાર ગોષ્ઠિ

ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ અગ્રણીજનો સહિત સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

​​​રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હિંદુ સમાજનું સંરક્ષણ અને સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે. સાંપ્રત સમાજમાં બદલાતા સામાજિક અને રાષ્ટ્રીય પ્રવાહો પર ગણમાન્ય પ્રબુદ્ધ નાગરિકો સાથે ચર્ચા અને વિચાર ગોષ્ટીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચના લીંક રોડ ઉપર આવેલા મંગલમ હોલ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય સંપર્ક ટોળીના સભ્ય રવિ ઐયરે સાંપ્રત સમયમાં બદલાતા પ્રવાહો અને દિશા સુચન અંગે પ્રવચન આપ્યું હતું.

આ વિચાર ગોષ્ઠીમાં જિલ્લા સંઘચાલક કૌશલ પટેલ, યાકેશ પ્રજાપતિ અને ભારત વિકાસ પરીષદ ભૃગુભુમી શાખાના પ્રમુખ નરેશ ઠક્કર તેમજ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

હરસિદ્ધિ કો.ઓ.ક્રેડીટ સો.લી. ભરૂચ દ્વારા મહિલાઓને અપાયું દિપાવલી ધિરાણ

ભરૂચ હરસિદ્ધિ કો.ઓ.ક્રેડીટ સોસાયટી દ્વારા તા.૧૫મીના રોજ રાજ્પૂત છાત્રાલય ખાતે સંસ્થાના ચેરમેન અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા તેમજ ઉપસ્થીત મહાનુભવો દ્વારા ૪૬ જુથના ૧૮૬ શ્રમજીવી મહિલા સભ્યોને દિપાવલી ધિરાણ પેટે રૂ.૧૦ હજાર થી ૩૦ હજાર સુધીનું મળી કુલ રૂપિયા ૨૭ લાખ ૪૦ હજારના દિપાવલી ધિરાણ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના રજનીકાંત રાવલ,જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સુરેશભાઇ આહિર,સંસ્થાના વાઇસ ચેરમેન પી.ડી.પટેલ,ડીરેકટર સુરેશ પટેલ,સત્યેન્દ્ર આહીર અને સંસ્થાના મેનેજર તુલસીપુરી ગોસ્વામી સહિતના ના હસ્તે એ-ગ્રેડના ૪૬ જુથના ૧૮૬ મહિલા સભ્યોને દિપાવલી ધિરાણ ચેક આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વસહાય જુથના બહેનો હાજર રહ્યા હતા તેમજ ધિરાણ આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થીત મહાનુભવોએ મહિલાઓને બચત કરવા પ્રેરીત કરતું સુંદર માર્ગદર્શન પુરૂ પાડી આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી.અંતમાં સંસ્થાના મેનેજરે કાર્યક્રમનું સંચાલન કરવા સાથે હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભાજપની ગૌરવ યાત્રા ભરૂચ પહોંચતા સ્વાગત સાથે યોજાઇ જનસભા

ભાજપની ભરોસાની સરકારમાં જન જને મુકેલા વિશ્વાસ અને સાથનો આભાર વ્યક્ત કરવા નિકળેલ ભરૂચના શક્તિનાથ ખાતે જાહેરસભામાં પરિવર્તિત થયેલી યાત્રામાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત વિકાસનું મોડલ દેશના અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશ તેમજ દુનિયામાં લોક ચાહના મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરીમાં આજના ગુજરાતને ડબલ એન્જીનની સરકાર મળી છે.

સમગ્ર દેશના અન્ય પ્રદેશોને પણ ગુજરાત અને ગુજરાત વિકાસ મોડલ ઉપર વિશ્વાસ અને ભરોસો છે. વિરોધીઓ પાસે કોઈ મુદા નહિ હોવાથી તેઓ હતાશ, નિરાશ થઈ ગયા છે અને ગાળો આપવાનું કામ કરી રહ્યા છે. પણ ગુજરાતની જનતા ભાજપ સાથે છે અને આ ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 150 થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ કેન્દ્રીય મંત્રીએ વ્યક્ત કર્યો હતો.અને વિકાસ, વિશ્વાસ અને ભરોસા સાથે કહ્યું હતું કે, આ ગુજરાતની ચૂંટણીના પરિણામ પછી આવનાર 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સામે કોઈપણ પક્ષ ચૂંટણી લડવાનું નામ નહિ લે.

ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતેથી ગર્જના કરી હતી કે, ગુજરાતની પ્રજાએ થર્ડ પાર્ટીને કદી સ્થાન આપ્યું જ નથી અને કોંગ્રેસ તો જીતમાં જ નથી. બિટીપી, કોંગ્રેસ કે આપ વાળા જુઠા અને અલગાવતાવાદી લોકોને કોઈ સ્થાન નહીં મળે. ભરૂચ જિલ્લા ની પાંચેય વિધાનસભા બેઠક ભાજપ જ જીતશે.તો વિધાનસભા દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, ભરૂચમાં સર્વાંગી વિકાસ, તેમજ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ એટલે ભાજપાનું સુશાસન, પહેલા 180 દિવસ કરફ્યુમાં કાઢ્યા છે હવે કરફ્યુ શું છે એ લોકો ભૂલી ગયા છે.

ભરૂચ જાહેરસભામાં પૂર્વ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ મનસુખ વસાવા, જનક બગદાણાવાલા, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, ફતેસિંહ ગોહિલ, દિવ્યેશ પટેલ, નિશાંત મોદી, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, રમેશ મિસ્ત્રી, દક્ષાબેન પટેલ, જીગ્નેશ મિસ્ત્રી, અનિલ રાણા, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ કામિનીબેન પંચાલ, ફાલ્ગુનીબેન પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાસોટથી ભરૂચ સુધી યાત્રાનું લોકો દ્વારા ઠેર ઠેર ઉત્સાહપૂર્વક ભવ્ય સ્વાગત કરાયું હતું.

માંગણીઓ ન સંતોષાતા આખરે ભરૂચ નગરપાલિકા કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર !

ભરૂચ  નગર પાલિકાના વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મંડળ તથા અખીલ ગુજરાત કર્મચારી મહામંડલ દ્વારા તા. ૧૫મીથી અપાયેલ અચોકક્સ મુદ્દતની હડતાલને ભરૂચ નગરપાલિકા કર્મીઓએ ટેકો જાહેર કરી હડતાલ પાડી હતી.

ભરૂચ પાલિકા કર્મીઓના જણાવ્યાનુસાર નગરપાલિકાના કર્મચારીઓના વણઉકેલ્યા પડતર પ્રશ્નો અને વહીવટી સુધારણાઓ બાબતે ર૦૧૫ થી સતત લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી હતી.અનેકવાર રજુઆતો કર્યાબાદ તા.૧૫/૧૦/ર૦રર થી મહામંડળ દ્વારા ન્યાય માટે આવશ્યક સેવાઓ સ્થગિત કરવાનો કાર્યક્રમ યથાવત રાખવાની વહીવટીતંત્ર દ્વારા કરજ પાડવામાં આવી રહેલ હોય તેમ માની અચોક્કસ મુદ્દતની હડતાલ પાડી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે સતત અમારી રજૂઆતોને નજર અંદાજ કરવામાં આવેલ છે માટે અમારે નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડેલ છે અમારી માંગણીઓ બાબતે શહેરી વિકાસ વિભાગ દ્વારા પરિશિષ્ટ મુજબના જે નિર્ણય કરવાના થાય છે તે કરવામાં આવે અને નીતિવિષયક બાબતો અંગે મંત્રીઓની કમિટી સમક્ષ સાદર કરવામાં આવે અને કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવે.ત્યાં સુધી તા.૧૫મી થી તા.૧૭ સુધી રોજ પાલિકા કચેરીમાં તમામ વહીવટી કામગીરીથી બંધ પેનડાઉન તો તા.૧૮/૧૦/ ર૦રરથી ભરૂચ શહેરમાં પાણી પુરવઠો બંધ અને ૧૯/૧૦/ર૦રર શહેરમાં સ્ટ્રીટ લાઈટ બંધ તથા ૨૦/૧૦/ ર૦રર સફાઈને આનુસંગિક કામગીરી બંધ કરાશે તો ૨૧/૧૦/ર૦રરથી તમામ કામગીરી બધ કરવામાં આવશેની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

ભરૂચના શેરપુરા નજીક બસે એક્ટિવાને અડફેટે લેતાં એકને ગંભીર ઇજાઓ

ભરૂચના શેરપુરા પાસે દહેજ તરફથી આવતી ખાનગી કંપનીની બસે એક્ટીવા ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક્ટીવા ચાલકને ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આજરોજ વહેલી સવારે ભરૂચના શેરપુરા નજીક દહેજ તરફથી ધસી આવેલી ખાનગી કંપનીની બસ નંબર (GJ 06 BT 0053) ના ચાલકે એક્ટીવા સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટીવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે સ્થાનિકોના ટોળે-ટોળા ભેગા થયા હતા. તેમજ શેરપુરા પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

તવરાના ખેડુતોએ ટી.પી સ્કીમના બહિષ્કાર સાથે ચુંટણી બહિષ્કારની ઉચ્ચારી ચિમિકી!

આજરોજ તવરા ખાતે એક બેઠક યોજી ખેડૂતો દ્વારા બહિષ્કાર કરવા નિર્ણય લેવાયો હતો સાથે જો જરૂર પડે તો તમામ સરકારી લડત આપવાની તૈયારી અને આંદોલન કરવા સાથે આગામી વિધાનસભા ચુંટણી બહિષ્કાર કરવાની ચિમકી પણ બેઠકમાં ઉચ્ચારી હતી.

તવરા ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોએ એકતત્રીત થઈ એક ખેડુત બેઠક યોજી હતી. જેમાં ગઈકાલે ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા જે પાંચ ટીપી પ્લાન્ટનું લોન્ચિંગ થયું. જેને કારણે ગ્રામજનોમાં, ખેડૂતોમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો અને આ બાબતે આગળ શું પગલાં ભરવા તે બાબતે વિચારણા કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનના જણાવ્યાનુસાર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બૌડાની રચનાના 10 વર્ષ બાદ ગત રોજ તવરાની પેહલી 5 ટાઉન પ્લાનિંગ સ્કીમના સૂચિત મુસદા માટે ઓનર્સ મીટ મળી હતી. જેમાં તવરા ગામની સીમની અંદર ૪૦ ટકા જમીન ખેડૂતોએ આપવાની રહેશે જેના વળતર તરીકે ખેડૂતોને કશુ આપવામાં નહીં આવે અને ખેડૂતને ખસી જવા કહે છે. જે બાદ સરકાર આ જમીન વેચવાની પણ વાત કરે છે. પણ તે વેચીને ખેડૂતને શું લાભ થવાના છે તે કશું પણ જણાવાયું નથી.જેથી આજે તવરાના તમામ ખેડૂતોએ એકત્રીત થઈ ટી.પી. સ્કીમનો વિરોધ કરવા સાથે તેના માટે સરકાર સામે આંદોલન જ નહીં પણ તન,મન,ધનથી લડત આપશેનું જણાવી આગામી ચુંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી હતી.

error: Content is protected !!