The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 44

નર્મદા કોલેજની બે વિદ્યાર્થિનીની યુનિવર્સિટીની ફાઇનલ 15 વુમન્સ ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી

ભરૂચની નર્મદા કોલેજની બે વિદ્યાર્થિની ખુશી અને મીરાલી VNSGUની યુનિવર્સિટી વુમન્સ ક્રિકેટ ટીમમાં 100 કોલેજની વિદ્યાર્થિનીઓને માત આપી ફાઇનલ 15માં સિલેક્ટ થઈ છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે રવિવારે યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શન યોજાયું હતું. જેમાં સાઉથ ગુજરાતની 100 કોલેજની વિદ્યાર્થિનીઓ સિલેક્શનમાં ઉમટી પડી હતી.પર્ફોર્મન્સ અને સ્કીલના આધારે ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની બે વિદ્યાર્થિનીઓની ફાઇનલ 15 યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થઈ છે.

ભરૂચની નર્મદા કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસર ડો. કે.એસ. ચૌહાણે આ ગર્વની વાત ગણાવી હતી. પસંદગી પામેલી ખુશી મારવાડી ભરૂચ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્લેયર છે. જે વિકેટ કીપર, બોલર અને બેટર છે. જ્યારે મીરાલી ભાડજા પેસ બોલર છે. બન્નેવ વિદ્યાર્થિનીઓ બી.કોમ. માં અભ્યાસ કરે છે. હવે તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ટીમ વતી ભુવનેશ્વરમાં યોજાનાર ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની રમત પ્રદર્શિત કરશે.

આમોદ સરભાણ રોડ ઉપર ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું !

આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તેમજ નજીકના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો.

આમોદ સરભાણ રોડ ઉપર સ્વામિનારાયણ સ્કૂલ પાસે આવેલી ભીમપુરા માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા ભ્રષ્ટાચારી અધિકારીઓની પોલ ખોલી જવા પામી હતી. તેમજ ગાબડાંને કારણે નહેરનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું.અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.તો બીજી તરફ દલસુખભાઈ વસાવાના ૧૧  એકરના ખેતરમાં નહેરનું પાણી ફરી વળતા ઘઉંના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં આજ નહેરના કારણે વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં કપાસના પાકને નુકશાન થયું હતું.જેથી ખેડૂતે નુકશાન ભરપાઈ કરવા ૧૧ એકર ખેતરમાં શિયાળામાં ઘઉંનો પાક લીધો હતો પરંતુ જેવી વાવણી કરી કે નહેરમાં ગાબડું પડતા નહેરનું પાણી ઘઉંના ખેતરમાં ફરી વળ્યું હતું.જેથી ખેડૂતે બીજી વખત નુકશાન વેઠવું પડ્યું હતું.

  • રીપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

ભરૂચમાં વિશ્વ એઈડસ ડે સાથે આંતરરાસ્ટ્રીય વોલન્ટીયર્સ દિવસની ઉજવણી કરાઈ

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નહેરૂ યુવા કેંદ્ર (યુવા અને ખેલ મંત્રાલય ભારત સરકાર)ભરૂચનાં સંકલનથી વિશ્વ એઈડસ ડે સાથે આંતરરાસ્ટ્રીય વોલન્ટીયર્સ દિવસની ઉજવણી કરવામાં આવી. નહેરૂ યુવા કેંદ્રનાં પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર દિવ્યજીતસિંહ ઝાલાએ હાજર તાલીમાર્થી ભાઈ બહેનોને એઈડસ સંબંધિત માહિતી પ્રદાન કરી ખાસ કરીને આ રોગ સ્થળાંતરીત માનવ સમુદાય દ્વારા વધુ પ્રમાણમાં ફેલાય છે.

તેના માટે આપણે જાગૃત યુવાધને શું કાળજી રાખવી તેના ઉપર પ્રકાશ પાડયો હતો રોગ આવતાં પહેલા તેને કેમ અટકાવી શકાય તેના માટે શું શું કાળજી રાખવી તેની ઉંડાણ પૂર્વક સમજ આપી હતી. આવા રોગો આપણી પોતાની બેદરકારીનાં કારણે વધુ પ્રમાણમાં વિસ્તરે છે જેથી આપણે સૌએ સજાગતા કેળવણી પડશે રોગ વિષે આજુબાજુ આપણા દરેક સમાજનાં લોકોને માહિતગાર કરી જાગૃત કરવા પડશે તોજ તેના ઉપર નિયંત્રણ લાવી શકીશું અને સુખી સંપન્ન જીવન વિતાવી શકીશું.

આ કાર્યક્રમ સાથે આંતરરાસ્ટ્રીય વોલન્ટીયર્સ દિવસની ઉજવણી અંતર્ગત જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં એન.એસ.એસ જનરલ લીડર યશ ઉપાદયાયે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, યુવાનોને રાષ્ટ્ર માટે વિવિધ સેવાઓ અને શ્રમદાન માટે આવા કાર્યક્રમો યોજાય છે એનો ઉદેશ્ય આપણે એક સ્વંયસેવક બની કુટુંબ, ફળિયા, ગામ, નગર કે દેશ રાષ્ટ્ર માટે કોઈક્ને કોઈ કામ સમાજ માટે કરતા રહીએ. આ સ્કીલ બેઈઝ સંસ્થાન છે આપણે પણ કોઈ કામમાં કૌશલ્ય કેળવી સમાજને ઉપયોગી થઈએ તે રાષ્ટ્ર માટે મહત્વનું છે. દેશ માટે પોતપોતાનું કૌશલ્ય પ્રદાન કરી એક સ્વયં સેવક સમાજમાં ઉભરી આવે. તેવા પ્રયત્નો આપણે કરીએ.

જે.એસ.એસના નિયામક ઝયનુલ સૈયદે આપણે સ્ત્રી હોય કે પુરૂષ એક સ્વયં સેવી બનીને સમાજની સેવા કરવી દરેક ક્ષેત્રે આપણી ફરજ બની જાય છે ગમે તે ક્ષેત્રે એક વોલીન્ટીયર્સ તરીકે પોતાની જાતને જોતરી શકોછો અને શ્રમદાન થકી યોગદાન આપી શકો છો સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.એસ.એસનાં ફિલ્ડ કો.ઓર્ડિનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કથોલીયાએ કર્યુ હતુ.અંતે આ તકે હાજર સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરમાં બોગસ મતદાનના કિસ્સામાં કરાયું મતદારનું ટેન્ડર વોટિંગ

અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં એક તરફ એકપણ સ્થળ ઈ.વી.એમ. કે વીવીપેટની ફરીયાદ તંત્રને મળી ન હતી.અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પાલિકા ના વોર્ડ નંબર 9 પર પી.ડબલ્યુ ડી. પેટ કચેરી ના બુથ 171 અને 158 બુથ ઉપર વિવાદ સર્જાયો હતો. જેમાં શ્રી માસ્ટર કમ્પાઉન્ડ ખાતે રહેતા પ્રકાશભાઈ મતદાન બુથ પર મત આપવા પહોંચ્યા હતા જ્યાં પોલીગ બુથ અધિકારીએ તેમનો વોટ અપાય ગયો હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઉઠયાં હતાં. મતદાન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે તેમણે હોબાળો મચાવ્યો હતો.

સ્થાનિક કોંગી નેતા દોડી આવ્યા હતા અને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી રજુઆત કરતા અંતે યુવાનને ચૂંટણી પંચ ની જોગવાઈ અનુસાર ટેન્ડર વોટ યુવાન પાસે અપાવ્યો હતો. આ ઉપરાંત અંકલેશ્વરના વિવિધ બુથ પર મતદાન મથકે મતદારો ને મોબાઈલ સાથે જતા અટકાવ્યા હતા. કેટલાક મતદારો પોતાના મોબાઇલ માં ઓળખ કાર્ડ સહીત પુરાવા સરકાર ની એપ પર લઇ આવ્યા હતા જો કે તેમના મોબાઈલ બહાર મૂકી ને આવો કહેવામાં આવતા નારાજગી જોવા મળી હતી.

વાગરાના વોરાસમની ગામે અપક્ષ ઉમેદવાર સહિત બે પર હુમલો

વાગરા તાલુકાના વોરા સમની ગામે અપક્ષમાંથી ઉમેદવારી કરનાર યુવાન સહિત બે જણા પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં.

વાગરા તાલુકામાં આવેલાં વોરા સમની ગામે નુરમહમદ સોસાયટીમાં રહેતાં રૂસ્તમ અહમદ મોઘીના ખાસ મિત્ર ઇકબાલ મોહમદ ભોમલીએ વિધાનસભાની ચૂંટણીમાં વાગરા સીટ પર અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. દરમિયનમાં ગઇકાલે તેઓ ગામની જૂમ્મા મસ્જીદમાંથી નમાજ પઢીને ભીલવાડા ખાતે ગયાં હતાં. તે વેળાં ગામના ગામના જહીર ગુલામ આદમ મુસા, ઐયુબ આદમ મુસા તેમજ બાબુ રૂસ્તમ બદરેઆલમ નામના શખ્સો તેમની પાસે આવ્યાં હતાં. તેમણે તમે અહીં કેમ આવ્યાં છો કહીં તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેમજ તેમને માર મારતાં તેમણે અમોને કેમ મારો છો તે પુછવા છતાં તેઓએ તેમને મારવાનું જારી રાખ્યું હતું. જોકે, આસપાસના લોકોએ તેમને છોડાવતાં બન્નેને ઇજાઓ થઇ હોય નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ તાલુકાની સીમમાં મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ

આમોદ તાલુકાના કાંકરીયા તેમજ માનસંગપુરાની સીમમાં મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

આમોદ તાલુકાના કાંકરીયા  તેમજ માનસંગપુરાની વચ્ચે ઇકબાલ અરજીતસિંહ રાણાના ખેતરમાં ગતરોજ સાત ફૂટ લાંબો મગર જોવા મળતા પશુપાલકો તેમજ ખેતમજૂરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.જે બાબતે લોકોએ આમોદના વનવિભાગને ખેતરમાં મગર હોવાની જાણ કરતાં આમોદ વનવિભાગના અધિકારીઓ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે તેમની ટીમ સાથે સ્થર ઉપર પહોચી ખેતરમાં આવી ગયેલા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો. ત્યાર બાદ મગરને આમોદ ખાતે લાવી સલામત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

વાગરામાં વિજય સંકલ્પ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી

વિજય સંકલ્પ હેઠળ ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિરાટ ચૂંટણી સભાને સંબોધી કોંગ્રેસ અને અન્ય પક્ષોને આડે હાથે લઈ વિકાસ માટે ફરી વાગરામાં કમળ ખીલવવા અપીલ કરી હતી.

વાગરા એપીએમસી ખાતે વિજય સંકલ્પ ચૂંટણી સભાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધી હતી. તેઓએ નર્મદા પરિક્રમાની પવિત્ર ભરૂચ ભૂમિને પ્રણામ કરી પોતાનું સંબોધન શરૂ કર્યું હતું.કોંગ્રેસીયાઓએ અનેક વર્ષ સુધી ગુજરાતમાં રાજ કર્યું, ગજવા ભરવા સિવાય કંઈ નહીં કર્યું હોવાના આક્ષેપ ગૃહમંત્રીએ કર્યા હતા. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર એટલે કોંગ્રેસ, એકબીજાના પર્યાય હોવાનું તેમણે ગણાવ્યું હતું.

ભૂતકાળમાં ગમે તેટલા રૂપિયા આવે પણ દરવાજો બની ઉભેલી કોંગ્રેસ પોતાના ઘર ભરતી હોય ગુજરાતનો વિકાસ થવા જ ન દીધો. ભરૂચની ભુમીએ પણ અનેક રમખાણ જોયા છે. 2002 માં ગુજરાતમાં રમખાણ કરવાની હિંમત કરી તેઓને કેવો પાઠ ભણાવાયો કે આજે નરેન્દ્ર મોદી રાજમાં 22 વર્ષથી ગુજરાતને કોંગ્રેસની રમખાણની આગમાંથી બહાર કાઢી વિકાસ તરફ ભાજપ લઈ ગઈ છે.

વધુમાં શાહ વાગરા ખાતે બોલ્યા હતા કે, કોંગ્રેસીયાઓના રાજમાં ગુજરાતમાં પીરઝાદા, લતીફ કેટલાય દાદા હતા આજે આપણા ગુજરાતમાં એક જ દાદા છે અને તે હનુમાન દાદા. ભાજપના રાજમાં કાયદો વ્યવસ્થા સાથે સલામત ગુજરાત વિકાસની નવી રાહ કંડારી રહ્યું છે.ચા વાળાને ત્યાં જન્મેલા નરેન્દ્ર મોદી ગરીબોની વેદના બરોબર સમજે છે. કોરોના કાળમાં દેશમાં એકેય ગરીબને ભૂખે મરવા દીધો નથી. દરેકને મફત રસીકરણ કરી તમામની ચિંતા મોદી સરકારે કરી છે. જનજનની દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી સીધો પોંહચાડવામાં આવ્યો છે.

વર્ષ 1995 થી 2022 સુધી ગુજરાત અને દેશ માટે નરેન્દ્ર મોદીએ શુ કર્યું તે ગણાવવું હોય તો ડોંગરેજી મહારાજની જેમ ભગવદ સપ્તાહ બેસાડવી પડે. કાશ્મીરમાં પણ કલમ 370 હટાવતા તમામ પક્ષો લોહિની નદીઓ વહેશે તેઓ કાઉ કાઉ કરતા હતા. જોકે આજે ત્રણ વર્ષ થઈ ગયા કાશ્મીરમાં એક કાંકરી ચાળો થયો નથી તેમ ગૃહમંત્રી શાહે ગર્વથી કહ્યું હતું.

રામમંદિર સહિત ભારતના તમામ તીર્થોનું પુનઃ ભવ્ય નિર્માણ મોદીએ કર્યું છે. ગુજરાત સાથે સમગ્ર દેશ આજે આગળ વધી રહ્યો છે. ભરૂચમાં પણ વિકાસની એક બાદ એક ભેટોની હારમાળા સર્જાઈ છે. અને આવનાર સમયમાં હજી પણ ભરૂચમાં એરપોર્ટ સહિત કરોડોના પ્રોજેક્ટો આવી રહ્યા છે. રાહુલબાબાને 2024 ની ટિકિટ બુક કરાવી લેવા પણ અમિત શાહે કહી, ૧ જાન્યુઆરી 2024 માં રામમંદિરનું નિર્માણ થઈ જવાનું એલાન કરી દીધું હતું.તેઓએ ગુજરાતની જનતાનો મત જેણે ગુજરાત બનાવ્યું તેને કહી, આપણો મત કમળ, ભાજપ અને વાગરાના અરૂણસિંહ રણાને આપવા અંતમાં અપીલ કરી હતી.

સભામાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસીયા, નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત દેશના વડાપ્રધાન મોદીએ જંબુસર ખાતે જાહેરસભા સંબોધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ભાજપ તરફથી ધૂંઆધાર પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. PM નરેન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમના પ્રવાસના અંતિમ દિવસે ભરૂચના જંબુસર ખાતે જનસભા સંબોધી હતી.

પી.એમ.નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં વાર તહેવારે હુલ્લડો થતા હતા એ બંધ થઈ ગયા અને કરફ્યુ હવે ભૂતકાળ બની ગયો છે. બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી છે.આદિવાસીઓ અંગે નિવેદન આપતા પી.એમ.નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતા તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવી ન હતી. મને કોઈ કાર્યક્રમના આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું છે.આદિવાસી જનનાયક ભગવાન બિરસામુંડાનું નામ કોંગ્રેસે ભુલાવી દીધું હતું પરંતુ ભાજપે ભગવાન બિરસામુંડાને સાચું સન્માન આપ્યું છે.

બે દિવસથી ગુજરાતમાં ફરું છું, ચારેતરફ એક જ નારો, વાત શંખનાદ, એક એક ગુજરાતી કહે છે કે ફરી એકવાર મોદી સરકાર. દેશમાં એવો કોઈ પ્રધાનમંત્રી જોયો છે તમે કે તેને જંબુસર, આમોદ, ઝઘડિયા બધું જ ખબર હોય. કેટલાય ને તો એ પણ ખબર નહિ હોય કે ઝઘડિયા તાલુકો છે કે સ્વભાવ.ભરૂચ જિલ્લાના લોકોની છાતી ફુલવી જોઈએ. કે ભરૂચે કોરોનામાં દેશ અને દુનિયાના કેટલાય લોકોની જિંદગી બચાવી. ભરૂચ આજે ભારતના નાના રાજ્યો કરતા પણ આગળ છે. જિલ્લાના 2 લાખ ખેડૂતોના ખાતામાં 400 કરોડ સીધા જમા થયા છે.વધુમાં વડાપ્રધાને ભુતકાળમાં ગરીબનું રાશન અને રાશન કાર્ડની પણ લૂંટ ચલાવનાર નેતા ભરૂચ જિલ્લામાં બેઠા હોવાનું કહી લાંબા ઝભ્ભા પહેરી ફરતા નેતાઓ પર નિશાન સાંધ્યું હતું.20 વર્ષમાં ભાજપે ગુજરાતમાં એવો ઝંડો રોપ્યો કે જાતિવાદ, ગુંડાવાદ, ભ્રષ્ટાચાર કરવા વાળી કોઈ પણ પાર્ટી આવે બધાએ વિકાસવાદની વાત કરવી પડે. આ તમારા ઘરનો જન જે સુખે દુઃખે તમારી જોડે રહે, ભરૂચમાં હું સાયકલ ઉપર ફરતો, પાંચબત્તી અમારું કાર્યાલય હતું. અંતમાં તેમણે દરેક પોલિંગ બુથમાંથી કમળ ખીલવવવા આહવાન કર્યું હતું.

આ ચૂંટણી સભામાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, જનક બગદાણાવાળા, ઉમેદવારો ઈશ્વર પટેલ, અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, ડી.કે.સ્વામી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, દિવ્યેશભાઈ પટેલ, ફતેસિંહ ગોહિલ, મંત્રી નિશાંતભાઈ મોદી છત્રસિંહ મોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચમાં ભાજપના રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ સભા ગજવી

ભરૂચ વિધાનસભા બેઠક માટે ઝાડેશ્વર સ્વામી નારાયણ મંદિરે ભાજપના સ્ટાર પ્રચારક રાષ્ટ્રીય યુવા મોરચા અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ભરૂચના ઉમેદવાર રમેશ મિસ્ત્રી માટે જનમેદનીને સંબોધી હતી.

ભરૂચમાં યુવા સાંસદ અને રાષ્ટ્રીય યુવા મોરચા પ્રમુખ તેજસ્વી સૂર્યાએ સભાને સંબોધતા ગુજરાતમાં અમદાવાદની નીકળતી રથયાત્રાને બુલેટ પ્રુફ સુરક્ષા પ્રદાન કરવાના ત્રણ દાયકા પહેલાં ના દિવસો યાદ કર્યા હતા. જે બાદ મોદીના ગુજરાતમાં રથયાત્રા ઉપર પુષ્પવર્ષા એ જ વિસ્તારોમાંથી થતી હવાનો ગૌરવ વ્યક્ત કર્યો હતો.

આજે દેશમાં ભાજપ અને નરેન્દ્ર મોદીના કારણે કેદારનાથથી લઈ કાશી વિશ્વનાથ અને છેક રામેશ્વરમ સુધી ભારતમાં આધુનિક વિકાસ સાથે આદ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે. ભાજપનો ઉમેદવાર કે કાર્યકર ધારાસભ્ય, સાંસદ કે અન્ય પદ માટે નહીં પણ વિશ્વમાં માં ભારતીને જગદગુરુ બનવવા ચૂંટણી લડતો હોય છે જે તેની વિધારધારા જ ભાજપને પ્રજાના મત થકી જીત અપાવી રહી છે.ભરૂચ વિધાનસભા બેઠક ઉપર આ વખતે રમેશ મિસ્ત્રીને પ્રજા ઐતિહાસિક જીત અપાવનારી હોવાનું અત્યારથી જ નક્કી થઈ ગયું છે.

ભરૂચ વિધાનસભાના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ મોદીનું ગુજરાત અને આજે દેશનો ચિતાર આપી, ભરૂચ પણ ભાજપ સાથે ત્રણ દાયકાથી અડીખમ છે ત્યારે ભાજપની ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં અભૂતપૂર્વ જીત નિશ્ચિત હોવાનું કહ્યું હતું.

કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મહામંત્રી નિરલ પટેલ, પૂર્વમંત્રી ખુમાનસિંહ વાસીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, દિવ્યેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પ્રકાશભાઇ પટેલ, ફાલ્ગુનીબેન પટેલ સહિત હોદ્દેદારો ને મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી.

ભરૂચ એ.એચ.પી દ્વારા લવજેહાદ અને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસીની માંગ સાથે આપ્યું આવેદન

ભરૂચ આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતના સંગઠનોએ લવજેહાદ અને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસીની માંગ સાથે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

જેમાં જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદના સુયોજિત કાવતરાને કારણે દેશમાં હિન્દુ મહિલાઓ અને તેમના પરિવારો અસુરક્ષિત બન્યા છે. દેશમાં વિવિધ સ્થળોએ હિંદુ યુવતીઓ, મહિલાઓ અને છોકરીઓને ફસાવવામાં આવે છે, જો તેઓ સંમત ન થાય તો તેમના પર હુમલા, બળાત્કાર, હત્યા, બળજબરીથી ધર્મ પરિવર્તન વગેરે હજારો ઘટનાઓ દરેક જગ્યાએ થઈ રહી છે.

આ ઘટનાઓના કારણે દરેક હિંદુ પરિવાર પોતાની માતા, બહેન, દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. હરિયાણામાં લવ જેહાદના કારણે નિકિતા તોમરની હત્યા, દિલ્હીમાં લવ જેહાદને કારણે હિન્દુ યુવતીની ગોળી મારી હત્યા, ઝારખંડમાં લવ જેહાદના કારણે હિન્દુ પુત્રી પર હુમલો કરીને હત્યા, દિલ્હીમાં શ્રદ્ધાના અનેક ટુકડા કરી હત્યા, હમણાં જ ગુજરાતના વડોદરામાં હિન્દુ પુત્રી સાથે લગ્ન કર્યા વડોદરામાં પોતાનો ધર્મ છુપાવી અને પછી તેના પરિવારને ધર્મ પરિવર્તનની ધમકી આપી.

આવી ઘટનાઓને રોકવા માટે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને શ્રદ્ધાના હત્યારાઓને ફાંસી આપવી જોઈએ.,દેશભરની રાજ્ય સરકારોને લવ જેહાદની ઘટનાઓના તમામ કેસોને ઝડપી લેવા સૂચના આપવી જોઈએ., લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે તરત જ લવ જેહાદ વિરુદ્ધ કેન્દ્રીય કાયદો બનાવવો જોઈએ.જેવી માંગ કરવામાં આવી હતી.

error: Content is protected !!