The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 4

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે મહિના ઓગષ્ટ અને જુલાઈમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહના ૪૦ જેટલા કેસો કરી, રાજ્ય સરકારની તિજોરીમાં રૂ.૯૮.૭૨/- લાખની વસુલાત કરવામાં આવી છે. તેમજ જે કિસ્સામાં કસુરદાર દંડકીય રકમ ભરપાઇ કરવા રસ ન ધરાવતા હોય તેવા કસુરદારો સામે ફરીયાદ દાખલ કરવા સુધીની કાર્યવાહી કરાઈ છે.
ભુસ્તરશાસ્ત્રીની સુચનાથી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીની તપાસ ટીમ દ્વારા ગેરકાયદેસર ખનિજ ખોદકામ, વહન અને સંગ્રહ ન થાય તે માટે આકસ્મિક ખનિજ વહન ચેકિંગ હાથ ધરી, લીઝોનું ઇન્સ્પેક્શન સહિતની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ સાહેબ તા.19મીને મંગળવારે સાંજે 6.07 કલાકે પ.પૂ. તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં સમસ્ત ચતુર્વિધ સંઘ સાથે નવકાર મંત્રની સમૂહ ધૂન સાથે અમદાવાદ મુકામે સાબરમતી (રામનગર) ઉપાશ્રયમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે.
તા. 20મીને બુધવારે સવારે 8 કલાકે કંકુબાઈ બેડાવાળા આયંબિલખાતા સાબરમતી (રામનગર)માં ૫રમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા, ૫રમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ઉદયકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા, ૫રમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વીતરાગયશસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રવચન બાદ ગચ્છાધિપતિશ્રીની પાલખીયાત્રા તથા અંતિમ સંસ્કાર સંબંધી ચઢાવા શરૂ થશે. ત્યારબાદ 11 કલાકે પાલખીયાત્રા શ્રી સાબરમતી (રામનગર) આયંબિલખાતાથી પ્રારંભ થઈને ચીમનભાઇ પટેલ બ્રિજથી ડાબી બાજુ સુભાષબ્રિજ તરફ થઇ બત્રીસી હોલ થઇ ગાંધી આશ્રમ રોડ – વાડજથી શ્રી વિક્રમતીર્થ (સંસ્કૃતિ ભવન – શાંતિનગર) થઇ નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ – સોલાર હોસ્પિટલથી સૂર્યકુટિર – દિવ્યપથ સ્કૂલ થઈ શ્રી લબ્ધિ-વિક્રમ નગર (સોલારોડ) પધારશે. ૫.પૂ. ગચ્છાધિપતિનાં અંતિમ સંસ્કાર શ્રી સોલારોડ શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ, શ્રી લબ્ધિ-વિક્રમનગર (સોલારોડ)માં બપોરે 2.30 કલાકે થશે. શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજા સાહેબનું સંસારી નામ રમેશકુમાર જેઓ નડિયાદના વતની હતા. જેમના સંસારી માતૃશ્રી સુભદ્રાબેન તથા સંસારી પિતાશ્રી જિનદાસભાઈના સંતાન હતા. જેમનો દીક્ષા દિવસ મહા વદ પાંચમ તથા દીક્ષા પર્યાય 62 વર્ષનો રહ્યો. જેમના દીક્ષા દાતા પૂજ્ય ગુરુદેવ શ્રી વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબ હતા. જેમના આચાર્ય પદ દાતા પૂજ્ય આચાર્ય દેવ શ્રી નવીન સુરીશ્વરજી મહારાજ સાહેબ હતા જેમને ગચ્છાધિપતિ પદવી મહા સુદ ચોથના દિવસે અપાઈ હતી. જેવો 82 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી કાળધર્મ પામ્યા છે.

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને અદાલતે વીસ વર્ષની સખ્ત કેદનો ચુકાદો આપ્યો છે. ૧૭ વર્ષ અને ચાર માસની ભોગ બનનાર યુવતીને પસાચ હજાર વળતર તરીકે ચુકવવા માટે પણ અદાલતે આદેશ આપ્યો છે. તેમાં પણ અગાઉ કોઇ વળતર ચુકવવામાં આવેલ હોય તો આ રકમ તેમાંથી બાદ ન કરવાનો ખાસ ઉલ્લેખ પણ કરાયો છે.
વડોદરાના સિટી પોલીસ મથકમાં ૨૦૨૧ના એપ્રિલ મહિનામાં એક મહિલાએ તેની પૌત્રી સાથે બનેલી ઘટનાના મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનાની તારીખ ૮મીએ સાડા ચાર વાગે તેમની પૌત્રી ઘરમાંથી કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. જે પરત ઘરે આવી ન હતી. આ અગાઉ પણ સગીર વયની પૌત્રી બે ત્રણ વાર ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગઇ હતી, પરંતુ તે પરત આવી જતી હતી. જેથી તેના નાનીએ પોલીસ ફરિયાદ તાત્કાલીક કરી ન હતી. તારીખ ૧૨મી એપ્રિલના રોજ આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતાં અજય અલ્પેશભાઇ તડવી નામના વીસ વર્ષના યુવાનની તારીખ ૧૫મી એપ્રિલના રોજ ધરપકડ કરી હતી.
આ ઘટનામાં સગીર વયની યુવતીને લગ્નનું લાલચ આપીને અજય તડવીએ તેનું અપહરણ કરીને ભગાડી લઇ જઇ તેણીની મરજી વિરૂદ્ધ તેના પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટ (પોક્સો)માં અધિક સત્ર ન્યાયાધીશ શકુન્તલાબેન સોલંકી સમક્ષ આ મામલે કેસ ચાલી જતાં અદાલતે વડોદરાના બેન્ક રોડ પર આવેલી જગમાલની પોળમાં ભક્તિકુંજ વાડીમાં રહેતા અજય અલ્પેશ તડવી (મૂળ રહે. આનંદપુરી ગામ, નસવાડી, જી. છોટાઉદેપુર)ને તકસીરવાન ઠેરવીને તેને વીસ વર્ષની સખ્ત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકાર્યો હતો.

 

ભરૂચ રેલવે સ્ટેશન પાસે બે ટ્રક વચ્ચે કાર બની સેન્ડવીચ!

ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ જતા મુખ્ય માર્ગ પર રેલવે ફાટક પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર બે ટ્રક વચ્ચે ફસાઈ જતા ભયાનક ધડાકો થયો. બનાવની ગંભીરતા છતાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન થતા હાશકારો અનુભવાયો હતો.


ઘટનાની વિગતો અનુસાર, ભરૂચ રેલવે સ્ટેશનથી નંદેલાવ તરફ રેલવે ફાટક નજીક આગળ ચાલી રહેલી ટ્રકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી ટ્રકના ચાલ્કે સ્ટીયરીંગ પર્નો કાબુ ગુમાવતા બે ટ્રક વચ્ચે જતી એક કારને જોરદાર ટક્કર મારતા આ ટક્કરની અસરથી કાર આગળની ટ્રકમાં અથડાઈ હતી જેથી કાર બંનેવ ટ્રકની વચ્ચે સેન્ડવીચની જેમ પીસાઈ હતી.આ અકસ્માત દરમ્યાન કારમાં બેઠેલા વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.ઘટનાની જાણ અને ઘડાકાના અવાજના પગલે સ્થાનિક લોકો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.જોકે આ ઘટના બાદ રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેને પોલીસ દ્વારા ઝડપી યથાવત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનામાં કોઇ જાન હાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.

બે છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી

ભરૂચમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા ૨૫૦ કરતા વધુ વર્ષથી પરંપરાગત મનાવાતા છડી અને મેઘરાજાના ઉત્સવની દબદબાભેર પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાવભેર મેઘરાજાની શાહી સવારી નગરયાત્રાએ નીકળી હતી.
ભારતમાં એકમાત્ર ભરૂચ શહેરમાં જ શૈકાઓથી પરંપરાચત રીતે સમસ્ત ભોઈ સમાજ દ્વારા શ્રાવણ વદ સાતમથી દસમ સુધી મેઘરાજાની માટીની કલાત્મક આકર્ષક પ્રતિમા બનાવી મેઘરાજા તેમજ છડી ઉત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે.


કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રાવણ વદ સાતમથી મોટા ભોઈવાડ સ્થિત મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી શ્રાવણ વદ દસમ સુધી તેમની પૂજા અર્ચના ભક્તિભાવ પુર્વક કરવામાં આવી હતી. સ્થાપના થી ૨૧ દિવસના આતિથ્ય બાદ સોમવારની સાંજના દબદબાભેર મેઘરાજાની ભવ્ય સવારીની નગરચર્યા ધામધૂમથી કાઢવામાં આવી હતી, મોટા ભોઈવાડ સોનેરી મહેલથી નીકળેલી મેધરાજાની શોભાયાત્રા અને મેઘરાજાના મેળામાં લોક મેળાવડો મહાલવા ઉમળકાભેર ઉમટી પડયો હતો.
મેઘરાજાની મોટા ભોઈવાડથી સોનેરી મહેલથી નીકળેલી શોભાયાત્રા તેના નિયત માર્ગ પર ધુમી નર્મદા નદીમાં આનંદ અને ઉત્સાહભેર મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. મેઘરાજાની ભવ્ય શોભાયાત્રામાં ચિક્કાર જનમેદની મેઘરાજાના દર્શનથી તેમજ પોતાના બાળકને મેઘરાજાની પ્રતિમાં સાથે ભેટાવવા ઉમટી પડી હતી.
મેઘરાજાની શાહી સવારી જે જે સ્થળેથી પસાર થઈ ત્યાંથી શ્રધ્ધાળુઓ દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ હતુ. મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતિ સાથે જ આજે ચાર દિવસના ભાતીગળ મેળાની પણ પુર્ણાહુતિ થઈ હતી.

નર્મદા મૈયા બ્રિજ ઉપર થી અંકલેશ્વરની યુવતીની મોત ની છલાંગ.

આજે સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગર માં રહેતી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર મોત ની છલાંગ લગાવી હતી.જો કે આ યુવતીને નદીમાં કુદતા રાહદારીઓ ની નજરે પડતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેના પગલે તુરંત જ ધર્મેશ સોલંકી દ્વારા સ્થાનિક નાવિકો નો સંપર્ક કરી માહિતી આપી હતી કે એક યુવતી એ નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો માર્યો છે તમે તાત્કાલિક નાવડી લઈ નદી માં જાવ તેમ કહેતા જ બે નવડીવાળા ત્યાં પહોંચી જતા, યુવતી ને નદી માં તરતી હાલત માં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી.
જો કે જીવનથી હતાશ આ યુવતી એ નાવડી માંથી ફરીથી મોત ની છલાંગ લગાવી હતી. પરંતુ સદનસીબે નાવીકો દ્વારા ફરી તેણી ને બચાવી લેવા માં આવેલ અને તેને કિનારે લઈ આવેલ. આ ઘતનાની ગંભીરતા સમજી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પણ ઘટના સ્થળે તુરંત દોડી ગયા હતા અને તેમણે 108 એમ્બ્યુલન્સ સેવા ને જાણ કરી બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા યુવતી ની પ્રાથમિક સારવાર બાદ હાલમાંત આ યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર વધતા જતા મોતના કિસ્સા અને વારંવારની રજૂઆતો છતાં નીંદ્રાધિન તંત્ર દ્વારા બ્રીજ ઉપર નેટ લગાવાતી ના હોય જેના પગલે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના બનાવો વધતા જોવા મળ્યા છે,ભગવાન ક્યારે તંત્ર ને સદબુદ્ધિ આપશે હજી કેટલા જીવ જવાની રાહ જોશે અને નેટ ક્યારે લગાવશે એ સમજાતું નથી!

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા હોળી પર્વે પત્રકારો સાથે સ્નેહમિલન યોજાયું

ભોલાવ સર્કિટ હાઉસ ખાતે હોળી-ધુળેટી પર્વે ગુરૂવારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો સાથે સ્નેહમિલન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાંધકામ સમિતિ અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા યુવા પ્રમુખ ઋષભ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

સાંસદ મનસુખ વસાવા દ્વારા દર વર્ષની જેમ હોળી પર્વે પૂજન સામગ્રીનું વિતરણ કરાયું હતું. અને સૌકોઈને રંગોના પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાતના આ વખતના બજેટને અન્ય રાજ્યોની વસ્તી અને વિસ્તારની સરખામણીએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સૌથી વિરાટ ગણાવ્યું હતું. બજેટમાં ભરૂચ જિલ્લાને મહત્વની રકમ તેમજ પ્રોજેક્ટોની ફાળવણી કરાઈ છે.  દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે રૂપિયા 46 કરોડની વધુ ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક, ભાડભૂત બેરેજ સહિતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટો માટે કરોડોની રકમ ફળવાઈ છે.સાથે જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનના નવીનીકરણ સાથે 800 બેઠકનું સંકુલ બનાવાશે તેમ ધારાસભ્યે અંતમાં ઉમેર્યું હતું.

વિકાસમાન ભરૂચ વિકસિત જિલ્લા તરફ આગળ વધી રહ્યો છે તેમ નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહી સૌને હોળી – ધૂળેટો પર્વની શુભકામના પાઠવી હતી. પ્રજા અને પત્રકારોના સૂચનો આવકારી જિલ્લાના વિકાસમાં સહભાગી થવા હાંકલ કરી હતી.સાત ટર્મથી ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોળી – ધુળેટીની શુભકામના પાઠવી. ભાજપ મૂલ્ય આધારિત પાર્ટી. રાષ્ટ્ર, સમાજના વિકાસમાં મીડિયા જગતની પણ અહમ ભૂમિકા. તમામને સાથે લઈ આપણે વિકાસની પરંપરાને આગળ વધાવવાની છે તેવી નેમ વ્યક્ત કરી હતી.

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાનમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ગતરોજ આખા દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.


મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે.પોલીસેબન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કેનેડામાં અકસ્માતમાં આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતન લવાયો ,અંતિમ સંસ્કાર કરાયા

કેનેડામાં કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભરૂચના આમોદના યુવાનનો મૃતદેહ 14 દિવસ બાદ વતનમાં લવાયા બાદ તેના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.કેનેડાના બ્રેમ્પટનમાં માર્ગ અકસ્માતમાં ભરૂચના આમોદના 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.કાલિકા માતા મંદિર વિસ્તારના રહેવાસી ઋષભકુમાર રોહિતભાઈ લીમ્બચીયા છેલ્લા ત્રણ વર્ષથી સ્ટુડન્ટ વીઝા પર કેનેડામાં રહેતા હતા.બ્રેમ્પટનમાં બનેલી આ દુર્ઘટનામાં ટ્રક અને ઋષભકુમારની કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.


ત્યારે આ અંગે પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીને જાણ કરતા તેઓએ યુવાનના મૃતદેહને વતન લાવવા માટે ભરૂચ કલેકટરને રજુઆત કરી હતી ત્યારબાદ મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા 14 દિવસ બાદ યુવાનનું મૃતદહને પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પરિવારજનો યુવાનનો મૃતદેહ વતન લાવ્યા હતા જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.યુવાનની અંતિમયાત્રામાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિતના આગેવાનો તેમજ આમોદના નગરજનો જોડાયા હતા. પરિવારજનોએ અશ્રુભીની આંખે પોતાના વ્હાલસોયાને વિદાય આપી હતી.

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી બોલેરો પીકઅપમાં કોપરના કેબલ સાથે બે ની અટકાયત

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી,દરમિયાન માહિતી મળી હતી કે એક બોલેરો ટેમ્પોમાં શંકાસ્પદ કોપર વાયરો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.જે માહિતીને આધારે એશિયન પેઇન્ટ્સ ચોકડી પર પોલીસે વોચ ગોઠવી અને શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા પોલીસે તેને રોકી તપાસ કરતા તેની અંદરથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.


પોલીસે ટેમ્પોમાં બેઠેલ દિપક ઈશ્વરજી ઠાકોર,વિશાલ રમેશભાઈ પટણી પાસે કોપરના જથ્થાનું બિલ સહિતના પુરાવા માંગતા તેઓ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા. જેથી પોલીસે 2520 કિલો કોપર વાયર કપટથી મેળવ્યા હોવાની શંકાને આધારે બંને ઈસમોની ધરપકડ કરી 15 લાખ ઉપરાંતનો ભંગાર તેમજ બોલેરો પીકઅપ કિંમત રૂપિયા બે લાખ મળી કુલ 17 લાખ 14 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી છે.

error: Content is protected !!