The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Blog Page 101

વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 8 વર્ષ પૂર્ણ કરતા સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી.

ભારતમાં અને ભરૂચમાં આ 8 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારના શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ આપી હતી.

ભરૂચ જિલ્લામાં વિધાનસભા અને લોકસભા મત વિસ્તાર મુજબ સાકાર થયેલા અનેક પ્રકલ્પો, આગામી યોજનાનો ચિતાર અપાયો હતો. સાથે આગામી સમયમાં રિવરફ્રન્ટ, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ, નવા ફ્લાયઓવર, નોન પ્લાન રસ્તા, લિવેબલ ભરૂચ, એર સ્ટ્રીપ સહિતની વિગતવાર માહિતી અપાઈ હતી.

ભરૂચ જિલ્લા ભાજપ અને તેના વિવિધ મોરચા દ્વારા 5 જુનથી 15 જૂન સુધી 8 વર્ષ વડાપ્રધાનના સુશાસન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જઇ રહ્યાં છે. સાથે જ 10 અને 12 જૂને ખેલે સાંસદ ખેલ પ્રતિયોગીતાનું પણ આયોજન કરાયું છે.

પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ સહિત સાથે મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યાં હતાં.

ભરૂચમાં સહકારી શિક્ષણ ભવનનું વર્ચ્યુઅલ ખાતમુહુર્ત અને સહકાર સંમેલન યોજાયું

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે આ બેંક દ્રારા અદ્યતન “સહકારી શિક્ષણ ભવન” ઉભુ કરાયું છે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત સહકાર સંમલેનમાં દેશનાં ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહે કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ,૧૧૫ વર્ષ જૂની આ સંસ્થાએ ખુબ સુંદર અને અદભુત કાર્યની શરૂઆત કરી છે. સહકારી મંડળીઓનું કર્તવ્ય અને અધિકારોની જાણકારી  મંડળીના નીચલા સ્તર પર ન પહોંચે ત્યાં સુધી સહકાર ક્ષેત્ર સમૃદ્ધ અને પારદર્શક બનાવી શકાય નહીં. લોકોપયોગી બનાવવા માટે આ પ્રકારના પ્રશિક્ષણની ખૂબ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેન્કે પોતાના સ્વભંડોળમાંથી આવા આધુનિક પ્રશિક્ષણ બનાવવાના નિર્ણયને ખૂબ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.

આ પ્રકારના શિક્ષણમાં કમ્પ્યુટર લેબ, મેનેજમેન્ટ યુક્ત કો-ઓપરેટીવને લગતું પુસ્તકાલય, મંડળીના કામકાજના નિયમોની સાચું  જ્ઞાન આપતું કેન્દ્ર બનશે. સહકારી ક્ષેત્રના સ્ટાફને ડિજિટલાઇઝેશન અંગેનું સાંપ્રત સમયની માંગ અનુસારનું પ્રશિક્ષણ સહકારી ક્ષેત્રના સમૃધ્ધિ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ ઉપરાંત જેમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખરીદી જેમ પોર્ટલ મારફતે થાય છે તેમ  હવે કો એપરેટીવ સોસાયટી પણ જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકશે. જેથી કરીને વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપી બનશે. આ પ્રકારનું પ્રશિક્ષણના પ્રોજેક્ટ થકી રાજ્યની ૬૫ હજારથી વધુ સહકારી મંડળીઓને નવું જીવન મળશે. આ ઉપરાંત આવી મંડળીઓનો ઢાંચો મજબૂત કરવા માટે અંબરેલા સ્કીમનું પણ આયોજન બજેટમાં વિચાર્યુ  છે.

આ પ્રસંગે નવસારી સાંસદ સી આર પાટીલ, નાયક મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, રાજ્ય શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોર તથા બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ પણ પ્રાંસંગિક પ્રવચન કર્યા હતા. આ સાથે સહકારી ક્ષેત્રોનો આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંક્લેશ્વરના મુસ્કાન સ્પા પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ

પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા તથા અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા મળેલ હકિકત આધારે, અંક્લેશ્વર GIDCમાં આવેલ ઓમકાર-૧ કોમ્પ્લેક્ષમાં આવેલ મુસ્કાન સ્પા પાર્લર નામની દુકાનની આડમાં બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર ચલાવે તે હકિકત આધારે આ જગ્યાએ જઈ રેડ કરી હતી.

જેમાં દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ બે યુવતિઓ તથા મુસ્કાન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક દુકાન માલીક સાહિદખાન અખ્તરખાન જાતે ખાન ઉ.વ.૪૫ ધંધો.વેપાર હાલરહે, દુકાન નંબર. $2-14, ઓમકાર-૦૧માં આવેલ મુસ્કાન સ્પા.માં, આનંદ હોટલ ઉપર, વાલીયા ચોકડી, તા.અંકલેશ્વર, વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે

અંકલેશ્વર GIDC પોલીસે સ્પામાંથી મોબાઇલ નંગ ૧ કી.રૂ. ૬૦૦૦/-, કાઉંટર પરથી તથા અંગઝડતીના રોકડા રૂપીયા ૯૦૦૦/-  મળી કુલ કી.રૂ.૧૫૦૦૦/- નો મુદામાલ કબ્જે લઈ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

ભરૂચ જિલ્લા ભાજપે વધુ 500 બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવ્યો

ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા દિવ્યાંગ, કોરોનામાં માતાપિતા અથવા બે માંથી એક ગુમાવનાર અને આર્થિક રીતે પછાત જેની ઉંમર 10 વર્ષથી ઓછી છે, એવી 500 બાળકીઓના ખાતામાં આજે ગુરૂવારે રૂ.1000-1000 ડિપોઝીટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યાર સુધી 1800 દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે.

વધુ 500 બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલવા માટે ભોલાવ સર્કિટ હાઉસ ખાતે ભાજપ પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના અથાગ પ્રયાસો થી તેઓ દ્વારા એકત્ર કરાયેલ રૂ.5,00,001/- ની રકમનો ચેક ભરૂચ જિલ્લાની સામાજિક કાર્યોમાં અગ્રણી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રને સુપ્રત કરાયો હતો. જેમાં 10 વર્ષથી નીચેની દિવ્યાંગ બાળકીઓ, કોરોનામાં માતાપિતા ગુમાવ્યા હોઈ એવી બાળકીઓ, આર્થિક રીતે નબળા પરિવારની બાળકીઓ તેમજ માતા અથવા પિતા ગુમાવ્યા હોઈ તેવી બાળકીઓ આવરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવા માટે આયોજનબદ્ધ રીતે અત્યાર સુધી જિલ્લા ભાજપ દ્વારા કામગીરી ચાલી રહી છે. ગરિબ પરિવારની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ દીકરી મોટી થાય અને તેના ભણતર તેમજ લગ્ન પ્રસંગમાં આર્થિક ભારણ ન આવે એવા શુભઆશયથી ભાજપાના પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર દ્વારા લેવાયેલ સંકલ્પ થકી આ યોજનાનો લાભ 10 વર્ષની નીચેની ઉંમરની 1800 બાળકીઓને હાલ તો આપવામાં આવ્યો છે.

વર્ષ 2022 માં 17 સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 72 માં જન્મદિવસ સુધી વધુ વધુમાં 7272 જેટલી બાળકીઓને લાભ આપવાના પ્રસાયો ભરૂચ જિલ્લા ભાજપ, અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા તેમજ વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપનું કરાયું આયોજન

ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશન પાછલા 8 વરસ થી ભરૂચ જિલ્લામાં કાર્યરત છે. ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેન દ્વારા તારીખ 2 જૂન 2022 થી 5 જૂન 2022 5 મી ઓપન ભરૂચ ડિસ્ટ્રિક્ટ શુટિંગ ચેમ્પિનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરી ને ટુર્નામેન્ટ નો શુભારંભ કરાયો હતો.

સમગ્ર ગુજરાત ના 13 જિલ્લાઓ માંથી આશરે 250 જેટલા શૂટર આ પ્રતિયોગિતા માં ભાગ લઈ રહ્યા છે. જેમાં 10 મીટર એર રાયફલ તેમજ એર પિસ્તોલથી આ ચેમ્પિયશિપ રમાશે. રેન્જ માં વર્લ્ડ ક્લાસ Walther, Feinwerkbau, Pardini, Morini Pistol જેવા હથિયારોથી આ સ્પર્ધામાં ખેલાડીઓ નિશાન તાકશે.

આ ગુજરાત સ્ટેટ લેવલની શૂટિંગ ચેમપિયનશિપ ના સફળ આયોજન અને આ ચાર દિવસની આ પ્રતિયોગિતા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ અને ભરૂચ જિલ્લા રાયફલ એસોસિયેશનના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા એ તમામ જિલ્લાના નિશાનેબાજ ને શુભેચ્છા ઓ પાઠવી હતી.

શીંગડાથી ઘાયલ ગાયનો 1962 ટીમે જીવ બચાવ્યો

અંકલેશ્વર હાઈવે પર અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયનો 1962 દ્વારા તાત્કાલિક સારવાર મળતા જીવ બચી જવા પામ્યો હતો. ભરૂચ શહેરમાં 1962 હેલ્પલાઇનની એમ્બ્યુલન્સના તબીબ અને તેની ટીમે પુનઃ ગાયનો જીવ બચાવ્યો હતો. રાજ્ય સરકારની 1962 હેલ્પલાઇનની પશુ માટે 108 ગણાતી એમ્બ્યુલસ 1962 કરૂણા એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડો.નિરવ ભાઈ તેમની ટીમ ઘાયલ પશુ માટે આશીર્વાદ રૂપ બની હતી. ભરૂચ અંકલેશ્વર હાઇવે પર માર્ગ અકસ્માતના ઘાયલ ગાયને જોતા જયેન્દ્રસિંહ વાસોદિયા નામના વ્યક્તિ તત્કાલ સારવાર માટે ફોન આવતા કરુણા એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો.

ડો.નિરવભાઈ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ગાયને તપાસ કરતા જાણવા મળ્યું કે ગાયને અકસ્માતને કારણે સિંગડું ભાગી ગયું હતું અને પાંસળી પેટમાં ઘુસી જતા પેટનો ભાગ બહાર આવી ગયો હતો. ગાયને બચાવવા અને પીડા મુક્ત કરવા ડો. નીરવ તથા પાયલટ હિંમતભાઈ એમ બંને મળીને ત્રણ કલાકની મહેનત થી પેટ પર પડી ગયેલા ઘા ને સફાઈ કરીને અને બહાર આવી ગયેલા ભાગને અંદર મૂકી ટાંકા માર્યા હતા. ત્યાર બાદ ભાગી ગયેલા સિંગડા ને સાફ કરીને યોગ્ય સારવાર આપી હતી. આ બધું જોવા માટે ભેગા થયેલા લોકોએ આ કામની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

ઝઘડિયાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ,ઉપપ્રમુખ સહિત સહકારી આગેવાન સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભામાં આ વખતે ભાજપે કેસરિયો લેહરાવવાની નેમ વ્યક્ત કરી છે. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના સૌના સાથ અને સૌના વિકાસની કાર્યપધ્ધતિથી પ્રેરાઈ ઝઘડિયા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, જિલ્લા ઉપપ્રમુખ તેમજ સહકારી આગેવાન તેમના સમર્થકો સાથે વિધિવત ભાજપમાં જોડાયા હતા.

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સૌના સાથ અને વિકાસથી આગળ વધી રહી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર જનજનનો વિકાસ કરવા ડગ આગળ ભરી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ ભાજપ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠકો પર કેસરિયો લહેરાવવા મક્કમ અને મજબૂત છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સૌના વિકાસ કાર્ય પદ્ધતિથી પ્રભાવિત થઈ ઝઘડિયા તાલુકામાંથી બુધવારે કોંગી અને સહકારી આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો હતો.

ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ધર્મેશ મિસ્ત્રી, જનક મોદી, મંત્રી નિશાંત મોદીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનોજ દેસાઈ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યુવરાજસિંહ બારોટ, સહકારી આગેવાન જ્યેન્દ્રસિંહ પરમાર વિધિવત ભાજપમાં જોડાયા હતા. જેમને ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો.આ પ્રસંગે તેઓના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. જેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી જીત હાંસલ કરશે.

જંબુસર બીએપીએસ દ્વારા મંદિર ખાતેથી વ્યસનમુક્તિ રેલી યોજાઇ

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ અંતર્ગત વ્યસન મુક્તિ રેલી મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી પરત મંદિર ખાતે આવી પહોંચી હતી અને સમાજમાં વ્યસન મુક્તિનો સંદેશો ફેલાવ્યો હતો.

વિશ્વ વંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે અંતર્ગત પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી તેમજ બીએપીએસ બાળ પ્રવૃત્તિ દ્વારા આયોજીત વ્યસનમુક્તિ અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાન અંતર્ગત સંસ્થાના  ૪૦૮ થી વધુ બાળકો અને બાલિકાઓ દ્વારા ૩૮૧૯૪ થી વધુ લોકોનો સંપર્ક કરી તેમનું જીવન નિર્વ્યસની બની આદર્શ જીવન જીવવાનો ભગીરથ પુરૂષાર્થ કર્યો છે. વ્યસનમુક્તિ અભિયાનની પૂર્ણાહુતિ નિમિત્તે જંબુસર શહેરના બીએપીએસ મંદિર થી વ્યસનમુક્ત રેલીનું   ધારાસભ્ય જંબુસર સંજયભાઇ સોલંકી દ્વારા પૂજા અર્ચન કરી સંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું  જેમાં જ્ઞાનવીરદાસ સ્વામી, યજ્ઞ જીવનદાસ સ્વામી, સૌમ્યમૂર્તિ સ્વામી સહિત મનનભાઈ પટેલ ભુપેન્દ્રભાઈ પંચાલ, જીજ્ઞેશભાઈ રાણા,  યોગેશભાઈ પુરાણી હાજર રહી દર્શન પૂજનનો લાભ લીધો હતો..

આ વ્યસનમુક્તિ રેલી મંદિરથી કાવાભાગોળ,લીલોતરી બજાર, ઉપલી વાટ,કોટ બારણા, સોની ચકલા, ટંકારી ભાગોળ થઈ પરત મંદિર ખાતે પહોંચી હતી. રેલીમાં ૧૭ ઉપરાંત ફ્લોટ શણગારી વ્યસન મુક્તિ,પ્રકૃતિ સંવર્ધન નો સંદેશો વ્યાપક બનાવ્યો હતો. મયુર રથમાં બિરાજીત ભગવાન સ્વામિનારાયણ સહિત વિવિધ શણગારેલા રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા  અને જંબુસર નગરમાં નીકળેલ વ્યસનમુક્તિ તથા પ્રકૃતિ સંવર્ધન રેલી દ્વારા સૌને વ્યસન મુક્ત બનાવવાનો તથા વીજળી પાણી બચાવી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં બે એ પી એસ  હરિભક્ત ભાઈ બહેનો હાજર રહ્યાં હતાં.

  • સંજય પટેલ,ન્યુઝ લાઇન,જંબુસર

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્રારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરાશે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરી ખાતે આયોજીત સહકાર સંમલેનમાં ભારત સરકાર ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહ કરશે. અને આ અવસરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત સરકારના સહહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ બેંક દ્રારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું.

ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના સભાખંડમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ જણાવ્યુ હતુ કે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકે ૧૧૫ વર્ષ પુર્ણ કર્યા છે. બેંકની ભરૂચ અને નર્મદા જીલ્લામાં ૪૯ જેટલી શાખાઓ છે. જેમાં ૧૯ શાખાઓ બેંકની માલિકીના મકાનમાં ચાલે છે. બેંક આજે નવી ટેકનોલોજીથી સુસજજ છે.

બદલાતા સમયની સાથે સહકારના નિયમો અને ટેકનોલોજીમાં બદલાવ આવે છે. આવા સંજોગોમાં બેંકના કર્મચારીઓ, ગ્રાહકો અને બેંક સાથે જોડાયેલ સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો, હોદ્રેદારો અને કર્મચારીઓને તેનુ શિક્ષણ મળે તે જરૂરી છે. જેના ધ્યાનમાં લઈ બેંક દ્રારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરવાની યોજના બનાવી છે. જેનુ ત્રીજી જુનના રોજ ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત થશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ મનસુખભાઈ વસાવા, વિધાનસભાના ના.મુ.દંડક દુષ્યંતભાઈ પટેલ અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ ઉપસ્થિત રહેનાર છે.

લુવારા ગામ પાસે વિદેશી દારૂના જથ્થો ભરેલ ટ્રક સાથે ૧ ઝડપાયો

આજે વહેલી સવારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ને.હા.નં.૪૮ પર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “ટાટા કંપનીનુ ટ્રક જે બોડી લીલા પીળા કલરની જેનો રજી.નંબર HR-67-A-2275 માં વિદેશીદારૂનો જથ્થો ભરી વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જવાની છે.

જે હકિકત આધારે ને.હા.નં.૪૮ પર વડોદરા થી ભરૂચ તરફ જતા ટ્રેક પર ચૌધરી હોટલ લુવારા પહેલા એચ.પી પેટ્રોલ પંપ સામે વોચમા રહી બાતમી મુજબની ટ્રક આવતા આયોજન મુજબ ટ્રાફીક કરી રોકી લઈ કોર્ડન કરી ટ્રકને પકડી તેમાથી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો/બીયર નંગ-૧૩૯૨૦ કિમત રૂપીયા ૩૩,૨૧,૬૦૦/- મળી ફુલ મુદ્દામાલ કિ.રૂ.૪૩,૨૮,૨૦૦/- સાથે શંમ્ભુસિહ નાનુસિંહ જાતે સિહ ઉ.વ ૩૦ રહેવાસી બડનૌર જીતગઢ જી બીલવારા (રાજસ્થાન)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

error: Content is protected !!