The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનના સ્ટોપેજ્થી સરદાર પટેલની કર્મભૂમિ આણંદ જ વંચિત

  • કેવડિયા જતી જનશતાબ્દી ટ્રેનને સરદાર પટેલની કર્મભૂમિ આણંદમાં જ સ્ટોપેજ નહીં

કેવેડિયા કોલોની જવા માટે અમદાવાદ સહિત જનતાને લાભ મળ તે માટે 1 વર્ષ અગાઉ જનશતાબ્દી એકસપ્રેસ શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે પહેલા દિવસે માત્ર સરદાર પટેલની જન્મભૂમિ અને કર્મભૂમિ સમાં નડિયાદ અને આણંદ રેલ્વે સ્ટેશન પર માત્ર સ્વાગત કરવા પુરૂતું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. હરખ પદુડા નેતાઓ સ્વાગત કરીને સંતોષ માન્યો હતો. પરંતુ કાયમી સ્ટોપેજ ન અપાતા સરદાર પટેલ વતનને ભારે અન્યાય કરવામાં આવ્યો હતો.જેને લઇને બંને જિલ્લામાં ભારે નારાજગી વ્યકત કરી હતી.

ત્યારબાદ ખેડા જિલ્લા ભાજપના નેતાઓ નડિયાદ ખાતે જનશતાબ્દી સ્ટોપેજ અપવા માટે સતત સક્રિય રહ્યાં હતા.તેના ફળ સ્વરૂપે આખરે રેલ્વે તંત્ર જુકીગયું હતું. નડિયાદ સ્ટેશન ખાતે 9મી માર્ચે જનશતાબ્દી ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવતાં સરદાર પ્રેમિઓ ખુસીવ્યાપી ગઇ છે.જયારે આણંદ એટલે સરદાર પટેલની કર્મભૂમિ ખાતે સ્ટોપેજ આજે પણ આપવામાં આવ્યું નથી.આણંદ જિલ્લાના નેતાઓ રેલવે કોઇ જ વજન ન પડતાં પાંગળા સાબિત થયા છે.

આગામી 9મી માર્ચથી જનશતાબ્દી ટ્રેન સરદાર પટેલની જન્મભૂમિ નડિયાદના સ્ટેશને ઉભી રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઇચ્છુક નડિયાદ સહિત ખેડા જિલ્લાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ-કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપાઈ છે.ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 9મી માર્ચથી જનશતાબ્દિ ટ્રેન તેના નિયત સમયે અમદાવાદ ખાતેથી રવાના થઇને નડિયાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચશે. આ ટ્રેનને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ નડિયાદ સ્ટેશનથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જન શતાબ્દી ટ્રેનને નડિયાદનું સ્ટોપેજ મળતા સ્થાનિક નગરજનો સહીત ખેડા જિલ્લાના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની જવા માટે સુવિધા મળી રહેશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!