The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડાના મોટા મંડાળામાં દીપડાએ વાછરડાનું મારણ કરતા લોકોમાં ફફડાટ!

દેડીયાપાડા તાલુકાનાં મોટા મંડાળા ગામના વસાવા શંકરભાઈ મોતીભાઈનાં મોટા મંડાળાની સીમમાં આવેલ સરવે નંબર ૧૮૪ વાળા ખેતરનાં શેળા પર બાંધેલ ૬ વર્ષના વાછરડાને આજે સવારે અંદાજીત ૪ થી ૫ નાં સમયગાળા દરમિયાન બે દીપડાઓ ધસી આવી એક વાછરડાને ફાડી ખાધુ હતું. જેને લઈને વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, દેડીયાપાડાનાં મોટા મંડાળા ગામે રહેતા વસાવા શંકરભાઈ મોતીભાઈ ખેતીની સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે અને જેઓ આજે સવારે ૫ થી ૬ વાગ્યાની આસપાસ ખેતરે ઝૂંપડી માંથી બહાર નિકળી મોવડા વણવા જતા હતા તે દરમિયાન તેમને ખેતરનાં શેળા પર વાછરડાને લોહીલુહાણ હાલતમાં જોઈ તાત્કાલિક આજુબાજુ ખેતરમાં તપાસ કરતા દિપડા ના પગલા મળી આવેલ હતા. જેથી ઘટનાને પગલે ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ઘટનાની તાત્કાલિક વનવિભાગને જાણ કરતા વનવિભાગ દ્વારા સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન દેડીયાપાડા (નર્મદા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!