ભરૂચમાં આવેલી શાળા શ્રવણ વિદ્યાધામ ના પ્રાંગણ માં ગુડી પડવાના પાવન અવસરે શાળા પરિવાર દ્વારા આનંદ ઉલ્લાસ તથા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગુડીનો શણગાર કરી શ્રદ્ધાપૂર્વક તેની શાળા પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી શાળા નાં શિક્ષક નિરવભાઈ પટેલ દ્વારા કાલગણના વિશે વિશેષ માહિતી આપવામાં આવી તથા ચાર યુગ, સમયનું પંચાગ વિશે ઉંડાણપૂર્વક સમજ આપી શિક્ષિકા વૈશાલીબેન ડોંગરએ ગુડી પડવાની વિશેષ માહિતી આપી શાળાના ટ્રસ્ટી આચાર્ય શ્રી એ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.