The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દેડીયાપાડા પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા વિવિધ મુદ્દે અપાયું આવેદન

દેડીયાપાડા પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા વિવિધ મુદ્દે અપાયું આવેદન

0
દેડીયાપાડા પ્રાંત અધિકારીને રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા વિવિધ મુદ્દે અપાયું આવેદન

નર્મદા જીલ્લાના દેડીયાપાડા તાલુકાના ગામોમાં અને સાગબારા તાલુકાના ગામોમાં આગ લાગવા ની ઘટના, એવા આગામી વર્ષોમાં પણ આવી અવાર નવાર ધટનાઓ બનેલ છે.

ત્યારે દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં આવતા દરેક પંચાયતમાં ફાયર બિગ્રેડની ટીમ મુકવામાં આવે. જેથી લોકોના ઘરો સળગતા બચે અને દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં પાકા રસ્તા ઓનું બાંધકામ તેમજ હોસ્પિટલમાં સારી સુવિધા, દરેક ગામડાઓમાં લાઇબ્રેરી, સારી સ્કુલો, તેમજ વિદેશી દારૂનો ખુલ્લે આમ ચાલતાં ધંધા,  દેડીયાપાડા અને સાગબારા તાલુકાના ગામોમાં તાપી ડેમ ,નર્મદા ડેમ, કરજણ ડેમ માંથી ખેતી કરવા અને પીવા માટે પાણી આપવામાં આવે.

નહેર થકી લોકોને પાણી આપવામાં આવે. પાર તાપી-નર્મદા નદી જોડાણ યોજના થી ડાંગ, ધરમપુર, તાપી, અને નર્મદા જીલ્લાના ગામો વિસ્થાપિત થાય છે. તેથી આ યોજના પર પ્રતિબંધ મુકવામાં આવે. કેમ કે નર્મદા, કરજણ, તાપી (ઉકાઈ), કડાણા વગેરે ડેમોમાં આદિવાસી સમાજના લોકોનું વિસ્થાપન થયેલું છે, જે ઘરના લોકો વિસ્થાપિત થયા છે એ લોકોનું જીવન હજુ સુધી સુધારો થયો નથી. એ વિસ્થાપિત લોકોને સુવિધાઓ તેમજ ન્યાય આપવામાં આવે. જેથી રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા ગુજરાતના રાજ્યપાલ ને સંબોધીને દેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય લોક અધિકાર મંચના નર્મદા જિલ્લાના પ્રમુખ જેસીંગભાઇ વસાવા, તાલુકા પ્રમુખ ડૉ.અશ્વિન વસાવા, સંગઠન મંત્રી અર્જુન વસાવા, મહિલા પ્રમુખ સર્મિલાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!